છેલ્લી વનડેમાં દક્ષિણ આફ્રિકા ખખડ્યું, 99 રનમાં ઓલઆઉટ, કુલદીપ યાદવની 4 વિકેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 18:03:12

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ વનડે શ્રેણીની અંતિમ વનડે મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ છેલ્લી મેચમાં ભારતીય બોલરોએ તરખાટ મચાવ્યો અને  સાઉથ આફ્રિકાને 99 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો ભારતનો નિર્ણય એકદમ સાચો સાબિત થયો હતો. કુલદીપ યાદવ, શાહબાઝ અહેમદ અને વી. સુંદરની સ્પિન ત્રિપુટીએ પ્રોટિયાસ બેટ્સમેનને ઘૂંટણિયે બેસાડી દીધા. ઉલ્લેખનીય છે કે, આ વનડેના ઇતિહાસમાં આફ્રિકાનો આ સૌથી ઓછો સ્કોર છે.


ભારતને મળ્યો 100 રનનો ટાર્ગેટ


બોલરની ઘાતક બોલિંગને કારણે આફ્રિકા ફક્ત 99 રન કરી શક્યું હતું અને ભારતને જીત માટે 100 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આફ્રિકાના હેનરિક ક્લાસેને સૌથી વધારે 34 રન બનાવ્યાં તો માર્કો જોનસને 14 અને જાનેમન મલાને 15 રન કર્યાં હતા.


કુલદીપે સૌથી વધુ 4 વિકેટ લીધી


ભારત તરફથી ચાઈનામેન કુલદીપ યાદવે સર્વાધિક વિકેટ લેતા 4.1 ઓવરના સ્પેલમાં 1 મેડન સહિત 18 રન આપતા 4 શિકાર કર્યા હતા. તે આ દરમિયાન હેટ્રિક લેતા પણ ચુક્યો હતો. તે સિવાય શાહબાઝ અહેમદ, વી. સુંદર અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી. ભારતીય સ્પિન એટકે સાઉથ આફ્રિકાની 80% વિકેટ ઝડપી.



માત્ર 3 બેટ્સમેન ડબલ ડિજિટમાં સ્કોર કરી શક્યા


સાઉથ આફ્રિકા વતી માત્ર ત્રણ બેટ્સમેન ડબલ ડિજિટમાં સ્કોર કરી શક્યા હતા. હેનરિક ક્લાસેને સર્વાધિક 34 રન કર્યા જ્યારે જે. મ્લાન અને માર્કો જેન્સને અનુક્રમે 15 અને 14 રન બનાવ્યા. અન્ય કોઈ બેટર ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો નહોતો.


પહેલી વનડેમાં આફ્રિકાની, બીજી વનડેમાં ભારતની જીત


ઉલ્લેખનીય છે કે પહેલી વનડેમાં આફ્રિકાની તો બીજી વનડેમાં ભારતની જીત થયેલી છે અને હવે આફ્રિકા ટીમ સસ્તામાં આઉટ થઈ જતા ભારત માટે સિરિઝ જીતવાની પ્રબળ સંભાવના ઊભી થઈ છે. 100 રન પૂરા કરી લેતા જ ભારત સિરિઝ જીતી જશે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.