શ્રીલંકા સામે ભારતનો ઐતિહાસિક વિજય, વિરાટ, ગીલ અને સિરાજની ત્રિપુટીએ અપાવી જીત


  • Published By :
  • Published Date : 2023-01-15 20:42:02

ભારતે શ્રીલંકા (IND vs SL)ને 317 રનથી હરાવીને વન ડે સીરીઝને ક્લિન સ્વિપ કરી લીધી છે. વનડેમાં રનોના બાબતમાં આ સૌથી મોટી જીત છે. આ પહેલા ન્યુઝીલેન્ડએ આયરર્લેન્ડને 290 રનથી હરાવ્યું હતું. ભારતને આ પહેલા બર્મુડા સામે 2007માં 257 રનોથી જીત મળી હતી. કેરળના તિરૂઅનંતપુરમના ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ભારત માટે વિરાટ કોહલી અને શુભમન ગીલે જબરદસ્ત બેટિંગ કરી શ્રીલંકાના બોલરોને ધોઈ નાખ્યા હતા.  


કોહલી-ગીલે આપી મજબુત શરૂઆત 


ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીના અણનમ 166 અને શુભમન ગિલના 116 રનની મદદથી 50 ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 73 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, શ્રીલંકાની માત્ર 9 વિકેટ પડી હતી, કારણ કે તેમનો એક ખેલાડી ઈજાગ્રસ્ત હતો, તેથી ટીમને ઓલઆઉટ ગણવામાં આવી હતી. વનડે ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત છે. 


મોહમ્મદ સિરાઝ સૌથી સફળ બોલર


શ્રીલંકાને ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાઝે શરૂઆતમાં જ મોટા ઝટકા આપ્યા હતા. સિરાઝે બીજા જ ઓવરમાં અવિષ્કા ફર્નાન્ડોને પવેલિયન મોકલ્યા બાદ કુશલ મેન્ડિસ, વાનિંદુ હસરંગા, અને નુવાનિંદુ ફર્નાન્ડોને પણ સિરાઝે પહેલા પાવર પ્લેમાં જ આઉટ કરી દીધો હતો, શમીએ અસલંકાની વિકેટ લીધી હતી. 10 ઓવર બાદ શ્રીલંકાની 39 રન પર 5 વિકેટ હતી. સિરાઝે 34 રન આપીને 4 વિકેટ લીધી આ વન ડેમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.