ઓસ્ટ્રેલિયા સામે ભારતનો કારમો પરાજય, જીતના ઉન્માદમાં મિશેલ માર્શે વર્લ્ડ કપ ટ્રોફીનો કર્યો અનાદર


  • Published By :
  • Published Date : 2023-11-20 16:35:12

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો કારમો પરાજય થતાં કરોડો ભારતીય ચાહકોના જબરદસ્ત આઘાત લાગ્યો છે.  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં ડાબોડી ઓપનર ટ્રેવિસ હેડે 137 રનની શાનદાર ઇનિંગ રમીને મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સિવાય લાબુશેને 58 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 240 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 241 રનનો વિજય લક્ષ્યાંક હાંસલ કરી વર્લ્ડ કપ પોતાના હસ્તક કર્યો હતો. ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શરૂઆતથી જ ભારત પર પ્રભુત્વ જમાવ્યું હતું. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે વર્લ્ડ કપ જીત્યા બાદ અતિ ઉન્માદમાં આવી ગયેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓે ભાન ભૂલ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શ 19 નવેમ્બર( રવિવાર)ના રોજ ભવ્ય જીત મેળવ્યા બાદ વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળ્યો હતો. 


નેટીઝન્સે કાઢી ઝાટકણી

 

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ 19 નવેમ્બર (રવિવાર) ના રોજ અમદાવાદમાં ભારત સામે સાત વિકેટની જીત બાદ પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક ફોટામાં, પશ્ચિમ ઓસ્ટ્રેલિયન ટ્રોફી પર પગ મૂકતો જોવા મળ્યો હતો અને નેટીઝન્સ તરફથી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. 


પેટ કમિન્સએ ઈન્સ્ટાગ્રામ પર શેઅર કરી તસવીર


મિશેલ માર્શની આ તસવીર સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સએ ઈન્સ્ટાગ્રામ પર શેઅર કરી હતી. ત્યાર બાદ આ તસ્વીર જંગલની આગની જેમ વાયરલ થઈ હતી. લોકો માર્શની આ હરકતને વર્લ્ડ કપનું અપમાન ગણાવી રહ્યા છે. આ તસવીર ઓસ્ટ્રેલિયા દ્વારા વર્લ્ડ કપ ટ્રોફી જીતવાના કેટલાક કલાકો બાદ જ શેર કરવામાં આવી હતી. આ તસવીર @mufaddal_vohra દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ પર પોસ્ટ કરવામાં આવી હતી આ પોસ્ટ લખાય ત્યાં સુધી આ પોસ્ટને 5 લાખથી વધુ વ્યૂઝ અને 11 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. તેમજ આ તસવીર સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સે આના પર પ્રતિક્રિયા આપી અને માર્શની ટીકા કરી. ઘણા યુઝર્સે લખ્યું કે આ વર્લ્ડ કપનું અપમાન છે, તો કેટલાકે લખ્યું કે આ ટ્રોફી તેમની છે તેઓ જે ઈચ્છે તે કરવા માટે આઝાદ છે.


ભારત સામે કર્યા હતા માત્ર 15 રન


ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ 19 નવેમ્બર (રવિવાર) ના રોજ અમદાવાદમાં ભારત સામે સાત વિકેટની જીત બાદ પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક ફોટામાં, પશ્ચિમ ઓસ્ટ્રેલિયન ટ્રોફી પર પગ મૂકતો જોવા મળ્યો હતો અને નેટીઝન્સ તરફથી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. માર્શ, જે ઓસ્ટ્રેલિયાની 2015 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો. રવિવારે ભારત સામે ઝડપી 15 રન બનાવ્યા અને પછી જસપ્રિત બુમરાહની બોલ પર સ્ટમ્પ પાછળ કેએલ રાહુલ સામે તેની વિકેટ ગુમાવી. આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.   



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?