છેલ્લી વનડેમાં દક્ષિણ આફ્રિકા ખખડ્યું, 99 રનમાં ઓલઆઉટ, કુલદીપ યાદવની 4 વિકેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 18:03:12

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ વનડે શ્રેણીની અંતિમ વનડે મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ છેલ્લી મેચમાં ભારતીય બોલરોએ તરખાટ મચાવ્યો અને  સાઉથ આફ્રિકાને 99 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો ભારતનો નિર્ણય એકદમ સાચો સાબિત થયો હતો. કુલદીપ યાદવ, શાહબાઝ અહેમદ અને વી. સુંદરની સ્પિન ત્રિપુટીએ પ્રોટિયાસ બેટ્સમેનને ઘૂંટણિયે બેસાડી દીધા. ઉલ્લેખનીય છે કે, આ વનડેના ઇતિહાસમાં આફ્રિકાનો આ સૌથી ઓછો સ્કોર છે.


ભારતને મળ્યો 100 રનનો ટાર્ગેટ


બોલરની ઘાતક બોલિંગને કારણે આફ્રિકા ફક્ત 99 રન કરી શક્યું હતું અને ભારતને જીત માટે 100 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આફ્રિકાના હેનરિક ક્લાસેને સૌથી વધારે 34 રન બનાવ્યાં તો માર્કો જોનસને 14 અને જાનેમન મલાને 15 રન કર્યાં હતા.


કુલદીપે સૌથી વધુ 4 વિકેટ લીધી


ભારત તરફથી ચાઈનામેન કુલદીપ યાદવે સર્વાધિક વિકેટ લેતા 4.1 ઓવરના સ્પેલમાં 1 મેડન સહિત 18 રન આપતા 4 શિકાર કર્યા હતા. તે આ દરમિયાન હેટ્રિક લેતા પણ ચુક્યો હતો. તે સિવાય શાહબાઝ અહેમદ, વી. સુંદર અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી. ભારતીય સ્પિન એટકે સાઉથ આફ્રિકાની 80% વિકેટ ઝડપી.



માત્ર 3 બેટ્સમેન ડબલ ડિજિટમાં સ્કોર કરી શક્યા


સાઉથ આફ્રિકા વતી માત્ર ત્રણ બેટ્સમેન ડબલ ડિજિટમાં સ્કોર કરી શક્યા હતા. હેનરિક ક્લાસેને સર્વાધિક 34 રન કર્યા જ્યારે જે. મ્લાન અને માર્કો જેન્સને અનુક્રમે 15 અને 14 રન બનાવ્યા. અન્ય કોઈ બેટર ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો નહોતો.


પહેલી વનડેમાં આફ્રિકાની, બીજી વનડેમાં ભારતની જીત


ઉલ્લેખનીય છે કે પહેલી વનડેમાં આફ્રિકાની તો બીજી વનડેમાં ભારતની જીત થયેલી છે અને હવે આફ્રિકા ટીમ સસ્તામાં આઉટ થઈ જતા ભારત માટે સિરિઝ જીતવાની પ્રબળ સંભાવના ઊભી થઈ છે. 100 રન પૂરા કરી લેતા જ ભારત સિરિઝ જીતી જશે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.