વેસ્ટ ઈન્ડિઝ સામે આજે ટી 20 સીરીઝ સરભર કરવાના લક્ષ્ય સાથે ઉતરશે ભારત, જુઓ સંભવિત પ્લેઈંગ 11


  • Published By :
  • Published Date : 2023-08-06 19:57:58

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ વચ્ચે ટી20 શ્રેણીની બીજી મેચ રમાવા જઈ રહી છે, વન-ડે સીરીઝ અને પહેલી ટી20 મેચ ત્રિનિદાદ ખાતે રમ્યાં બાદ આજનો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝના ગુયાના ખાતે યોજાવાનો છે, ત્યારે આ મેચમાં યશસ્વી જયસ્વાલ ભારત તરફથી પોતાનું ડેબ્યૂ કરી શકે છે. પહેલી મેચમાં 4 રનથી હારનો સામનો કરેલી ભારતીય ટીમ આ મેચમાં વિજય મેળવીને શ્રેણી બરાબર કરવાના લક્ષ્ય સાથે ઉતરશે. 


યશસ્વી જયસ્વાલ કરી શકે છે ડેબ્યૂ, ઓપનિંગ કરવાની મળી શકે છે તક


પહેલી ટી20 મેચમાં ભારતના ઓપનર્સે કંઈ ખાસ પ્રદર્શન કર્યુ નહોતું, ઈશાન કિશન માત્ર 6 રન બનાવીને અને શુભમન ગિલ માત્ર 3 રન બનાવીને આઉટ થયાં હતા, ત્યારે હવે આ મેચની ઓપનીંગ જોડીમાં ફેરફાર થઈ શકે છે અને ભારત તરફથી યશસ્વી જયસ્વાલ પોતાનું ડેબ્યૂ કરી શકે છે. શુભમન ગિલ એ રાઈટ હેન્ડર બેટર છે,જ્યારે ઈશાન કિશાન એ ડાબોડી બેટર છે, તેથી ઈશાન કિશનની જગ્યાએ યશસ્વી જયસ્વાલને ઓપનર તરીકે તક આપીને લેફ્ટ-રાઈટનું કોમ્બિનેશન જાળવીને ભારતીય ટીમ મેચ જીતવાના આશય સાથે આજે મેદાનમાં ઉતરશે.


આ સિવાય બોલિંગ ઓર્ડરની વાત કરીએ તો આ મેચમાં આવેશ ખાન અને ઉમરાન મલિકને પણ તક મળવાની પૂર્ણ શક્યતાઓ છે. જ્યારે ગઈ મેચમાં ડેબ્યૂ કરનાર મુકેશ કુમારને આ મેચમાં આરામ આપવામાં આવી શકે છે. 


જુઓ ભારત અને વેસ્ટ ઈન્ડિઝના સંભવિત પ્લેઈંગ 11 


ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, આવેશ ખાન અને અર્શદીપ સિંહ.


વેસ્ટઈન્ડિઝ: રોવમેન પોવેલ (કેપ્ટન), બ્રેન્ડોન કિંગ, કાયલ મેયર્સ, જ્હોન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (વિકેટકીપર), શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ અને ઓબેડ મેકકોય.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.