Australia સામે ભારતીય ક્રિકેટ ટીમ રમશે T20, Indian ટીમની કરાઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવને સોંપાઈ મહત્વની જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-11-21 08:48:27

19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાઈ હતી. ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ફાઈનલમાં પરાજય પછી ફરી એક વખત ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે ટકરવાની છે. ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. આ મેચમાં જે ખેલાડીઓ વર્લ્ડ કપની મેચમાં રમ્યા હતા તેને આરામ આપવામાં આવ્યો છે. કેપ્ટન તરીકેની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે.

શું છે સમગ્ર કાર્યક્રમ?

23 નવેમ્બરથી વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાવાની છે. બીજી મેચનું આયોજન તિરૂવનંતપુરમમાં થશે, જ્યારે ત્રીજી મેચ 28 નવેમ્બરે ગુવાહાટીમાં યોજાવાની છે. પહેલી ડિસેમ્બરે રાયપુરમાં આ શ્રેણીની ચોથી મેચ જ્યારે 3 ડિસેમ્બરે આ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આ શ્રેણી અંતર્ગત મેચ બેંગલુરૂમાં રમાવાની છે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યાથી રમાવાની છે. આ વખતની મેચમાં ભારતીય ટીમમાં અક્ષર પટેલ રમશે, મુકેશ કુમાર તેમજ અર્શદીપને તક આપવામાં આવી છે. 


 

ભારતીય ટીમના આ છે ખેલાડીઓ 

20 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાનારી મેચને લઈ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમના નામ ઘોષિત કરવામાં આવ્યા છે. આ ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામા આવી છે. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઋતુરાજ ગાયકવાડને  વાઈસ-કેપ્ટન તરીકેની જવાબદારી સોંપાવામાં આવી છે. તે સિવાય ટીમમાં ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, આવેશ ખાન, મુકેશ કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


     



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .