UKની બેન્કમાંથી ભારતે 100 ટન સોનું પરત મંગાવ્યું, જાણો શા માટે વિદેશની બેન્કમાં રખાય છે સોનું?


  • Published By :
  • Published Date : 2024-05-31 19:06:30

આપણે જેમ આપણા સોનાના દાગીના સેફ રહે તે માટે તેને બેન્કમાં મૂકીએ છીએ.. બેન્કના લોકરમાં આપણે તેને રાખી મૂકીએ છીએ. તેવી જ રીતે ભારત પણ ગોલ્ડને વિદેશની બેન્કોમાં ઈન્વેસ્ટ કરે છે.. વિદેશની બેન્કમાં ભારત દેશ પોતાનું સોનું રાખે છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે યુકેની બેન્કમાં મૂકેલું સોનું ભારત પરત લાવવામાં આવી રહ્યું છે.... ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 100 ટન સોનું ભારત પાછું લાવવામાં આવી રહ્યું છે. ભારત આવી રહેલા સોનાની દેખરેખ, તેની સુરક્ષા ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા કરવામાં આવશે. ભારત સહિત અનેક દેશોનું સોનું બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં રાખવામાં આવ્યું હતું.. 



100 ટન સોનું ભારત પાછું લવાશે.. 

ભારત દ્વારા એક મહત્વની પહેલ કરવામાં આવી છે. વિદેશી બેન્કોમાં મૂકેલા સોનાને ભારત પરત લાવવાની શરૂઆત કરી દીધી છે.. 100 ટન સોનું ભારત પોતાના દેશ પાછું લાવી રહ્યું છે... બેન્ક ઓફ ઈન્ગલેન્ડમાં ભારતે અનેક ટન સોનું રાખ્યું છે.. ભારત પરત લાવવામાં આવી રહેલું સોનું એક મોટો સંદેશો પણ આપે છે કે ભારત પાસે સિક્યોરિટીની એવી સુવિધા ઉભી થઈ ગઈ છે કે આટલા ટન સોનાની ચોરી નહીં થાય તેની ગેરંટી લઈ શકે છે.. ભારત આટલા ટન સોનું પાછું લાવી રહ્યું છે જેને કારણે ઓછા પૈસા તેને ભરવા પડશે..     



વિદેશમાં આટલા ટન રહેલું છે ભારતનું સોનું  

મળતી માહિતી પ્રમાણે ભારત પાસે રહેલા સોનાની વાત કરીએ તો 308.03 મેટરિક ટન સોનું ભારતે પોતાની પાસે રાખ્યું છે.. મતલબ આટલા ટન સોનું ભારતમાં છે જ્યારે 514.00 મેટરિક ટન જેટલું સોનું ભારત વિદેશી બેન્કમાં રાખ્યું છે.. અંદાજીત 514.00 મેટ્રિક ટનમાંથી ભારત 100 મેટ્રિક ટન સોનું ભારત પરત લાવી રહ્યું છે... બેન્ક ઓફ ઈન્ગલેન્ડમાં ભારત સિવાય અનેક બીજા દેશોએ પોતાનું સોનું રાખી મૂક્યું છે.. 



સોનાને લઈ લેવાયેલા નિર્ણય પર અંગે આપ શું કહેશો? 

મહત્વનું છે કે જ્યારે કોઈ સંકટ આવી પડે અથવા દેશો વચ્ચે યુદ્ધ થાય ત્યારે આવી પરિસ્થિતિમાં ગોલ્ડની સુરક્ષા જોખમાતી હોય તેવું નિષ્ણાતોનું માનવું છે. સોનાને પરત લાવવા પાછળનું એક કારણ આ પણ હોઈ શકે છે.. 1991માં ભારત દ્વારા વિદેશની બેન્કોમાં ગોલ્ડ મૂકવાનું શરૂ થયું હતું તેવી માહિતી સામે આવી છે.. મહત્વનું છે કે વિદેશની બેન્કોમાં સોનું રાખવાથી વેપારમાં સરળતા રહે છે.. સોનાને લઈ ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર તમે શું કહેશો તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.