ભારતના DGMO પાકિસ્તાનના DGMO સાથે કોઈ જ વાત નહિ કરે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-18 12:47:41

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો . 

India DGMO vs Pakistan DGMO Salary: Roles and Responsibilities Compare

૨૨મી એપ્રિલ જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં આતંકના ઠેકાણાઓ નષ્ટ કરી નાખ્યા છે. આ પછી પાકિસ્તાને કાશ્મીરથી કચ્છ સુધી મિસાઇલો અને ડ્રોનથી હુમલા કર્યા હતા . તે પછી ભારતે પાકિસ્તાનના ૮ થી ૧૧ જેટલા એરબેઝ બરબાદ કરી નાખ્યા હતા . તે પછી બેઉ દેશો વચ્ચે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી ગયા સોમવારે એટલેકે , ૧૨મી તારીખના રોજ બેઉ દેશોના DGMO એટલેકે , ડાઇરેકટોરેટ  જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે સંવાદ થયો હતો . તે દિવસથી આપણે સીઝફાયર કન્ટિન્યુ રાખ્યું હતું . હવે ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે આ સીઝફાયરની કોઈ જ સીમા નક્કી નથી . અહીં તેનો એક અર્થ સાફ છે કે , સીઝફાયર ચાલુ જ રહેશે પરંતુ ભારતીય સેના  હાઇએલર્ટ પર રહેશે. આ સાથે જ બેઉ દેશો વચ્ચે જે કોન્ફિડન્સ બિલ્ડીંગ મેઝર્સ ભરાયા છે  જેના થકી તણાવ ઓછો થાય તે ચાલુ જ રહેશે. જોકે આ બાબતે પાકિસ્તાનના ઉપવડાપ્રધાન ઇસાક દારે એવું નિવેદન આપ્યું હતું કે મેંની ૧૦ તારીખનું જે સીઝફાયર છે તે મેં ની ૧૮ મી તારીખ સુધી લંબાવવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન ૧૦ મેં ના રોજ એસ્કેલેશન ઓછું કરવા માટે એક સમજોતાએ પહોંચ્યા હતા .આ પછી ૧૨મેં ના રોજ બેઉ દેશોના DGMO ભારતના DGMO રાજીવ ઘાઈ અને પાકિસ્તાની DGMO કશીફ અબ્દુલ્લાહ વચ્ચે વાતચીત થઈ હતી . તે પછી બેઉ દેશોએ સરહદ પર તણાવ ઓછો કરવા માટે CBM એટલેકે , કોન્ફિડન્સ બિલ્ડીંગ મેઝર ભર્યા હતા . હવે ભારતીય સેનાએ જાહેરાત કરી છેકે , ૧૨ મેં જે સમજૂતી થયી તેની કોઈ જ એક્સપાયરી ડેટ નથી અને આજે પાકિસ્તાનના DGMO સાથે આજે કોઈ જ વાતચીત નથી થવાની .   

  Conflict to closet, Operation Sindoor sparks boom in patriotic merch |  India News - The Times of India

ભારતના DGMO છે લેફટન્ટ જનરલ રાજીવ ઘાઈ અને પાકિસ્તાની કાઉન્ટરપાર્ટ છે મેજર જનરલ કશીફ અબ્દુલ્લાહ છે હવે સમજીએ કે આ DGMO શું છે? DGMO તેનો મતલબ થાય છે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશનસ . સામાન્ય રીતે આ પદ પર લેફટનન્ટ જનરલ રેન્કના વ્યક્તિ બેસે છે જે ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ પર મિલિટરી ઓપરેશન્સ જોવાનું કામ કરે છે. તેઓ સીધા જ ચીફ ઓફ આર્મી સ્ટાફને રિપોર્ટ કરે છે. ભારતમાં હાલમાં DGMO લેફટન્ટ જનરલ રાજીવ ઘાઈ છે . જયારે એર માર્શલ એ કે ભારતી ડાઇરેકટોરેટ જનરલ ઓફ એર ઓપરેશન્સ છે આ ઉપરાંત વાઇસ એડમિરલ AN પ્રમોદ ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ નેવલ ઓપરેશન્સ છે. તો હવે સમજીએ કે આ DGMO ની ભૂમિકા શું હોય છે?  મિલિટરી ઓપરેશન્સને પ્લાન કરે છે સાથે જ વિવિધ ડિફેન્સ વિંગ્સ અને મંત્રાલયો વચ્ચે સહકાર સાધવાનું કામ કરે છે. જયારે બીજા દેશ સાથે તણાવ હોય ત્યારે બીજા દેશોના DGMO સાથે સંપર્ક રાખે છે. આ ઉપરાંત ચીફ ઓફ આર્મી સ્ટાફ અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સને ઓપરેશનલ અપડેટ આપે છે. 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.