બુદ્ધ અને ગાંધીના ભારતમાં વિશ્વને મળશે શાંતિનો સંદેશઃ પ્રધાનમંત્રી મોદી


  • Published By :
  • Published Date : 2022-11-16 22:33:51

ઈંડોનેશિયના બાલીમાં ગ્લોબલ-20ની બેઠક આજે પૂર્ણ થઈ છે. જી-20ના યજમાન ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ આગામી વર્ષની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોંપી હતી. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દુનિયાની નજર હવે ભારત તરફ છે. દુનિયાને ભારત તરફથી આશા છે. 


G-20માં વિશ્વ નેતાઓ વચ્ચે મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં, બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક, ઈટલીના મહિલા પ્રધાનમંત્રી જૉર્જિયા મેલોની, યજમાન ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સહિતના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.  


આગામી વર્ષ 2023ના ડિસેમ્બર મહિનામાં ભારત ગ્લોબલ-20 એટલે કે જી-20 બેઠકની યજમાની કરશે. કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનના ઉદયપુરમાં જી-20 બેઠકનું ઉદ્ઘાટન થશે. જી 20 બેઠકમાં વિવિધ દેશો સાથે ભારતની વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે. વર્ષ 2024માં જી 20 બેઠકની યજમાની બ્રાઝીલ કરશે. અગાઉ ચર્ચા ચાલી રહી હતી કે નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં જી-20 બેઠક યોજી માસ્ટર સ્ટ્રોક રમશે. જેનાથી જમ્મુમાં ચાલી રહેલી આતંકવાદી પ્રક્રિયા દુનિયા સામે ખુલ્લી પડે, હવે ઉદયપુર, જોધપુર અને જયપુરમાં વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ યોજાશે. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.