ઓસ્ટ્રેલિયા સામે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો 399 રનનો સ્કોર, શ્રેયસ-ગિલ પછી સૂર્યાએ બોલરોને જબરદસ્ત ધોયા


  • Published By :
  • Published Date : 2023-09-24 19:08:23

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમે ઇન્દોરમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બનાવીને ઈતિહાસ રચ્યો છે. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 399 રન બનાવ્યા છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાને આ મેચ જીતવા માટે 400 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઈન્દોર વનડેમાં ભારતીય ટીમે 2 સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને શુભમન ગીલે 104 રનની ઇનિંગ રમી હતી. તેમના સિવાય સૂર્યકુમાર યાદવે અણનમ 72 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન કેએલ રાહુલે 52 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલર ઓલરાઉન્ડર કેમરોન ગ્રીને 2 વિકેટ ઝડપી હતી.ભારતીય ટીમે પ્રથમ વનડે મેચ 5 વિકેટે જીતી લીધી હતી. આવી સ્થિતિમાં હવે ભારતીય ટીમ પાસે બીજી વનડે મેચ જીતીને શ્રેણી પર કબજો કરવાની સુવર્ણ તક છે. ઉલ્લેખનિય છે કે નવેમ્બર 2013માં બેંગલુરુ વનડેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે 283 રન બનાવ્યા હતા. 


ઐયર-ગિલની 200 રનની ભાગીદારી


શ્રેયસ ઐયરે શાનદાર બેટિંગ કરતાં 86 બોલમાં 100 રન પૂરા કર્યા હતા. આ તેની વનડે કરિયરની ત્રીજી સદી છે. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 90 બોલમાં 11 ફોર અને 3 સિક્સની મદદથી 105 રન બનાવ્યા હતા. શ્રેયસ સીન એબોટની બોલિંગમાં મેથ્યુ શોર્ટ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે અને ગિલે બીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલે વન ડે કરિયરની છઠ્ઠી સદી ફટકારી હતી ગિલે 97 બોલમાં 6 ફોર અને 4 સિક્સની મદદથી 104 રન બનાવ્યા હતા. તે કેમરૂન ગ્રીનની બોલિંગમાં કીપર કેરીના હાથે કેચ આઉટ થયો હતો.


ઓપનર  ઋતુરાજે માત્ર 8 રન બનાવ્યા


ભારતીય ઓપનર ઋતુરાજ ગાયકવાડ 12 બોલમાં 2 ફોરની મદદથી 8 રન બનાવી સસ્તામાં પેવેલિયન ભેગો થયો હતો. તે હેઝલવુડની બોલિંગમાં બોલને ડિફેન્ડ કરવા ફોરવર્ડ થઈને રમ્યો હતો. તેને લાગ્યું હતું કે બોલ એન્ગલ સાથે અંદર આવી રહ્યો છે. પરંતુ આવું થયું નહીં અને બોલ તેના બેટની એજ લઈને કીપર એલેક્સ કેરી પાસે ગયો, જેણે સરળ કેચ કર્યો હતો.  


ઓસ્ટ્રેલિયાનો ટોસ જીતીને બોલિંગનો નિર્ણય


ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના સ્ટેન્ડ ઈન કેપ્ટન સ્ટીવ સ્મિથે ભારત સામે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં ઇન્દોર ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પેટ કમિન્સ ઇજાને લીધે રમી રહ્યો નથી અને સ્મિથ તેની જગ્યાએ કપ્તાની કરી રહ્યો છે. ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ મેચ માટે ઉપલબ્ધ ન હોવાથી તેની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું છે.



ભારતની પ્લેઈંગ-11


શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ(વિકેટકીપર/કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણ


ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ-11


ડેવિડ વોર્નર, મેથ્યુ શોર્ટ, સ્ટીવન સ્મિથ(કેપ્ટન), માર્નસ લબુશેન, જોશ ઈંગ્લિસ, એલેક્સ કેરી(વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સીન એબોટ, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ, સ્પેન્સર જોનસન



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.