શ્રીલંકા સામે ભારતનો ઐતિહાસિક વિજય, વિરાટ, ગીલ અને સિરાજની ત્રિપુટીએ અપાવી જીત


  • Published By :
  • Published Date : 2023-01-15 20:42:02

ભારતે શ્રીલંકા (IND vs SL)ને 317 રનથી હરાવીને વન ડે સીરીઝને ક્લિન સ્વિપ કરી લીધી છે. વનડેમાં રનોના બાબતમાં આ સૌથી મોટી જીત છે. આ પહેલા ન્યુઝીલેન્ડએ આયરર્લેન્ડને 290 રનથી હરાવ્યું હતું. ભારતને આ પહેલા બર્મુડા સામે 2007માં 257 રનોથી જીત મળી હતી. કેરળના તિરૂઅનંતપુરમના ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ભારત માટે વિરાટ કોહલી અને શુભમન ગીલે જબરદસ્ત બેટિંગ કરી શ્રીલંકાના બોલરોને ધોઈ નાખ્યા હતા.  


કોહલી-ગીલે આપી મજબુત શરૂઆત 


ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીના અણનમ 166 અને શુભમન ગિલના 116 રનની મદદથી 50 ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 73 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, શ્રીલંકાની માત્ર 9 વિકેટ પડી હતી, કારણ કે તેમનો એક ખેલાડી ઈજાગ્રસ્ત હતો, તેથી ટીમને ઓલઆઉટ ગણવામાં આવી હતી. વનડે ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત છે. 


મોહમ્મદ સિરાઝ સૌથી સફળ બોલર


શ્રીલંકાને ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાઝે શરૂઆતમાં જ મોટા ઝટકા આપ્યા હતા. સિરાઝે બીજા જ ઓવરમાં અવિષ્કા ફર્નાન્ડોને પવેલિયન મોકલ્યા બાદ કુશલ મેન્ડિસ, વાનિંદુ હસરંગા, અને નુવાનિંદુ ફર્નાન્ડોને પણ સિરાઝે પહેલા પાવર પ્લેમાં જ આઉટ કરી દીધો હતો, શમીએ અસલંકાની વિકેટ લીધી હતી. 10 ઓવર બાદ શ્રીલંકાની 39 રન પર 5 વિકેટ હતી. સિરાઝે 34 રન આપીને 4 વિકેટ લીધી આ વન ડેમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.