ભારતે 2-1થી જીતી વન-ડે શ્રેણી, ત્રીજી અને નિર્ણાયક મેચમાં 200 રનથી જીતી મેચ


  • Published By :
  • Published Date : 2023-08-02 16:50:57

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલ વન-ડે સીરીઝ પર ભારતીય ટીમે કબજો કર્યો છે, છેલ્લી અને નિર્ણાયક એવી ત્રીજી વન-ડે મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવી ભવ્ય વિજય હાંસિલ કર્યો છે, જેની સાથે ભારતીયે ટીમે 2-1થી વન-ડે શ્રેણી પણ પોતાના નામે કરી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીયે ટીમે આ પહેલા 1-0 થી ટેસ્ટ શ્રેણી જીતી હતી, ત્યારબાદ આજે 2-1થી વન-ડે શ્રેણી પણ જીતી છે, અને હવે ભારતીય ટીમની નજર આવનારી ટી20 શ્રેણી પર રહેવાની છે. 

ગિલ, ઈશાન, પંડ્યા અને સેમસનની ફિફ્ટીની મદદથી મળી જીત 


ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય વેસ્ટ ઈન્ડિઝની ટીમે કર્યો હતો. જેથી પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે કુલ 351 રન સ્કોર બોર્ડ પર લગાવી દીધાં હતાં, જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ 70 રન, શુભમન ગિલે 85 રન, ઈશાન કિશને 77 રન અને સંજુ સેમસને 51 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ 35 રન ફટકારીને મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે વેસ્ટઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે બે વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અલ્ઝારી જોસેફ, ગુડાકેશ મોતી અને યાનિક કારિયાને એક-એક સફળતા મળી હતી.


ટેસ્ટ અને વન-ડે શ્રેણી જીત્યા બાદ ટી20 સીરીઝ જીતવા પર ભારતની નજર


વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે 2 મેચની ટેસ્ટ સીરીઝ 1-0થી અને 3 મેચની વન-ડે સીરીઝ 2-1થી પોતાને નામ કરી છે, જ્યારે હવે ટીમ ઈન્ડિયાનું આગામી લક્ષ્ય વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી 5 મેચની ટી20 શ્રેણી પર રહેશે. આ ટી20 શ્રેણી 3 ઓગસ્ટથી શરુ થશે, જેમાં પહેલી મેચ 3 ઓગસ્ટના રોજ ત્રિનિદાદમાં, બીજી અને ત્રીજી ટી20 મેચ અનુક્રમે 6 ઓગસ્ટ અને 8 ઓગસ્ટના રોજ ગુયાનામાં જ્યારે ચોથી અને પાંચમી ટી20 મેચ અનુક્રમે 12 ઓગસ્ટ અને 13 ઓગસ્ટના રોજ ફ્લોરિડામાં રમાશે. જે માટેની સંભવત ટીમ બહાર પાડવામાં આવી છે. 


વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 શ્રેણીની સંભવિત ભારતીય ટીમ 


ભારત : ઈશાન કિશન, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટે કિપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ , રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન અને મુકેશ કુમાર.


વેસ્ટ ઈન્ડિઝ : રોવમેન પોવેલ (કેપ્ટન), કાયલ મેયર્સ (વાઈસ-કેપ્ટન), જ્હોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, ઓબેડ મેકકોય, નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ અને ઓશેન થોમસ.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.