વેસ્ટ ઈન્ડિઝ સામે આજે ટી 20 સીરીઝ સરભર કરવાના લક્ષ્ય સાથે ઉતરશે ભારત, જુઓ સંભવિત પ્લેઈંગ 11


  • Published By :
  • Published Date : 2023-08-06 19:57:58

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ વચ્ચે ટી20 શ્રેણીની બીજી મેચ રમાવા જઈ રહી છે, વન-ડે સીરીઝ અને પહેલી ટી20 મેચ ત્રિનિદાદ ખાતે રમ્યાં બાદ આજનો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝના ગુયાના ખાતે યોજાવાનો છે, ત્યારે આ મેચમાં યશસ્વી જયસ્વાલ ભારત તરફથી પોતાનું ડેબ્યૂ કરી શકે છે. પહેલી મેચમાં 4 રનથી હારનો સામનો કરેલી ભારતીય ટીમ આ મેચમાં વિજય મેળવીને શ્રેણી બરાબર કરવાના લક્ષ્ય સાથે ઉતરશે. 


યશસ્વી જયસ્વાલ કરી શકે છે ડેબ્યૂ, ઓપનિંગ કરવાની મળી શકે છે તક


પહેલી ટી20 મેચમાં ભારતના ઓપનર્સે કંઈ ખાસ પ્રદર્શન કર્યુ નહોતું, ઈશાન કિશન માત્ર 6 રન બનાવીને અને શુભમન ગિલ માત્ર 3 રન બનાવીને આઉટ થયાં હતા, ત્યારે હવે આ મેચની ઓપનીંગ જોડીમાં ફેરફાર થઈ શકે છે અને ભારત તરફથી યશસ્વી જયસ્વાલ પોતાનું ડેબ્યૂ કરી શકે છે. શુભમન ગિલ એ રાઈટ હેન્ડર બેટર છે,જ્યારે ઈશાન કિશાન એ ડાબોડી બેટર છે, તેથી ઈશાન કિશનની જગ્યાએ યશસ્વી જયસ્વાલને ઓપનર તરીકે તક આપીને લેફ્ટ-રાઈટનું કોમ્બિનેશન જાળવીને ભારતીય ટીમ મેચ જીતવાના આશય સાથે આજે મેદાનમાં ઉતરશે.


આ સિવાય બોલિંગ ઓર્ડરની વાત કરીએ તો આ મેચમાં આવેશ ખાન અને ઉમરાન મલિકને પણ તક મળવાની પૂર્ણ શક્યતાઓ છે. જ્યારે ગઈ મેચમાં ડેબ્યૂ કરનાર મુકેશ કુમારને આ મેચમાં આરામ આપવામાં આવી શકે છે. 


જુઓ ભારત અને વેસ્ટ ઈન્ડિઝના સંભવિત પ્લેઈંગ 11 


ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, આવેશ ખાન અને અર્શદીપ સિંહ.


વેસ્ટઈન્ડિઝ: રોવમેન પોવેલ (કેપ્ટન), બ્રેન્ડોન કિંગ, કાયલ મેયર્સ, જ્હોન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (વિકેટકીપર), શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ અને ઓબેડ મેકકોય.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.