બુદ્ધ અને ગાંધીના ભારતમાં વિશ્વને મળશે શાંતિનો સંદેશઃ પ્રધાનમંત્રી મોદી


  • Published By :
  • Published Date : 2022-11-16 22:33:51

ઈંડોનેશિયના બાલીમાં ગ્લોબલ-20ની બેઠક આજે પૂર્ણ થઈ છે. જી-20ના યજમાન ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ આગામી વર્ષની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોંપી હતી. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દુનિયાની નજર હવે ભારત તરફ છે. દુનિયાને ભારત તરફથી આશા છે. 


G-20માં વિશ્વ નેતાઓ વચ્ચે મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં, બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક, ઈટલીના મહિલા પ્રધાનમંત્રી જૉર્જિયા મેલોની, યજમાન ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સહિતના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.  


આગામી વર્ષ 2023ના ડિસેમ્બર મહિનામાં ભારત ગ્લોબલ-20 એટલે કે જી-20 બેઠકની યજમાની કરશે. કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનના ઉદયપુરમાં જી-20 બેઠકનું ઉદ્ઘાટન થશે. જી 20 બેઠકમાં વિવિધ દેશો સાથે ભારતની વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે. વર્ષ 2024માં જી 20 બેઠકની યજમાની બ્રાઝીલ કરશે. અગાઉ ચર્ચા ચાલી રહી હતી કે નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં જી-20 બેઠક યોજી માસ્ટર સ્ટ્રોક રમશે. જેનાથી જમ્મુમાં ચાલી રહેલી આતંકવાદી પ્રક્રિયા દુનિયા સામે ખુલ્લી પડે, હવે ઉદયપુર, જોધપુર અને જયપુરમાં વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ યોજાશે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.