છેલ્લી વનડેમાં દક્ષિણ આફ્રિકા ખખડ્યું, 99 રનમાં ઓલઆઉટ, કુલદીપ યાદવની 4 વિકેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 18:03:12

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ વનડે શ્રેણીની અંતિમ વનડે મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ છેલ્લી મેચમાં ભારતીય બોલરોએ તરખાટ મચાવ્યો અને  સાઉથ આફ્રિકાને 99 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો ભારતનો નિર્ણય એકદમ સાચો સાબિત થયો હતો. કુલદીપ યાદવ, શાહબાઝ અહેમદ અને વી. સુંદરની સ્પિન ત્રિપુટીએ પ્રોટિયાસ બેટ્સમેનને ઘૂંટણિયે બેસાડી દીધા. ઉલ્લેખનીય છે કે, આ વનડેના ઇતિહાસમાં આફ્રિકાનો આ સૌથી ઓછો સ્કોર છે.


ભારતને મળ્યો 100 રનનો ટાર્ગેટ


બોલરની ઘાતક બોલિંગને કારણે આફ્રિકા ફક્ત 99 રન કરી શક્યું હતું અને ભારતને જીત માટે 100 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આફ્રિકાના હેનરિક ક્લાસેને સૌથી વધારે 34 રન બનાવ્યાં તો માર્કો જોનસને 14 અને જાનેમન મલાને 15 રન કર્યાં હતા.


કુલદીપે સૌથી વધુ 4 વિકેટ લીધી


ભારત તરફથી ચાઈનામેન કુલદીપ યાદવે સર્વાધિક વિકેટ લેતા 4.1 ઓવરના સ્પેલમાં 1 મેડન સહિત 18 રન આપતા 4 શિકાર કર્યા હતા. તે આ દરમિયાન હેટ્રિક લેતા પણ ચુક્યો હતો. તે સિવાય શાહબાઝ અહેમદ, વી. સુંદર અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી. ભારતીય સ્પિન એટકે સાઉથ આફ્રિકાની 80% વિકેટ ઝડપી.



માત્ર 3 બેટ્સમેન ડબલ ડિજિટમાં સ્કોર કરી શક્યા


સાઉથ આફ્રિકા વતી માત્ર ત્રણ બેટ્સમેન ડબલ ડિજિટમાં સ્કોર કરી શક્યા હતા. હેનરિક ક્લાસેને સર્વાધિક 34 રન કર્યા જ્યારે જે. મ્લાન અને માર્કો જેન્સને અનુક્રમે 15 અને 14 રન બનાવ્યા. અન્ય કોઈ બેટર ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો નહોતો.


પહેલી વનડેમાં આફ્રિકાની, બીજી વનડેમાં ભારતની જીત


ઉલ્લેખનીય છે કે પહેલી વનડેમાં આફ્રિકાની તો બીજી વનડેમાં ભારતની જીત થયેલી છે અને હવે આફ્રિકા ટીમ સસ્તામાં આઉટ થઈ જતા ભારત માટે સિરિઝ જીતવાની પ્રબળ સંભાવના ઊભી થઈ છે. 100 રન પૂરા કરી લેતા જ ભારત સિરિઝ જીતી જશે. 




IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .