શરમજનક હાર સાથે ભારતનું સપનું ફરી રોળાયું, ઓસ્ટ્રેલિયા બન્યું ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન, રચ્યો ઈતિહાસ


  • Published By :
  • Published Date : 2023-06-11 17:41:36

આજે ઈંગ્લેન્ડમાં ફરી એકવાર ભારતીય ટીમનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાઈ ગયું. ઓસ્ટ્રેલિયાએ ઓવલમાં ભારતીય ટીમને 209 રને હરાવીને પ્રથમ વખત ટેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 296 રનમાં સમેટાઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 173 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ 270 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી અને ભારતને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી અને 209 રનથી મેચ હારી ગઈ છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા વનડે, T-20 અને ટેસ્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે.


ટોપ ઓર્ડર નિષ્ફળ 


ઓસ્ટ્રેલિયાના 469 રનના જવાબમાં ભારતનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. કેપ્ટન રોહિત શર્મા 15 રન, શુભમન ગિલ 13 રન, ચેતેશ્વર પુજારા 14 રન, વિરાટ કોહલી 14 રન બનાવીને આઉટ થયા હતા. ભારતે 71 રન સુધી 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રવિન્દ્ર જાડેજા અને રહાણેએ પાંચમી વિકેટ માટે 71 રનની ભાગીદારી નોંધાવી હતી. જાડેજા સ્લિપમાં ઓફ સ્પિનર ​​નાથન લિયોનના હાથે કેચ આઉટ થયો હતો. તે 48 રન બનાવી શક્યો હતો. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.