ઓસ્કાર એવોર્ડ 2023 માટે ભારતની ફિલ્મો થઈ શોર્ટલિસ્ટ


  • Published By :
  • Published Date : 2023-01-10 16:12:11

ભારતની 5 ફિલ્મો ઓસ્કર માટે શોટલિસ્ટ થઈ છે. જેમાં ધ કાશ્મીર ફાઇલ્સ, RRR,ગંગુબાઈ કાઠિયાવાડી,કંતારા અને છેલ્લો શોનો સમાવેશ થાય છે. સૌથી લોકપ્રિય થયેલી ફિલ્મ કંતારા પણ ઓસ્કાર માટે શોટલિસ્ટ થઈ છે. RRRએ તેમજ ધ કાશ્મીર ફાઈલ્સે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. સંજય લીલી ભંસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું નામ પણ શોર્ટલિસ્ટમાં થયું છે. ગુજરાતી ફિલ્મ છેલ્લો શો તો પહેલેથી જ શોટલિસ્ટ થઈ ચૂકી હતી.


આ ફિલ્મો થઈ છે શોર્ટલિસ્ટ 

મીડિયા રિપોર્ટની માનીએ તો ધ કાશ્મીર ફાઈલ્સ સિવાય ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ શૉ, RRR,ઓલ ધેટ બ્રિથ્સ, અને ધ એલિફન્ટ વિસ્પર્સ, અને કાંતારાને પણ શોર્ટ લિસ્ટ કરાઈ છે. જો કે આ બધી ફિલ્મ શોર્ટલિસ્ટ કરાઈ છે હોં. કોઈ ફિલ્મનું નોમિનેશન નથી થયું. 24 જાન્યુઆરી બાદ ખબર પડશે કે આમાંથી કઈ ફિલ્મને ઓસ્કાર માટે નોમિનેટ કરાઈ છે. 


RRR ફિલ્મ થઈ છે શોર્ટલિસ્ટ 

માર્ચ 2022ના રીલીઝ થયેલી જુનિયર એનટીઆર અને રામચરણની આર આર આર ફિલ્મે જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મ 1920ના સદીના બે ભારતીય ક્રાંતિકારી અલ્લુરી સીતારામ રાજુ અને કૌમારામ ભીમની લાઈફ પર બેઝ્ડ ફિલ્મ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ હતી. 550 કરોડમાં બનેલી આરઆરઆરે 1204 કરોડની કમાણી કરી હતી. 


શોર્ટલિસ્ટમાં ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ શોનો પણ થયો સમાવેશ 

ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ શોને પણ શોર્ટલિસ્ટ કરાઈ છે. આ ફિલ્મ આત્મકથાત્મક નાટક છે. એક બાળકની સિનેમા પ્રત્યેનો રસ અને સિનેમાના બદલાતા સ્વરૂપને આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ભાવિન રબારી, વિકાસ બાટા, રિચા મીના, ભાવેશ શ્રીમાલી, દિપેન રાવલ અને રાહુલ કોલી જેવા ઉમદા કલાકારો છે. 


ધ કાશ્મીર ફાઈલ્સ પણ થયું છે શોર્ટલિસ્ટ

અને હવે છેલ્લે વાત કરવી છે કાશ્મીર ફાઈલ્સની. આ ફિલ્મ વિવેક અગ્નિહોત્રીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં 90ના દશકમાં થયેલા કાશ્મીરી પંડીતોના અને હિંદુઓના નરસંહારની સ્ટોરીને દેખાડવામાં આવ્યો છે. ફિલ્મમાં અનુપમ ખેર અને મિથુન દા જેવા મોટા કલાકારોએ કામ કર્યું છે. વિવેક અગ્નિહોત્રી કહી રહ્યા છે કે આ ફિલ્મને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરાઈ છે પરંતુ અમુક મીડિયા રિપોર્ટ એવું પણ કહી રહ્યા છે કે ધ કાશ્મીર ફાઈલ્સ શોર્ટલિસ્ટ નથી કરાઈ. ધ કાશ્મીર ફાઈલ્સ અત્યાર સુધી માત્ર ઓસ્કાર માટે હરિફાઈમાં જ છે.   




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.