ભારતે કર્યું અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ


  • Published By :
  • Published Date : 2022-12-16 09:58:57

ભારત દેશ પોતાની સુરક્ષા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. મિસાઈલ તેમજ આધુનિક હથિયારો ભારત વસાવી રહ્યું છે. ત્યારે ભારતની સુરક્ષામાં મદદગાર બનવા અગ્નિ-5 પણ સામેલ થઈ ગયું છે. ભારતે ગુરૂવારે અગ્નિ-5 બૈલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. આ મિસાઈલ પાસે 1360 કિલો સુધીના હથિયાર રાખવાની ક્ષમતા છે. ઉપરાંત આની મારક સમક્ષતા 5400 કિલોમીટરથી પણ વધારે છે. 



ઓડિશના તટ પર કરાયું પરિક્ષણ 

છેલ્લા ઘણા સમયથી ભારતના પાડોશી દેશો સાથે સંબંધો તંગ ચાલી રહ્યા છે. ચીન સાથે તવાંગ મુદ્દાને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે ભારતે અગ્નિ-5 બૈલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કરી લીધું છે. રક્ષા મંત્રાલયના સૂત્રો અનુસાર આ મિસાઈલની સમક્ષતા વધારો થયો છે અને ઘણા દૂર સુધી આ મિસાઈલ જઈ શકે છે. ચીન સામે ભારતની તાકાતને વધારવા અગ્નિ મિસાઈલ લોન્ચ કરવામાં આવી છે. પરમાણુ સક્ષમ બૈલિસ્ટિક મિસાઈલનું ઓડિશાના તટ નજીક પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ભારત પોતાની શક્તિ વધારી રહ્યું છે.  

agni 5 nuclear capable ballistic missile can destroy enemy beyond 5000km  night trials successful sb – News18 Gujarati


બૈલિસ્ટિક મિસાઈલોની સીરિઝમાં છે સામેલ 

છેલ્લા ઘણા સમયથી ભારત અગ્નિ-5 પરિક્ષણ યોજના પર કામ કરી રહ્યું હતું. ભારતમાં વિકસિત મધ્યમ અને લાંબા અંતરની પરમાણુ સક્ષમ બૈલિસ્ટિક મિસાઈલોની સીરિઝમાં આ મિસાઈલ પાંચમાં ક્રમે આવે છે. આ મિસાઈલનું પ્રથમ પરિક્ષણ વર્ષ 2012માં કરાયું હતું. જે બાદ 2013, વર્ષ 2015, વર્ષ 2016, વર્ષ 2018 અને 2022માં કરવામાં આવ્યું હતું.     




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.