શ્રીલંકા સામે ભારતનો ઐતિહાસિક વિજય, વિરાટ, ગીલ અને સિરાજની ત્રિપુટીએ અપાવી જીત


  • Published By :
  • Published Date : 2023-01-15 20:42:02

ભારતે શ્રીલંકા (IND vs SL)ને 317 રનથી હરાવીને વન ડે સીરીઝને ક્લિન સ્વિપ કરી લીધી છે. વનડેમાં રનોના બાબતમાં આ સૌથી મોટી જીત છે. આ પહેલા ન્યુઝીલેન્ડએ આયરર્લેન્ડને 290 રનથી હરાવ્યું હતું. ભારતને આ પહેલા બર્મુડા સામે 2007માં 257 રનોથી જીત મળી હતી. કેરળના તિરૂઅનંતપુરમના ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ભારત માટે વિરાટ કોહલી અને શુભમન ગીલે જબરદસ્ત બેટિંગ કરી શ્રીલંકાના બોલરોને ધોઈ નાખ્યા હતા.  


કોહલી-ગીલે આપી મજબુત શરૂઆત 


ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીના અણનમ 166 અને શુભમન ગિલના 116 રનની મદદથી 50 ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 73 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, શ્રીલંકાની માત્ર 9 વિકેટ પડી હતી, કારણ કે તેમનો એક ખેલાડી ઈજાગ્રસ્ત હતો, તેથી ટીમને ઓલઆઉટ ગણવામાં આવી હતી. વનડે ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત છે. 


મોહમ્મદ સિરાઝ સૌથી સફળ બોલર


શ્રીલંકાને ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાઝે શરૂઆતમાં જ મોટા ઝટકા આપ્યા હતા. સિરાઝે બીજા જ ઓવરમાં અવિષ્કા ફર્નાન્ડોને પવેલિયન મોકલ્યા બાદ કુશલ મેન્ડિસ, વાનિંદુ હસરંગા, અને નુવાનિંદુ ફર્નાન્ડોને પણ સિરાઝે પહેલા પાવર પ્લેમાં જ આઉટ કરી દીધો હતો, શમીએ અસલંકાની વિકેટ લીધી હતી. 10 ઓવર બાદ શ્રીલંકાની 39 રન પર 5 વિકેટ હતી. સિરાઝે 34 રન આપીને 4 વિકેટ લીધી આ વન ડેમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.