સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે કર્યા પાકિસ્તાન અને ચીન પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-12-16 13:46:43

સંયુક્ત રાષ્ટ્રીય પરિષદમાં વિદેશમંત્રી એસ.જયશંકરે ચીન અને પાકિસ્તાન પર ગુરૂવારે નામ લીધા પ્રહાર કર્યા હતા. પાકિસ્તાનના મંત્રીએ એક પ્રશ્ન પૂછ્યો હતો જેનો જવાબ એસ.જયશંકરે આપ્યો હતો. પાકિસ્તાની વિદેશ રાજ્યમંત્રીએ ભારત પર આતંકવાદ ફેલાવાનો આરોપ લગાવ્યો હતો. જેનો જવાબ આપતા એસ.જયશંકરે આપ્યો હતો.


પાકિસ્તાનના મંત્રીને આપ્યો જડબાતોડ જવાબ

સંયુક્ત રાષ્ટ્રીય પરિષદમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર આક્રામક રૂપમાં દેખાયા હતા. પોતાના બ્રિફિંગમાં જયશંકરે પાકિસ્તાન તેમજ ચીનનું નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. ઉપરાંત પાકિસ્તાનના હિના રબ્બાની ખારના પ્રશ્નનો જડબાતોડ જવાબ આપ્યો હતો.  જયશંકરે થોડા વર્ષો પહેલા કરવામાં આવેલી  ટિપ્પણીને પણ યાદ કરી હતી. જયશંકર પોતાના ભાષણમાં હેરી ક્લીન્ટનના ભાષણને યાદ કર્યું હતું. જો તમે તમારા ઘરમાં સાપને પાળો છો, તો એ માત્ર પડોશનીને નહીં કરડે પણ ઘરમાં રહેલા લોકોને પણ કરડશે. 



પાકિસ્તાની પત્રકારની પણ બોલતી બંધ કરી 

પાકિસ્તાન વિદેશમંત્રી ઉપરાંત જયશંકરે પાકિસ્તાની રિપોટરની પણ બોલતી બંધ કરી હતી. પત્રકારે તેમને પૂછ્યું કે દક્ષિણ એશિયા ક્યાં સુધી નવી દિલ્હી,કાબુલ, પાકિસ્તાનથી આતંકવાદને જોશે.  આનો જવાબ આપતા જયશંકરે કહ્યું કે આ પ્રશ્ન તમે ખોટા મંત્રીને પૂછી રહ્યા છો આ પ્રશ્ન તમારે ભારતના મંત્રીને  ન પૂછવો જોઈએ.




26-11નો કર્યો ઉલ્લેખ

ઉપરાંત જયશંકરે સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં કહ્યું કે દુનિયા ન્યુયોર્કની જેમ એક 9-11 કે પછી 26-11નો મુંબઈ પર થયેલો હુમલો ફરી ઘટિત ન થવું જોઈએ. પાકિસ્તાનનું નામ લીધા વગર પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે આતંકવાદના સમકાલીન કેન્દ્રો હજી પણ સક્રિય છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.