ન્યૂઝિલેન્ડ અને બાંગ્લાદેશ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિતના સ્થાને હાર્દિક પંડ્યા T20 ટીમનો કેપ્ટન


  • Published By :
  • Published Date : 2022-10-31 20:30:50


ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની સમાપ્તિ બાદ ભારતીય ટીમ તરત જ ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે. ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝ માટે હાર્દિક પંડ્યાની ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરી છે. ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે ઓપનર કેએલ રાહુલ પણ આ પ્રવાસનો ભાગ નહીં હોય. ટી20 વર્લ્ડ કપમાં ભારત માટે ફિનિશરની ભૂમિકા ભજવનાર અનુભવી વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક અને અશ્વિનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.


શિખર ધવન ODI સીરીઝનો કેપ્ટન 



સોમવારે ટીમની જાહેરાત કરતા BCCIએ કહ્યું કે શિખર ધવન આ પ્રવાસમાં યોજાનારી ODI શ્રેણીમાં ટીમનું સુકાન સંભાળશે, જ્યારે ઋષભ પંત બંને શ્રેણીમાં વાઇસ કેપ્ટન રહેશે. ભારતીય ટીમ 18 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ T20 મેચથી પ્રવાસની શરૂઆત કરશે. પ્રથમ મેચ વેલિંગ્ટનમાં રમાશે. ટીમ ઈન્ડિયા 18, 20 અને 22 નવેમ્બરે T20 મેચ રમશે અને ત્યારબાદ 25, 27 અને 30 નવેમ્બરે ODI મેચ રમશે.


ન્યુઝીલેન્ડ T20I માટે ટીમ ઇન્ડિયા:


હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), સુંદર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મો. સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.


ન્યુઝીલેન્ડ ODI માટે ટીમ ઇન્ડિયા:


શિખર ધવન (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ , દીપક ચાહર , કુલદીપ સેન , ઉમરાન મલિક.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.