ઓસ્ટ્રેલિયા સામે ભારતનો કારમો પરાજય, જીતના ઉન્માદમાં મિશેલ માર્શે વર્લ્ડ કપ ટ્રોફીનો કર્યો અનાદર


  • Published By :
  • Published Date : 2023-11-20 16:35:12

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો કારમો પરાજય થતાં કરોડો ભારતીય ચાહકોના જબરદસ્ત આઘાત લાગ્યો છે.  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં ડાબોડી ઓપનર ટ્રેવિસ હેડે 137 રનની શાનદાર ઇનિંગ રમીને મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સિવાય લાબુશેને 58 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 240 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 241 રનનો વિજય લક્ષ્યાંક હાંસલ કરી વર્લ્ડ કપ પોતાના હસ્તક કર્યો હતો. ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શરૂઆતથી જ ભારત પર પ્રભુત્વ જમાવ્યું હતું. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે વર્લ્ડ કપ જીત્યા બાદ અતિ ઉન્માદમાં આવી ગયેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓે ભાન ભૂલ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શ 19 નવેમ્બર( રવિવાર)ના રોજ ભવ્ય જીત મેળવ્યા બાદ વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળ્યો હતો. 


નેટીઝન્સે કાઢી ઝાટકણી

 

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ 19 નવેમ્બર (રવિવાર) ના રોજ અમદાવાદમાં ભારત સામે સાત વિકેટની જીત બાદ પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક ફોટામાં, પશ્ચિમ ઓસ્ટ્રેલિયન ટ્રોફી પર પગ મૂકતો જોવા મળ્યો હતો અને નેટીઝન્સ તરફથી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. 


પેટ કમિન્સએ ઈન્સ્ટાગ્રામ પર શેઅર કરી તસવીર


મિશેલ માર્શની આ તસવીર સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સએ ઈન્સ્ટાગ્રામ પર શેઅર કરી હતી. ત્યાર બાદ આ તસ્વીર જંગલની આગની જેમ વાયરલ થઈ હતી. લોકો માર્શની આ હરકતને વર્લ્ડ કપનું અપમાન ગણાવી રહ્યા છે. આ તસવીર ઓસ્ટ્રેલિયા દ્વારા વર્લ્ડ કપ ટ્રોફી જીતવાના કેટલાક કલાકો બાદ જ શેર કરવામાં આવી હતી. આ તસવીર @mufaddal_vohra દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ પર પોસ્ટ કરવામાં આવી હતી આ પોસ્ટ લખાય ત્યાં સુધી આ પોસ્ટને 5 લાખથી વધુ વ્યૂઝ અને 11 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. તેમજ આ તસવીર સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સે આના પર પ્રતિક્રિયા આપી અને માર્શની ટીકા કરી. ઘણા યુઝર્સે લખ્યું કે આ વર્લ્ડ કપનું અપમાન છે, તો કેટલાકે લખ્યું કે આ ટ્રોફી તેમની છે તેઓ જે ઈચ્છે તે કરવા માટે આઝાદ છે.


ભારત સામે કર્યા હતા માત્ર 15 રન


ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ 19 નવેમ્બર (રવિવાર) ના રોજ અમદાવાદમાં ભારત સામે સાત વિકેટની જીત બાદ પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક ફોટામાં, પશ્ચિમ ઓસ્ટ્રેલિયન ટ્રોફી પર પગ મૂકતો જોવા મળ્યો હતો અને નેટીઝન્સ તરફથી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. માર્શ, જે ઓસ્ટ્રેલિયાની 2015 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો. રવિવારે ભારત સામે ઝડપી 15 રન બનાવ્યા અને પછી જસપ્રિત બુમરાહની બોલ પર સ્ટમ્પ પાછળ કેએલ રાહુલ સામે તેની વિકેટ ગુમાવી. આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.