ભારતના વોન્ટેડ આતંકીની થઈ હત્યા! કેનેડામાં ખાલિસ્તાની નેતા હરદિપ સિંહને ગોળી મારી ઠાર મરાયો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-19 11:37:04

કેનેડામાં હરદિપ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કેનેડામાં રહી રહેલા ખાલિસ્તાની આતંકવાદી હરદિપને એક ગૂરૂદ્વારા નજીક ઠાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારત સરકારે તેને આતંકવાદી ઘોષિત કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર બે અજ્ઞાત હુમલાવરોએ તેની પર હુમલો કર્યો, જે બાદ તેની મોત થઈ ગઈ હતી. મહત્વનું છે કે તે કેનેડિયન શીખ સંગઠન ફોર જસ્ટિસ સાથે જોડાયેલો છે. જ્યારે તેની હત્યા કરવામાં આવી ત્યારે તેની સાથે બીજા બે જણા પણ હતા. ત્યારે આ હુમલો કોણે કર્યો તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.       


કેનેડામાં રહી ભારત વિરૂદ્ધ કરતો હતો ષડયંત્ર!

નિજ્જર આતંકવાદી ખાલિસ્તાની સંગઠનના ચીફની કેનેડામાં હત્યા કરી દેવામાં આવી છે. ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે કેનેડામાં ગૂરૂ નાનક શીખ ગૂરદ્વારા પાસે બે અજાણ્યા બંદૂકધારી લોકોએ તેની ઉપર હુમલો કર્યો જેને કારણે તેનું મોત થઈ ગયું. મહત્વનું છે કે ઘણા સમયથી ભારત માટે ખતરોરૂપ બની રહ્યો હતો. કેનેડામાં રહી ભારત વિરૂદ્ધ આંતકી ષડયંત્ર કરી રહ્યો હતો. વર્ષ 2020માં કેન્દ્રીય ગૃહમંત્રાલચ દ્વારા તેને આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો હતો. પંજાબમાં પણ આતંકવાદ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. મહત્વનું છે કે નિજ્જર પર 10 લાખ રુપિયાનું ઈનામ એનઆઈએ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.     




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.