શરમજનક હાર સાથે ભારતનું સપનું ફરી રોળાયું, ઓસ્ટ્રેલિયા બન્યું ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન, રચ્યો ઈતિહાસ


  • Published By :
  • Published Date : 2023-06-11 17:41:36

આજે ઈંગ્લેન્ડમાં ફરી એકવાર ભારતીય ટીમનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાઈ ગયું. ઓસ્ટ્રેલિયાએ ઓવલમાં ભારતીય ટીમને 209 રને હરાવીને પ્રથમ વખત ટેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 296 રનમાં સમેટાઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 173 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ 270 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી અને ભારતને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી અને 209 રનથી મેચ હારી ગઈ છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા વનડે, T-20 અને ટેસ્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે.


ટોપ ઓર્ડર નિષ્ફળ 


ઓસ્ટ્રેલિયાના 469 રનના જવાબમાં ભારતનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. કેપ્ટન રોહિત શર્મા 15 રન, શુભમન ગિલ 13 રન, ચેતેશ્વર પુજારા 14 રન, વિરાટ કોહલી 14 રન બનાવીને આઉટ થયા હતા. ભારતે 71 રન સુધી 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રવિન્દ્ર જાડેજા અને રહાણેએ પાંચમી વિકેટ માટે 71 રનની ભાગીદારી નોંધાવી હતી. જાડેજા સ્લિપમાં ઓફ સ્પિનર ​​નાથન લિયોનના હાથે કેચ આઉટ થયો હતો. તે 48 રન બનાવી શક્યો હતો. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. 



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.