સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે કર્યા પાકિસ્તાન અને ચીન પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-12-16 13:46:43

સંયુક્ત રાષ્ટ્રીય પરિષદમાં વિદેશમંત્રી એસ.જયશંકરે ચીન અને પાકિસ્તાન પર ગુરૂવારે નામ લીધા પ્રહાર કર્યા હતા. પાકિસ્તાનના મંત્રીએ એક પ્રશ્ન પૂછ્યો હતો જેનો જવાબ એસ.જયશંકરે આપ્યો હતો. પાકિસ્તાની વિદેશ રાજ્યમંત્રીએ ભારત પર આતંકવાદ ફેલાવાનો આરોપ લગાવ્યો હતો. જેનો જવાબ આપતા એસ.જયશંકરે આપ્યો હતો.


પાકિસ્તાનના મંત્રીને આપ્યો જડબાતોડ જવાબ

સંયુક્ત રાષ્ટ્રીય પરિષદમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર આક્રામક રૂપમાં દેખાયા હતા. પોતાના બ્રિફિંગમાં જયશંકરે પાકિસ્તાન તેમજ ચીનનું નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. ઉપરાંત પાકિસ્તાનના હિના રબ્બાની ખારના પ્રશ્નનો જડબાતોડ જવાબ આપ્યો હતો.  જયશંકરે થોડા વર્ષો પહેલા કરવામાં આવેલી  ટિપ્પણીને પણ યાદ કરી હતી. જયશંકર પોતાના ભાષણમાં હેરી ક્લીન્ટનના ભાષણને યાદ કર્યું હતું. જો તમે તમારા ઘરમાં સાપને પાળો છો, તો એ માત્ર પડોશનીને નહીં કરડે પણ ઘરમાં રહેલા લોકોને પણ કરડશે. 



પાકિસ્તાની પત્રકારની પણ બોલતી બંધ કરી 

પાકિસ્તાન વિદેશમંત્રી ઉપરાંત જયશંકરે પાકિસ્તાની રિપોટરની પણ બોલતી બંધ કરી હતી. પત્રકારે તેમને પૂછ્યું કે દક્ષિણ એશિયા ક્યાં સુધી નવી દિલ્હી,કાબુલ, પાકિસ્તાનથી આતંકવાદને જોશે.  આનો જવાબ આપતા જયશંકરે કહ્યું કે આ પ્રશ્ન તમે ખોટા મંત્રીને પૂછી રહ્યા છો આ પ્રશ્ન તમારે ભારતના મંત્રીને  ન પૂછવો જોઈએ.




26-11નો કર્યો ઉલ્લેખ

ઉપરાંત જયશંકરે સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં કહ્યું કે દુનિયા ન્યુયોર્કની જેમ એક 9-11 કે પછી 26-11નો મુંબઈ પર થયેલો હુમલો ફરી ઘટિત ન થવું જોઈએ. પાકિસ્તાનનું નામ લીધા વગર પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે આતંકવાદના સમકાલીન કેન્દ્રો હજી પણ સક્રિય છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.