ભારતે કર્યું અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ


  • Published By :
  • Published Date : 2022-12-16 09:58:57

ભારત દેશ પોતાની સુરક્ષા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. મિસાઈલ તેમજ આધુનિક હથિયારો ભારત વસાવી રહ્યું છે. ત્યારે ભારતની સુરક્ષામાં મદદગાર બનવા અગ્નિ-5 પણ સામેલ થઈ ગયું છે. ભારતે ગુરૂવારે અગ્નિ-5 બૈલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. આ મિસાઈલ પાસે 1360 કિલો સુધીના હથિયાર રાખવાની ક્ષમતા છે. ઉપરાંત આની મારક સમક્ષતા 5400 કિલોમીટરથી પણ વધારે છે. 



ઓડિશના તટ પર કરાયું પરિક્ષણ 

છેલ્લા ઘણા સમયથી ભારતના પાડોશી દેશો સાથે સંબંધો તંગ ચાલી રહ્યા છે. ચીન સાથે તવાંગ મુદ્દાને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે ભારતે અગ્નિ-5 બૈલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કરી લીધું છે. રક્ષા મંત્રાલયના સૂત્રો અનુસાર આ મિસાઈલની સમક્ષતા વધારો થયો છે અને ઘણા દૂર સુધી આ મિસાઈલ જઈ શકે છે. ચીન સામે ભારતની તાકાતને વધારવા અગ્નિ મિસાઈલ લોન્ચ કરવામાં આવી છે. પરમાણુ સક્ષમ બૈલિસ્ટિક મિસાઈલનું ઓડિશાના તટ નજીક પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ભારત પોતાની શક્તિ વધારી રહ્યું છે.  

agni 5 nuclear capable ballistic missile can destroy enemy beyond 5000km  night trials successful sb – News18 Gujarati


બૈલિસ્ટિક મિસાઈલોની સીરિઝમાં છે સામેલ 

છેલ્લા ઘણા સમયથી ભારત અગ્નિ-5 પરિક્ષણ યોજના પર કામ કરી રહ્યું હતું. ભારતમાં વિકસિત મધ્યમ અને લાંબા અંતરની પરમાણુ સક્ષમ બૈલિસ્ટિક મિસાઈલોની સીરિઝમાં આ મિસાઈલ પાંચમાં ક્રમે આવે છે. આ મિસાઈલનું પ્રથમ પરિક્ષણ વર્ષ 2012માં કરાયું હતું. જે બાદ 2013, વર્ષ 2015, વર્ષ 2016, વર્ષ 2018 અને 2022માં કરવામાં આવ્યું હતું.     




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે