ઓસ્ટ્રેલિયા સામે ભારતનો કારમો પરાજય, જીતના ઉન્માદમાં મિશેલ માર્શે વર્લ્ડ કપ ટ્રોફીનો કર્યો અનાદર


  • Published By :
  • Published Date : 2023-11-20 16:35:12

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો કારમો પરાજય થતાં કરોડો ભારતીય ચાહકોના જબરદસ્ત આઘાત લાગ્યો છે.  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં ડાબોડી ઓપનર ટ્રેવિસ હેડે 137 રનની શાનદાર ઇનિંગ રમીને મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સિવાય લાબુશેને 58 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 240 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 241 રનનો વિજય લક્ષ્યાંક હાંસલ કરી વર્લ્ડ કપ પોતાના હસ્તક કર્યો હતો. ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શરૂઆતથી જ ભારત પર પ્રભુત્વ જમાવ્યું હતું. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે વર્લ્ડ કપ જીત્યા બાદ અતિ ઉન્માદમાં આવી ગયેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓે ભાન ભૂલ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શ 19 નવેમ્બર( રવિવાર)ના રોજ ભવ્ય જીત મેળવ્યા બાદ વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળ્યો હતો. 


નેટીઝન્સે કાઢી ઝાટકણી

 

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ 19 નવેમ્બર (રવિવાર) ના રોજ અમદાવાદમાં ભારત સામે સાત વિકેટની જીત બાદ પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક ફોટામાં, પશ્ચિમ ઓસ્ટ્રેલિયન ટ્રોફી પર પગ મૂકતો જોવા મળ્યો હતો અને નેટીઝન્સ તરફથી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. 


પેટ કમિન્સએ ઈન્સ્ટાગ્રામ પર શેઅર કરી તસવીર


મિશેલ માર્શની આ તસવીર સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સએ ઈન્સ્ટાગ્રામ પર શેઅર કરી હતી. ત્યાર બાદ આ તસ્વીર જંગલની આગની જેમ વાયરલ થઈ હતી. લોકો માર્શની આ હરકતને વર્લ્ડ કપનું અપમાન ગણાવી રહ્યા છે. આ તસવીર ઓસ્ટ્રેલિયા દ્વારા વર્લ્ડ કપ ટ્રોફી જીતવાના કેટલાક કલાકો બાદ જ શેર કરવામાં આવી હતી. આ તસવીર @mufaddal_vohra દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ પર પોસ્ટ કરવામાં આવી હતી આ પોસ્ટ લખાય ત્યાં સુધી આ પોસ્ટને 5 લાખથી વધુ વ્યૂઝ અને 11 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. તેમજ આ તસવીર સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સે આના પર પ્રતિક્રિયા આપી અને માર્શની ટીકા કરી. ઘણા યુઝર્સે લખ્યું કે આ વર્લ્ડ કપનું અપમાન છે, તો કેટલાકે લખ્યું કે આ ટ્રોફી તેમની છે તેઓ જે ઈચ્છે તે કરવા માટે આઝાદ છે.


ભારત સામે કર્યા હતા માત્ર 15 રન


ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ 19 નવેમ્બર (રવિવાર) ના રોજ અમદાવાદમાં ભારત સામે સાત વિકેટની જીત બાદ પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક ફોટામાં, પશ્ચિમ ઓસ્ટ્રેલિયન ટ્રોફી પર પગ મૂકતો જોવા મળ્યો હતો અને નેટીઝન્સ તરફથી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. માર્શ, જે ઓસ્ટ્રેલિયાની 2015 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો. રવિવારે ભારત સામે ઝડપી 15 રન બનાવ્યા અને પછી જસપ્રિત બુમરાહની બોલ પર સ્ટમ્પ પાછળ કેએલ રાહુલ સામે તેની વિકેટ ગુમાવી. આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.