ઓસ્કાર એવોર્ડ 2023 માટે ભારતની ફિલ્મો થઈ શોર્ટલિસ્ટ


  • Published By :
  • Published Date : 2023-01-10 16:12:11

ભારતની 5 ફિલ્મો ઓસ્કર માટે શોટલિસ્ટ થઈ છે. જેમાં ધ કાશ્મીર ફાઇલ્સ, RRR,ગંગુબાઈ કાઠિયાવાડી,કંતારા અને છેલ્લો શોનો સમાવેશ થાય છે. સૌથી લોકપ્રિય થયેલી ફિલ્મ કંતારા પણ ઓસ્કાર માટે શોટલિસ્ટ થઈ છે. RRRએ તેમજ ધ કાશ્મીર ફાઈલ્સે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. સંજય લીલી ભંસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું નામ પણ શોર્ટલિસ્ટમાં થયું છે. ગુજરાતી ફિલ્મ છેલ્લો શો તો પહેલેથી જ શોટલિસ્ટ થઈ ચૂકી હતી.


આ ફિલ્મો થઈ છે શોર્ટલિસ્ટ 

મીડિયા રિપોર્ટની માનીએ તો ધ કાશ્મીર ફાઈલ્સ સિવાય ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ શૉ, RRR,ઓલ ધેટ બ્રિથ્સ, અને ધ એલિફન્ટ વિસ્પર્સ, અને કાંતારાને પણ શોર્ટ લિસ્ટ કરાઈ છે. જો કે આ બધી ફિલ્મ શોર્ટલિસ્ટ કરાઈ છે હોં. કોઈ ફિલ્મનું નોમિનેશન નથી થયું. 24 જાન્યુઆરી બાદ ખબર પડશે કે આમાંથી કઈ ફિલ્મને ઓસ્કાર માટે નોમિનેટ કરાઈ છે. 


RRR ફિલ્મ થઈ છે શોર્ટલિસ્ટ 

માર્ચ 2022ના રીલીઝ થયેલી જુનિયર એનટીઆર અને રામચરણની આર આર આર ફિલ્મે જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મ 1920ના સદીના બે ભારતીય ક્રાંતિકારી અલ્લુરી સીતારામ રાજુ અને કૌમારામ ભીમની લાઈફ પર બેઝ્ડ ફિલ્મ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ હતી. 550 કરોડમાં બનેલી આરઆરઆરે 1204 કરોડની કમાણી કરી હતી. 


શોર્ટલિસ્ટમાં ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ શોનો પણ થયો સમાવેશ 

ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ શોને પણ શોર્ટલિસ્ટ કરાઈ છે. આ ફિલ્મ આત્મકથાત્મક નાટક છે. એક બાળકની સિનેમા પ્રત્યેનો રસ અને સિનેમાના બદલાતા સ્વરૂપને આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ભાવિન રબારી, વિકાસ બાટા, રિચા મીના, ભાવેશ શ્રીમાલી, દિપેન રાવલ અને રાહુલ કોલી જેવા ઉમદા કલાકારો છે. 


ધ કાશ્મીર ફાઈલ્સ પણ થયું છે શોર્ટલિસ્ટ

અને હવે છેલ્લે વાત કરવી છે કાશ્મીર ફાઈલ્સની. આ ફિલ્મ વિવેક અગ્નિહોત્રીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં 90ના દશકમાં થયેલા કાશ્મીરી પંડીતોના અને હિંદુઓના નરસંહારની સ્ટોરીને દેખાડવામાં આવ્યો છે. ફિલ્મમાં અનુપમ ખેર અને મિથુન દા જેવા મોટા કલાકારોએ કામ કર્યું છે. વિવેક અગ્નિહોત્રી કહી રહ્યા છે કે આ ફિલ્મને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરાઈ છે પરંતુ અમુક મીડિયા રિપોર્ટ એવું પણ કહી રહ્યા છે કે ધ કાશ્મીર ફાઈલ્સ શોર્ટલિસ્ટ નથી કરાઈ. ધ કાશ્મીર ફાઈલ્સ અત્યાર સુધી માત્ર ઓસ્કાર માટે હરિફાઈમાં જ છે.   




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.