અમેરિકામાં 80 હજાર ભારતીયો બેરોજગાર, 60 દિવસમાં નોકરી નહીં મળે તો સ્વદેશ પરત ફરવું પડશે


  • Published By :
  • Published Date : 2023-01-24 18:22:08

દુનિયાભરમાં મંદીની ભયાનક અસર જોવા મળી રહી છે. તેમાં પણ અમેરિકાની દિગ્ગજ ટેક કંપનીઓની હાલત વધુ કફોડી બની છે. અમેરિકાની ગુગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન સહિતની અન્ય કંપનીઓ સતત તેના કર્મચારીઓની છટણી કરી રહી છે. આ કંપનીઓમાં હજારો ભારતીય પ્રોફેશનલ કામ કરતા હતા અને હવે  તે બેરોજગાર બન્યા છે. હવે સ્થિતી એવી સર્જાઈ છે કે અમેરિકામાં રહેતા ભારતીય પ્રોફેશનલ્સને જો ચોક્કસ સમય મર્યાદામાં નોકરી નથી મળતી તો તેમણે સ્વદેશ પરત ફરવું પડશે. આ જ કારણે તેઓ અમેરિકામાં નોકરી મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. 


80 હજાર ભારતીયો બેરોજગાર


અમેરિકાના મીડિયા રિપોર્ટ મુજબ ગુગલ, માઈક્રોસોફ્ટ, ફેશબુક અને એમેઝોન જેવી મોટી કંપનીઓએ બે લાખ કર્મચારીઓની છટણી કરી છે. મળતી જાણકારી મુજબ બેરોજગાર થયેલા લોકોમાં ભારતીય આઈ પ્રોફેશનલની સંખ્યા 40 ટકા છે. એટલે કે લગભગ 80 હજાર ભારતીયો બેકાર થઈ ચુક્યા છે. આ તમામ ભારતીયોમાંથી મોટાભાગના એચ1 બી કે એલ-1 વીઝા પર આવ્યા છે. આ વિઝાના નિયમો અંતર્ગત કોઈ પણ વ્યક્તિએ અમેરિકામાં 60 દિવસોની અંદર જ બીજી નોકરી મેળવી લેવાની હોય છે, અને જો નોકરી નથી મળતી તો તેમણે ફરજીયાતપણે સ્વદેશ પરત ફરવું પડશે. 


ભારતીય IT પ્રોફેશનલની મદદ માટે પ્રયાસો શરૂ 


અમેરિકાની સિલિકોન વેલીમાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ પર અમેરિકામાંથી હકાલપટ્ટી થવાની તલવાર લટકી રહી છે. રવિવારે ગ્લોબલ ટેકનોલોજી પ્રોફેશનલ્સ એસોશિએસન અને ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝે અમેરિકામાં બેરોજગાર થઈ ચુકેલા આઈટી પ્રોફેશનલની મદદ કરવા માટે એક સામાજીક પહેલ શરૂ કરવામાં આવી છે. આ બંને સંગઠનો ભારતીય પ્રોફેશનલ્સને નોકરી મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .