ભારતે કર્યું અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ


  • Published By :
  • Published Date : 2022-12-16 09:58:57

ભારત દેશ પોતાની સુરક્ષા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. મિસાઈલ તેમજ આધુનિક હથિયારો ભારત વસાવી રહ્યું છે. ત્યારે ભારતની સુરક્ષામાં મદદગાર બનવા અગ્નિ-5 પણ સામેલ થઈ ગયું છે. ભારતે ગુરૂવારે અગ્નિ-5 બૈલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. આ મિસાઈલ પાસે 1360 કિલો સુધીના હથિયાર રાખવાની ક્ષમતા છે. ઉપરાંત આની મારક સમક્ષતા 5400 કિલોમીટરથી પણ વધારે છે. 



ઓડિશના તટ પર કરાયું પરિક્ષણ 

છેલ્લા ઘણા સમયથી ભારતના પાડોશી દેશો સાથે સંબંધો તંગ ચાલી રહ્યા છે. ચીન સાથે તવાંગ મુદ્દાને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે ભારતે અગ્નિ-5 બૈલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કરી લીધું છે. રક્ષા મંત્રાલયના સૂત્રો અનુસાર આ મિસાઈલની સમક્ષતા વધારો થયો છે અને ઘણા દૂર સુધી આ મિસાઈલ જઈ શકે છે. ચીન સામે ભારતની તાકાતને વધારવા અગ્નિ મિસાઈલ લોન્ચ કરવામાં આવી છે. પરમાણુ સક્ષમ બૈલિસ્ટિક મિસાઈલનું ઓડિશાના તટ નજીક પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ભારત પોતાની શક્તિ વધારી રહ્યું છે.  

agni 5 nuclear capable ballistic missile can destroy enemy beyond 5000km  night trials successful sb – News18 Gujarati


બૈલિસ્ટિક મિસાઈલોની સીરિઝમાં છે સામેલ 

છેલ્લા ઘણા સમયથી ભારત અગ્નિ-5 પરિક્ષણ યોજના પર કામ કરી રહ્યું હતું. ભારતમાં વિકસિત મધ્યમ અને લાંબા અંતરની પરમાણુ સક્ષમ બૈલિસ્ટિક મિસાઈલોની સીરિઝમાં આ મિસાઈલ પાંચમાં ક્રમે આવે છે. આ મિસાઈલનું પ્રથમ પરિક્ષણ વર્ષ 2012માં કરાયું હતું. જે બાદ 2013, વર્ષ 2015, વર્ષ 2016, વર્ષ 2018 અને 2022માં કરવામાં આવ્યું હતું.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.