બુદ્ધ અને ગાંધીના ભારતમાં વિશ્વને મળશે શાંતિનો સંદેશઃ પ્રધાનમંત્રી મોદી


  • Published By :
  • Published Date : 2022-11-16 22:33:51

ઈંડોનેશિયના બાલીમાં ગ્લોબલ-20ની બેઠક આજે પૂર્ણ થઈ છે. જી-20ના યજમાન ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ આગામી વર્ષની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોંપી હતી. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દુનિયાની નજર હવે ભારત તરફ છે. દુનિયાને ભારત તરફથી આશા છે. 


G-20માં વિશ્વ નેતાઓ વચ્ચે મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં, બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક, ઈટલીના મહિલા પ્રધાનમંત્રી જૉર્જિયા મેલોની, યજમાન ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સહિતના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.  


આગામી વર્ષ 2023ના ડિસેમ્બર મહિનામાં ભારત ગ્લોબલ-20 એટલે કે જી-20 બેઠકની યજમાની કરશે. કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનના ઉદયપુરમાં જી-20 બેઠકનું ઉદ્ઘાટન થશે. જી 20 બેઠકમાં વિવિધ દેશો સાથે ભારતની વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે. વર્ષ 2024માં જી 20 બેઠકની યજમાની બ્રાઝીલ કરશે. અગાઉ ચર્ચા ચાલી રહી હતી કે નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં જી-20 બેઠક યોજી માસ્ટર સ્ટ્રોક રમશે. જેનાથી જમ્મુમાં ચાલી રહેલી આતંકવાદી પ્રક્રિયા દુનિયા સામે ખુલ્લી પડે, હવે ઉદયપુર, જોધપુર અને જયપુરમાં વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ યોજાશે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.