ભારતના વોન્ટેડ આતંકીની થઈ હત્યા! કેનેડામાં ખાલિસ્તાની નેતા હરદિપ સિંહને ગોળી મારી ઠાર મરાયો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-19 11:37:04

કેનેડામાં હરદિપ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કેનેડામાં રહી રહેલા ખાલિસ્તાની આતંકવાદી હરદિપને એક ગૂરૂદ્વારા નજીક ઠાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારત સરકારે તેને આતંકવાદી ઘોષિત કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર બે અજ્ઞાત હુમલાવરોએ તેની પર હુમલો કર્યો, જે બાદ તેની મોત થઈ ગઈ હતી. મહત્વનું છે કે તે કેનેડિયન શીખ સંગઠન ફોર જસ્ટિસ સાથે જોડાયેલો છે. જ્યારે તેની હત્યા કરવામાં આવી ત્યારે તેની સાથે બીજા બે જણા પણ હતા. ત્યારે આ હુમલો કોણે કર્યો તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.       


કેનેડામાં રહી ભારત વિરૂદ્ધ કરતો હતો ષડયંત્ર!

નિજ્જર આતંકવાદી ખાલિસ્તાની સંગઠનના ચીફની કેનેડામાં હત્યા કરી દેવામાં આવી છે. ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે કેનેડામાં ગૂરૂ નાનક શીખ ગૂરદ્વારા પાસે બે અજાણ્યા બંદૂકધારી લોકોએ તેની ઉપર હુમલો કર્યો જેને કારણે તેનું મોત થઈ ગયું. મહત્વનું છે કે ઘણા સમયથી ભારત માટે ખતરોરૂપ બની રહ્યો હતો. કેનેડામાં રહી ભારત વિરૂદ્ધ આંતકી ષડયંત્ર કરી રહ્યો હતો. વર્ષ 2020માં કેન્દ્રીય ગૃહમંત્રાલચ દ્વારા તેને આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો હતો. પંજાબમાં પણ આતંકવાદ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. મહત્વનું છે કે નિજ્જર પર 10 લાખ રુપિયાનું ઈનામ એનઆઈએ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.     




પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.