ઓસ્ટ્રેલિયા સામે ભારતનો કારમો પરાજય, જીતના ઉન્માદમાં મિશેલ માર્શે વર્લ્ડ કપ ટ્રોફીનો કર્યો અનાદર


  • Published By :
  • Published Date : 2023-11-20 16:35:12

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો કારમો પરાજય થતાં કરોડો ભારતીય ચાહકોના જબરદસ્ત આઘાત લાગ્યો છે.  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં ડાબોડી ઓપનર ટ્રેવિસ હેડે 137 રનની શાનદાર ઇનિંગ રમીને મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સિવાય લાબુશેને 58 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 240 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 241 રનનો વિજય લક્ષ્યાંક હાંસલ કરી વર્લ્ડ કપ પોતાના હસ્તક કર્યો હતો. ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શરૂઆતથી જ ભારત પર પ્રભુત્વ જમાવ્યું હતું. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે વર્લ્ડ કપ જીત્યા બાદ અતિ ઉન્માદમાં આવી ગયેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓે ભાન ભૂલ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શ 19 નવેમ્બર( રવિવાર)ના રોજ ભવ્ય જીત મેળવ્યા બાદ વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળ્યો હતો. 


નેટીઝન્સે કાઢી ઝાટકણી

 

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ 19 નવેમ્બર (રવિવાર) ના રોજ અમદાવાદમાં ભારત સામે સાત વિકેટની જીત બાદ પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક ફોટામાં, પશ્ચિમ ઓસ્ટ્રેલિયન ટ્રોફી પર પગ મૂકતો જોવા મળ્યો હતો અને નેટીઝન્સ તરફથી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. 


પેટ કમિન્સએ ઈન્સ્ટાગ્રામ પર શેઅર કરી તસવીર


મિશેલ માર્શની આ તસવીર સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સએ ઈન્સ્ટાગ્રામ પર શેઅર કરી હતી. ત્યાર બાદ આ તસ્વીર જંગલની આગની જેમ વાયરલ થઈ હતી. લોકો માર્શની આ હરકતને વર્લ્ડ કપનું અપમાન ગણાવી રહ્યા છે. આ તસવીર ઓસ્ટ્રેલિયા દ્વારા વર્લ્ડ કપ ટ્રોફી જીતવાના કેટલાક કલાકો બાદ જ શેર કરવામાં આવી હતી. આ તસવીર @mufaddal_vohra દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ પર પોસ્ટ કરવામાં આવી હતી આ પોસ્ટ લખાય ત્યાં સુધી આ પોસ્ટને 5 લાખથી વધુ વ્યૂઝ અને 11 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. તેમજ આ તસવીર સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સે આના પર પ્રતિક્રિયા આપી અને માર્શની ટીકા કરી. ઘણા યુઝર્સે લખ્યું કે આ વર્લ્ડ કપનું અપમાન છે, તો કેટલાકે લખ્યું કે આ ટ્રોફી તેમની છે તેઓ જે ઈચ્છે તે કરવા માટે આઝાદ છે.


ભારત સામે કર્યા હતા માત્ર 15 રન


ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ 19 નવેમ્બર (રવિવાર) ના રોજ અમદાવાદમાં ભારત સામે સાત વિકેટની જીત બાદ પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક ફોટામાં, પશ્ચિમ ઓસ્ટ્રેલિયન ટ્રોફી પર પગ મૂકતો જોવા મળ્યો હતો અને નેટીઝન્સ તરફથી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. માર્શ, જે ઓસ્ટ્રેલિયાની 2015 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો. રવિવારે ભારત સામે ઝડપી 15 રન બનાવ્યા અને પછી જસપ્રિત બુમરાહની બોલ પર સ્ટમ્પ પાછળ કેએલ રાહુલ સામે તેની વિકેટ ગુમાવી. આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.