અમેરિકામાં 80 હજાર ભારતીયો બેરોજગાર, 60 દિવસમાં નોકરી નહીં મળે તો સ્વદેશ પરત ફરવું પડશે


  • Published By :
  • Published Date : 2023-01-24 18:22:08

દુનિયાભરમાં મંદીની ભયાનક અસર જોવા મળી રહી છે. તેમાં પણ અમેરિકાની દિગ્ગજ ટેક કંપનીઓની હાલત વધુ કફોડી બની છે. અમેરિકાની ગુગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન સહિતની અન્ય કંપનીઓ સતત તેના કર્મચારીઓની છટણી કરી રહી છે. આ કંપનીઓમાં હજારો ભારતીય પ્રોફેશનલ કામ કરતા હતા અને હવે  તે બેરોજગાર બન્યા છે. હવે સ્થિતી એવી સર્જાઈ છે કે અમેરિકામાં રહેતા ભારતીય પ્રોફેશનલ્સને જો ચોક્કસ સમય મર્યાદામાં નોકરી નથી મળતી તો તેમણે સ્વદેશ પરત ફરવું પડશે. આ જ કારણે તેઓ અમેરિકામાં નોકરી મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. 


80 હજાર ભારતીયો બેરોજગાર


અમેરિકાના મીડિયા રિપોર્ટ મુજબ ગુગલ, માઈક્રોસોફ્ટ, ફેશબુક અને એમેઝોન જેવી મોટી કંપનીઓએ બે લાખ કર્મચારીઓની છટણી કરી છે. મળતી જાણકારી મુજબ બેરોજગાર થયેલા લોકોમાં ભારતીય આઈ પ્રોફેશનલની સંખ્યા 40 ટકા છે. એટલે કે લગભગ 80 હજાર ભારતીયો બેકાર થઈ ચુક્યા છે. આ તમામ ભારતીયોમાંથી મોટાભાગના એચ1 બી કે એલ-1 વીઝા પર આવ્યા છે. આ વિઝાના નિયમો અંતર્ગત કોઈ પણ વ્યક્તિએ અમેરિકામાં 60 દિવસોની અંદર જ બીજી નોકરી મેળવી લેવાની હોય છે, અને જો નોકરી નથી મળતી તો તેમણે ફરજીયાતપણે સ્વદેશ પરત ફરવું પડશે. 


ભારતીય IT પ્રોફેશનલની મદદ માટે પ્રયાસો શરૂ 


અમેરિકાની સિલિકોન વેલીમાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ પર અમેરિકામાંથી હકાલપટ્ટી થવાની તલવાર લટકી રહી છે. રવિવારે ગ્લોબલ ટેકનોલોજી પ્રોફેશનલ્સ એસોશિએસન અને ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝે અમેરિકામાં બેરોજગાર થઈ ચુકેલા આઈટી પ્રોફેશનલની મદદ કરવા માટે એક સામાજીક પહેલ શરૂ કરવામાં આવી છે. આ બંને સંગઠનો ભારતીય પ્રોફેશનલ્સને નોકરી મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .