ભારતે 2-1થી જીતી વન-ડે શ્રેણી, ત્રીજી અને નિર્ણાયક મેચમાં 200 રનથી જીતી મેચ


  • Published By :
  • Published Date : 2023-08-02 16:50:57

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલ વન-ડે સીરીઝ પર ભારતીય ટીમે કબજો કર્યો છે, છેલ્લી અને નિર્ણાયક એવી ત્રીજી વન-ડે મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવી ભવ્ય વિજય હાંસિલ કર્યો છે, જેની સાથે ભારતીયે ટીમે 2-1થી વન-ડે શ્રેણી પણ પોતાના નામે કરી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીયે ટીમે આ પહેલા 1-0 થી ટેસ્ટ શ્રેણી જીતી હતી, ત્યારબાદ આજે 2-1થી વન-ડે શ્રેણી પણ જીતી છે, અને હવે ભારતીય ટીમની નજર આવનારી ટી20 શ્રેણી પર રહેવાની છે. 

ગિલ, ઈશાન, પંડ્યા અને સેમસનની ફિફ્ટીની મદદથી મળી જીત 


ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય વેસ્ટ ઈન્ડિઝની ટીમે કર્યો હતો. જેથી પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે કુલ 351 રન સ્કોર બોર્ડ પર લગાવી દીધાં હતાં, જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ 70 રન, શુભમન ગિલે 85 રન, ઈશાન કિશને 77 રન અને સંજુ સેમસને 51 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ 35 રન ફટકારીને મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે વેસ્ટઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે બે વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અલ્ઝારી જોસેફ, ગુડાકેશ મોતી અને યાનિક કારિયાને એક-એક સફળતા મળી હતી.


ટેસ્ટ અને વન-ડે શ્રેણી જીત્યા બાદ ટી20 સીરીઝ જીતવા પર ભારતની નજર


વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે 2 મેચની ટેસ્ટ સીરીઝ 1-0થી અને 3 મેચની વન-ડે સીરીઝ 2-1થી પોતાને નામ કરી છે, જ્યારે હવે ટીમ ઈન્ડિયાનું આગામી લક્ષ્ય વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી 5 મેચની ટી20 શ્રેણી પર રહેશે. આ ટી20 શ્રેણી 3 ઓગસ્ટથી શરુ થશે, જેમાં પહેલી મેચ 3 ઓગસ્ટના રોજ ત્રિનિદાદમાં, બીજી અને ત્રીજી ટી20 મેચ અનુક્રમે 6 ઓગસ્ટ અને 8 ઓગસ્ટના રોજ ગુયાનામાં જ્યારે ચોથી અને પાંચમી ટી20 મેચ અનુક્રમે 12 ઓગસ્ટ અને 13 ઓગસ્ટના રોજ ફ્લોરિડામાં રમાશે. જે માટેની સંભવત ટીમ બહાર પાડવામાં આવી છે. 


વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 શ્રેણીની સંભવિત ભારતીય ટીમ 


ભારત : ઈશાન કિશન, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટે કિપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ , રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન અને મુકેશ કુમાર.


વેસ્ટ ઈન્ડિઝ : રોવમેન પોવેલ (કેપ્ટન), કાયલ મેયર્સ (વાઈસ-કેપ્ટન), જ્હોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, ઓબેડ મેકકોય, નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ અને ઓશેન થોમસ.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.