ભારતે કર્યું અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ


  • Published By :
  • Published Date : 2022-12-16 09:58:57

ભારત દેશ પોતાની સુરક્ષા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. મિસાઈલ તેમજ આધુનિક હથિયારો ભારત વસાવી રહ્યું છે. ત્યારે ભારતની સુરક્ષામાં મદદગાર બનવા અગ્નિ-5 પણ સામેલ થઈ ગયું છે. ભારતે ગુરૂવારે અગ્નિ-5 બૈલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. આ મિસાઈલ પાસે 1360 કિલો સુધીના હથિયાર રાખવાની ક્ષમતા છે. ઉપરાંત આની મારક સમક્ષતા 5400 કિલોમીટરથી પણ વધારે છે. 



ઓડિશના તટ પર કરાયું પરિક્ષણ 

છેલ્લા ઘણા સમયથી ભારતના પાડોશી દેશો સાથે સંબંધો તંગ ચાલી રહ્યા છે. ચીન સાથે તવાંગ મુદ્દાને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે ભારતે અગ્નિ-5 બૈલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કરી લીધું છે. રક્ષા મંત્રાલયના સૂત્રો અનુસાર આ મિસાઈલની સમક્ષતા વધારો થયો છે અને ઘણા દૂર સુધી આ મિસાઈલ જઈ શકે છે. ચીન સામે ભારતની તાકાતને વધારવા અગ્નિ મિસાઈલ લોન્ચ કરવામાં આવી છે. પરમાણુ સક્ષમ બૈલિસ્ટિક મિસાઈલનું ઓડિશાના તટ નજીક પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ભારત પોતાની શક્તિ વધારી રહ્યું છે.  

agni 5 nuclear capable ballistic missile can destroy enemy beyond 5000km  night trials successful sb – News18 Gujarati


બૈલિસ્ટિક મિસાઈલોની સીરિઝમાં છે સામેલ 

છેલ્લા ઘણા સમયથી ભારત અગ્નિ-5 પરિક્ષણ યોજના પર કામ કરી રહ્યું હતું. ભારતમાં વિકસિત મધ્યમ અને લાંબા અંતરની પરમાણુ સક્ષમ બૈલિસ્ટિક મિસાઈલોની સીરિઝમાં આ મિસાઈલ પાંચમાં ક્રમે આવે છે. આ મિસાઈલનું પ્રથમ પરિક્ષણ વર્ષ 2012માં કરાયું હતું. જે બાદ 2013, વર્ષ 2015, વર્ષ 2016, વર્ષ 2018 અને 2022માં કરવામાં આવ્યું હતું.     




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.