ઓસ્કાર એવોર્ડ 2023 માટે ભારતની ફિલ્મો થઈ શોર્ટલિસ્ટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-10 16:12:11

ભારતની 5 ફિલ્મો ઓસ્કર માટે શોટલિસ્ટ થઈ છે. જેમાં ધ કાશ્મીર ફાઇલ્સ, RRR,ગંગુબાઈ કાઠિયાવાડી,કંતારા અને છેલ્લો શોનો સમાવેશ થાય છે. સૌથી લોકપ્રિય થયેલી ફિલ્મ કંતારા પણ ઓસ્કાર માટે શોટલિસ્ટ થઈ છે. RRRએ તેમજ ધ કાશ્મીર ફાઈલ્સે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. સંજય લીલી ભંસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું નામ પણ શોર્ટલિસ્ટમાં થયું છે. ગુજરાતી ફિલ્મ છેલ્લો શો તો પહેલેથી જ શોટલિસ્ટ થઈ ચૂકી હતી.


આ ફિલ્મો થઈ છે શોર્ટલિસ્ટ 

મીડિયા રિપોર્ટની માનીએ તો ધ કાશ્મીર ફાઈલ્સ સિવાય ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ શૉ, RRR,ઓલ ધેટ બ્રિથ્સ, અને ધ એલિફન્ટ વિસ્પર્સ, અને કાંતારાને પણ શોર્ટ લિસ્ટ કરાઈ છે. જો કે આ બધી ફિલ્મ શોર્ટલિસ્ટ કરાઈ છે હોં. કોઈ ફિલ્મનું નોમિનેશન નથી થયું. 24 જાન્યુઆરી બાદ ખબર પડશે કે આમાંથી કઈ ફિલ્મને ઓસ્કાર માટે નોમિનેટ કરાઈ છે. 


RRR ફિલ્મ થઈ છે શોર્ટલિસ્ટ 

માર્ચ 2022ના રીલીઝ થયેલી જુનિયર એનટીઆર અને રામચરણની આર આર આર ફિલ્મે જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મ 1920ના સદીના બે ભારતીય ક્રાંતિકારી અલ્લુરી સીતારામ રાજુ અને કૌમારામ ભીમની લાઈફ પર બેઝ્ડ ફિલ્મ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ હતી. 550 કરોડમાં બનેલી આરઆરઆરે 1204 કરોડની કમાણી કરી હતી. 


શોર્ટલિસ્ટમાં ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ શોનો પણ થયો સમાવેશ 

ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ શોને પણ શોર્ટલિસ્ટ કરાઈ છે. આ ફિલ્મ આત્મકથાત્મક નાટક છે. એક બાળકની સિનેમા પ્રત્યેનો રસ અને સિનેમાના બદલાતા સ્વરૂપને આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ભાવિન રબારી, વિકાસ બાટા, રિચા મીના, ભાવેશ શ્રીમાલી, દિપેન રાવલ અને રાહુલ કોલી જેવા ઉમદા કલાકારો છે. 


ધ કાશ્મીર ફાઈલ્સ પણ થયું છે શોર્ટલિસ્ટ

અને હવે છેલ્લે વાત કરવી છે કાશ્મીર ફાઈલ્સની. આ ફિલ્મ વિવેક અગ્નિહોત્રીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં 90ના દશકમાં થયેલા કાશ્મીરી પંડીતોના અને હિંદુઓના નરસંહારની સ્ટોરીને દેખાડવામાં આવ્યો છે. ફિલ્મમાં અનુપમ ખેર અને મિથુન દા જેવા મોટા કલાકારોએ કામ કર્યું છે. વિવેક અગ્નિહોત્રી કહી રહ્યા છે કે આ ફિલ્મને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરાઈ છે પરંતુ અમુક મીડિયા રિપોર્ટ એવું પણ કહી રહ્યા છે કે ધ કાશ્મીર ફાઈલ્સ શોર્ટલિસ્ટ નથી કરાઈ. ધ કાશ્મીર ફાઈલ્સ અત્યાર સુધી માત્ર ઓસ્કાર માટે હરિફાઈમાં જ છે.   




પરેશ ધાનાણી ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે. પ્રચાર દરમિયાન અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં પાણીપુરી શબ્દનો પ્રયોગ થયો છે.

જમાવટની ટીમે સાબરકાંઠા લોકસભા બેઠકના બંને ઉમેદવાર શોભનાબેન બારૈયા અને તુષાર ચૌધરીને ફોન કર્યો હતો અને જાણવાની કોશિશ કરી હતી કે આગામી પાંચ વર્ષનું તેમનું વિઝન શું છે.

પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહ્યો છે.. અનેક સ્થળો પર ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે. આ બધા વચ્ચે જમાવટની ટીમ હિંમતનગરના દેધરોટા ગામમાં પહોંચી હતી અને ભાજપ માટે ત્યાંના લોકો શું વિચારે છે, વિવાદને લઈ લોકો શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી..

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો..નાની નાની વયના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થવા લાગ્યા. ત્યારે એવું માનવામાં આવતું કે કોરોના વેક્સિનની સાઈડ ઈફેટને કારણે આ કિસ્સાઓમાં વધારો કર્યા છે. ત્યારે કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રજેનેકા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.