વેસ્ટ ઈન્ડિઝ સામે આજે ટી 20 સીરીઝ સરભર કરવાના લક્ષ્ય સાથે ઉતરશે ભારત, જુઓ સંભવિત પ્લેઈંગ 11


  • Published By :
  • Published Date : 2023-08-06 19:57:58

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ વચ્ચે ટી20 શ્રેણીની બીજી મેચ રમાવા જઈ રહી છે, વન-ડે સીરીઝ અને પહેલી ટી20 મેચ ત્રિનિદાદ ખાતે રમ્યાં બાદ આજનો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝના ગુયાના ખાતે યોજાવાનો છે, ત્યારે આ મેચમાં યશસ્વી જયસ્વાલ ભારત તરફથી પોતાનું ડેબ્યૂ કરી શકે છે. પહેલી મેચમાં 4 રનથી હારનો સામનો કરેલી ભારતીય ટીમ આ મેચમાં વિજય મેળવીને શ્રેણી બરાબર કરવાના લક્ષ્ય સાથે ઉતરશે. 


યશસ્વી જયસ્વાલ કરી શકે છે ડેબ્યૂ, ઓપનિંગ કરવાની મળી શકે છે તક


પહેલી ટી20 મેચમાં ભારતના ઓપનર્સે કંઈ ખાસ પ્રદર્શન કર્યુ નહોતું, ઈશાન કિશન માત્ર 6 રન બનાવીને અને શુભમન ગિલ માત્ર 3 રન બનાવીને આઉટ થયાં હતા, ત્યારે હવે આ મેચની ઓપનીંગ જોડીમાં ફેરફાર થઈ શકે છે અને ભારત તરફથી યશસ્વી જયસ્વાલ પોતાનું ડેબ્યૂ કરી શકે છે. શુભમન ગિલ એ રાઈટ હેન્ડર બેટર છે,જ્યારે ઈશાન કિશાન એ ડાબોડી બેટર છે, તેથી ઈશાન કિશનની જગ્યાએ યશસ્વી જયસ્વાલને ઓપનર તરીકે તક આપીને લેફ્ટ-રાઈટનું કોમ્બિનેશન જાળવીને ભારતીય ટીમ મેચ જીતવાના આશય સાથે આજે મેદાનમાં ઉતરશે.


આ સિવાય બોલિંગ ઓર્ડરની વાત કરીએ તો આ મેચમાં આવેશ ખાન અને ઉમરાન મલિકને પણ તક મળવાની પૂર્ણ શક્યતાઓ છે. જ્યારે ગઈ મેચમાં ડેબ્યૂ કરનાર મુકેશ કુમારને આ મેચમાં આરામ આપવામાં આવી શકે છે. 


જુઓ ભારત અને વેસ્ટ ઈન્ડિઝના સંભવિત પ્લેઈંગ 11 


ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, આવેશ ખાન અને અર્શદીપ સિંહ.


વેસ્ટઈન્ડિઝ: રોવમેન પોવેલ (કેપ્ટન), બ્રેન્ડોન કિંગ, કાયલ મેયર્સ, જ્હોન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (વિકેટકીપર), શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ અને ઓબેડ મેકકોય.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી