ભારતના DGMO પાકિસ્તાનના DGMO સાથે કોઈ જ વાત નહિ કરે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-18 12:47:41

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો . 

India DGMO vs Pakistan DGMO Salary: Roles and Responsibilities Compare

૨૨મી એપ્રિલ જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં આતંકના ઠેકાણાઓ નષ્ટ કરી નાખ્યા છે. આ પછી પાકિસ્તાને કાશ્મીરથી કચ્છ સુધી મિસાઇલો અને ડ્રોનથી હુમલા કર્યા હતા . તે પછી ભારતે પાકિસ્તાનના ૮ થી ૧૧ જેટલા એરબેઝ બરબાદ કરી નાખ્યા હતા . તે પછી બેઉ દેશો વચ્ચે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી ગયા સોમવારે એટલેકે , ૧૨મી તારીખના રોજ બેઉ દેશોના DGMO એટલેકે , ડાઇરેકટોરેટ  જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે સંવાદ થયો હતો . તે દિવસથી આપણે સીઝફાયર કન્ટિન્યુ રાખ્યું હતું . હવે ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે આ સીઝફાયરની કોઈ જ સીમા નક્કી નથી . અહીં તેનો એક અર્થ સાફ છે કે , સીઝફાયર ચાલુ જ રહેશે પરંતુ ભારતીય સેના  હાઇએલર્ટ પર રહેશે. આ સાથે જ બેઉ દેશો વચ્ચે જે કોન્ફિડન્સ બિલ્ડીંગ મેઝર્સ ભરાયા છે  જેના થકી તણાવ ઓછો થાય તે ચાલુ જ રહેશે. જોકે આ બાબતે પાકિસ્તાનના ઉપવડાપ્રધાન ઇસાક દારે એવું નિવેદન આપ્યું હતું કે મેંની ૧૦ તારીખનું જે સીઝફાયર છે તે મેં ની ૧૮ મી તારીખ સુધી લંબાવવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન ૧૦ મેં ના રોજ એસ્કેલેશન ઓછું કરવા માટે એક સમજોતાએ પહોંચ્યા હતા .આ પછી ૧૨મેં ના રોજ બેઉ દેશોના DGMO ભારતના DGMO રાજીવ ઘાઈ અને પાકિસ્તાની DGMO કશીફ અબ્દુલ્લાહ વચ્ચે વાતચીત થઈ હતી . તે પછી બેઉ દેશોએ સરહદ પર તણાવ ઓછો કરવા માટે CBM એટલેકે , કોન્ફિડન્સ બિલ્ડીંગ મેઝર ભર્યા હતા . હવે ભારતીય સેનાએ જાહેરાત કરી છેકે , ૧૨ મેં જે સમજૂતી થયી તેની કોઈ જ એક્સપાયરી ડેટ નથી અને આજે પાકિસ્તાનના DGMO સાથે આજે કોઈ જ વાતચીત નથી થવાની .   

  Conflict to closet, Operation Sindoor sparks boom in patriotic merch |  India News - The Times of India

ભારતના DGMO છે લેફટન્ટ જનરલ રાજીવ ઘાઈ અને પાકિસ્તાની કાઉન્ટરપાર્ટ છે મેજર જનરલ કશીફ અબ્દુલ્લાહ છે હવે સમજીએ કે આ DGMO શું છે? DGMO તેનો મતલબ થાય છે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશનસ . સામાન્ય રીતે આ પદ પર લેફટનન્ટ જનરલ રેન્કના વ્યક્તિ બેસે છે જે ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ પર મિલિટરી ઓપરેશન્સ જોવાનું કામ કરે છે. તેઓ સીધા જ ચીફ ઓફ આર્મી સ્ટાફને રિપોર્ટ કરે છે. ભારતમાં હાલમાં DGMO લેફટન્ટ જનરલ રાજીવ ઘાઈ છે . જયારે એર માર્શલ એ કે ભારતી ડાઇરેકટોરેટ જનરલ ઓફ એર ઓપરેશન્સ છે આ ઉપરાંત વાઇસ એડમિરલ AN પ્રમોદ ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ નેવલ ઓપરેશન્સ છે. તો હવે સમજીએ કે આ DGMO ની ભૂમિકા શું હોય છે?  મિલિટરી ઓપરેશન્સને પ્લાન કરે છે સાથે જ વિવિધ ડિફેન્સ વિંગ્સ અને મંત્રાલયો વચ્ચે સહકાર સાધવાનું કામ કરે છે. જયારે બીજા દેશ સાથે તણાવ હોય ત્યારે બીજા દેશોના DGMO સાથે સંપર્ક રાખે છે. આ ઉપરાંત ચીફ ઓફ આર્મી સ્ટાફ અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સને ઓપરેશનલ અપડેટ આપે છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.