સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે કર્યા પાકિસ્તાન અને ચીન પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-12-16 13:46:43

સંયુક્ત રાષ્ટ્રીય પરિષદમાં વિદેશમંત્રી એસ.જયશંકરે ચીન અને પાકિસ્તાન પર ગુરૂવારે નામ લીધા પ્રહાર કર્યા હતા. પાકિસ્તાનના મંત્રીએ એક પ્રશ્ન પૂછ્યો હતો જેનો જવાબ એસ.જયશંકરે આપ્યો હતો. પાકિસ્તાની વિદેશ રાજ્યમંત્રીએ ભારત પર આતંકવાદ ફેલાવાનો આરોપ લગાવ્યો હતો. જેનો જવાબ આપતા એસ.જયશંકરે આપ્યો હતો.


પાકિસ્તાનના મંત્રીને આપ્યો જડબાતોડ જવાબ

સંયુક્ત રાષ્ટ્રીય પરિષદમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર આક્રામક રૂપમાં દેખાયા હતા. પોતાના બ્રિફિંગમાં જયશંકરે પાકિસ્તાન તેમજ ચીનનું નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. ઉપરાંત પાકિસ્તાનના હિના રબ્બાની ખારના પ્રશ્નનો જડબાતોડ જવાબ આપ્યો હતો.  જયશંકરે થોડા વર્ષો પહેલા કરવામાં આવેલી  ટિપ્પણીને પણ યાદ કરી હતી. જયશંકર પોતાના ભાષણમાં હેરી ક્લીન્ટનના ભાષણને યાદ કર્યું હતું. જો તમે તમારા ઘરમાં સાપને પાળો છો, તો એ માત્ર પડોશનીને નહીં કરડે પણ ઘરમાં રહેલા લોકોને પણ કરડશે. 



પાકિસ્તાની પત્રકારની પણ બોલતી બંધ કરી 

પાકિસ્તાન વિદેશમંત્રી ઉપરાંત જયશંકરે પાકિસ્તાની રિપોટરની પણ બોલતી બંધ કરી હતી. પત્રકારે તેમને પૂછ્યું કે દક્ષિણ એશિયા ક્યાં સુધી નવી દિલ્હી,કાબુલ, પાકિસ્તાનથી આતંકવાદને જોશે.  આનો જવાબ આપતા જયશંકરે કહ્યું કે આ પ્રશ્ન તમે ખોટા મંત્રીને પૂછી રહ્યા છો આ પ્રશ્ન તમારે ભારતના મંત્રીને  ન પૂછવો જોઈએ.




26-11નો કર્યો ઉલ્લેખ

ઉપરાંત જયશંકરે સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં કહ્યું કે દુનિયા ન્યુયોર્કની જેમ એક 9-11 કે પછી 26-11નો મુંબઈ પર થયેલો હુમલો ફરી ઘટિત ન થવું જોઈએ. પાકિસ્તાનનું નામ લીધા વગર પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે આતંકવાદના સમકાલીન કેન્દ્રો હજી પણ સક્રિય છે. 



ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.