ભારતના વોન્ટેડ આતંકીની થઈ હત્યા! કેનેડામાં ખાલિસ્તાની નેતા હરદિપ સિંહને ગોળી મારી ઠાર મરાયો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-19 11:37:04

કેનેડામાં હરદિપ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કેનેડામાં રહી રહેલા ખાલિસ્તાની આતંકવાદી હરદિપને એક ગૂરૂદ્વારા નજીક ઠાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારત સરકારે તેને આતંકવાદી ઘોષિત કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર બે અજ્ઞાત હુમલાવરોએ તેની પર હુમલો કર્યો, જે બાદ તેની મોત થઈ ગઈ હતી. મહત્વનું છે કે તે કેનેડિયન શીખ સંગઠન ફોર જસ્ટિસ સાથે જોડાયેલો છે. જ્યારે તેની હત્યા કરવામાં આવી ત્યારે તેની સાથે બીજા બે જણા પણ હતા. ત્યારે આ હુમલો કોણે કર્યો તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.       


કેનેડામાં રહી ભારત વિરૂદ્ધ કરતો હતો ષડયંત્ર!

નિજ્જર આતંકવાદી ખાલિસ્તાની સંગઠનના ચીફની કેનેડામાં હત્યા કરી દેવામાં આવી છે. ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે કેનેડામાં ગૂરૂ નાનક શીખ ગૂરદ્વારા પાસે બે અજાણ્યા બંદૂકધારી લોકોએ તેની ઉપર હુમલો કર્યો જેને કારણે તેનું મોત થઈ ગયું. મહત્વનું છે કે ઘણા સમયથી ભારત માટે ખતરોરૂપ બની રહ્યો હતો. કેનેડામાં રહી ભારત વિરૂદ્ધ આંતકી ષડયંત્ર કરી રહ્યો હતો. વર્ષ 2020માં કેન્દ્રીય ગૃહમંત્રાલચ દ્વારા તેને આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો હતો. પંજાબમાં પણ આતંકવાદ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. મહત્વનું છે કે નિજ્જર પર 10 લાખ રુપિયાનું ઈનામ એનઆઈએ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.     




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.