IND vs AUS: ભારતે વનડે સિરિઝ 2-1થી જીતી, ઓસ્ટ્રેલિયાનો વ્હાઈટવોશ કરવાનું ભારતનું સપનું રોળાયું


  • Published By :
  • Published Date : 2023-09-27 22:20:05

રાજકોટમાં રમાયેલી ત્રીજી વન ડે ઈન્ટરનેશનલ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાના હાથે 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મોટા સ્કોર સામે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ અને મેચ હારી ગઈ. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 352 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને જીતવા માટે 353 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં માત્ર 286 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ હતી. જો ભારત આ મેચ પણ જીતી ગયું હોત તો ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 3-0થી વ્હાઈટવોશ કરી દીધું હોત. જોકે, ભારત વનડે શ્રેણી 2-1થી જીતવામાં સફળ રહ્યું છે.


ઓસ્ટ્રેલિયાએ 352 રનનો મોટો સ્કોર બનાવ્યો 


ઓસ્ટ્રેલિયાએ ટોચના ચાર બેટ્સમેનોની અડધી સદીની ઇનિંગ્સના આધારે 7 વિકેટે 352 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર (56), મિશેલ માર્શ (96), સ્ટીવ સ્મિથ (74) અને માર્નસ લાબુશેને (72) અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહ (81 રનમાં ત્રણ વિકેટ) અને કુલદીપ યાદવ (છ ઓવરમાં 48 રનમાં બે વિકેટ) ઝડપી સૌથી સફળ બોલર બન્યા હતા. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક-એક વિકેટ લીધી હતી.


વોર્નર-માર્શની તોફાની બેટિંગ


ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ વોર્નરે 34 બોલની ઈનિંગમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તે પોતાની ભૂલને કારણે આઉટ થઈ ગયો હતો પરંતુ તે પહેલા તેણે ઓસ્ટ્રેલિયાને સારી સ્થિતીમાં પહોંચાડ્યું હતું. માર્શ માત્ર ચાર રનથી તેની સદી ચૂકી ગયો હતો જ્યારે સ્મિથ વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો હતો. લાબુશેન તેની અડધી સદીની ઇનિંગ્સ દરમિયાન ચાલુ વર્ષમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. 


કેવું રહ્યું ભારતના બોલરોનું પર્ફોર્મન્સ?


આ મેચમાં સિરાજે સ્મિથને LBW આઉટ કર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 61 બોલનો સામનો કર્યો અને આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. એલેક્સ કેરી (11)એ બુમરાહના ધીમા બોલ પર કવરમાં ઉભેલા વિરાટ કોહલીને આસાન કેચ આપ્યો હતો. બુમરાહે ગ્લેન મેક્સવેલ (05)ને બોલ્ડ કર્યો જ્યારે કુલદીપે કેમેરોન ગ્રીન (09)ને લોંગ ઓન પર કેચ કરાવ્યો. લેબુશેન અને પેટ કમિન્સ (અણનમ 19) એ 46 રન ઉમેર્યા અને ઓસ્ટ્રેલિયાને ભારત સામે ચોથા સૌથી વધુ સ્કોર સુધી પહોંચાડ્યું.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.