IND vs AUS: ભારતે વનડે સિરિઝ 2-1થી જીતી, ઓસ્ટ્રેલિયાનો વ્હાઈટવોશ કરવાનું ભારતનું સપનું રોળાયું


  • Published By :
  • Published Date : 2023-09-27 22:20:05

રાજકોટમાં રમાયેલી ત્રીજી વન ડે ઈન્ટરનેશનલ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાના હાથે 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મોટા સ્કોર સામે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ અને મેચ હારી ગઈ. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 352 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને જીતવા માટે 353 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં માત્ર 286 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ હતી. જો ભારત આ મેચ પણ જીતી ગયું હોત તો ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 3-0થી વ્હાઈટવોશ કરી દીધું હોત. જોકે, ભારત વનડે શ્રેણી 2-1થી જીતવામાં સફળ રહ્યું છે.


ઓસ્ટ્રેલિયાએ 352 રનનો મોટો સ્કોર બનાવ્યો 


ઓસ્ટ્રેલિયાએ ટોચના ચાર બેટ્સમેનોની અડધી સદીની ઇનિંગ્સના આધારે 7 વિકેટે 352 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર (56), મિશેલ માર્શ (96), સ્ટીવ સ્મિથ (74) અને માર્નસ લાબુશેને (72) અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહ (81 રનમાં ત્રણ વિકેટ) અને કુલદીપ યાદવ (છ ઓવરમાં 48 રનમાં બે વિકેટ) ઝડપી સૌથી સફળ બોલર બન્યા હતા. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક-એક વિકેટ લીધી હતી.


વોર્નર-માર્શની તોફાની બેટિંગ


ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ વોર્નરે 34 બોલની ઈનિંગમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તે પોતાની ભૂલને કારણે આઉટ થઈ ગયો હતો પરંતુ તે પહેલા તેણે ઓસ્ટ્રેલિયાને સારી સ્થિતીમાં પહોંચાડ્યું હતું. માર્શ માત્ર ચાર રનથી તેની સદી ચૂકી ગયો હતો જ્યારે સ્મિથ વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો હતો. લાબુશેન તેની અડધી સદીની ઇનિંગ્સ દરમિયાન ચાલુ વર્ષમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. 


કેવું રહ્યું ભારતના બોલરોનું પર્ફોર્મન્સ?


આ મેચમાં સિરાજે સ્મિથને LBW આઉટ કર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 61 બોલનો સામનો કર્યો અને આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. એલેક્સ કેરી (11)એ બુમરાહના ધીમા બોલ પર કવરમાં ઉભેલા વિરાટ કોહલીને આસાન કેચ આપ્યો હતો. બુમરાહે ગ્લેન મેક્સવેલ (05)ને બોલ્ડ કર્યો જ્યારે કુલદીપે કેમેરોન ગ્રીન (09)ને લોંગ ઓન પર કેચ કરાવ્યો. લેબુશેન અને પેટ કમિન્સ (અણનમ 19) એ 46 રન ઉમેર્યા અને ઓસ્ટ્રેલિયાને ભારત સામે ચોથા સૌથી વધુ સ્કોર સુધી પહોંચાડ્યું.



ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.