અમેરિકામાં 80 હજાર ભારતીયો બેરોજગાર, 60 દિવસમાં નોકરી નહીં મળે તો સ્વદેશ પરત ફરવું પડશે


  • Published By :
  • Published Date : 2023-01-24 18:22:08

દુનિયાભરમાં મંદીની ભયાનક અસર જોવા મળી રહી છે. તેમાં પણ અમેરિકાની દિગ્ગજ ટેક કંપનીઓની હાલત વધુ કફોડી બની છે. અમેરિકાની ગુગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન સહિતની અન્ય કંપનીઓ સતત તેના કર્મચારીઓની છટણી કરી રહી છે. આ કંપનીઓમાં હજારો ભારતીય પ્રોફેશનલ કામ કરતા હતા અને હવે  તે બેરોજગાર બન્યા છે. હવે સ્થિતી એવી સર્જાઈ છે કે અમેરિકામાં રહેતા ભારતીય પ્રોફેશનલ્સને જો ચોક્કસ સમય મર્યાદામાં નોકરી નથી મળતી તો તેમણે સ્વદેશ પરત ફરવું પડશે. આ જ કારણે તેઓ અમેરિકામાં નોકરી મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. 


80 હજાર ભારતીયો બેરોજગાર


અમેરિકાના મીડિયા રિપોર્ટ મુજબ ગુગલ, માઈક્રોસોફ્ટ, ફેશબુક અને એમેઝોન જેવી મોટી કંપનીઓએ બે લાખ કર્મચારીઓની છટણી કરી છે. મળતી જાણકારી મુજબ બેરોજગાર થયેલા લોકોમાં ભારતીય આઈ પ્રોફેશનલની સંખ્યા 40 ટકા છે. એટલે કે લગભગ 80 હજાર ભારતીયો બેકાર થઈ ચુક્યા છે. આ તમામ ભારતીયોમાંથી મોટાભાગના એચ1 બી કે એલ-1 વીઝા પર આવ્યા છે. આ વિઝાના નિયમો અંતર્ગત કોઈ પણ વ્યક્તિએ અમેરિકામાં 60 દિવસોની અંદર જ બીજી નોકરી મેળવી લેવાની હોય છે, અને જો નોકરી નથી મળતી તો તેમણે ફરજીયાતપણે સ્વદેશ પરત ફરવું પડશે. 


ભારતીય IT પ્રોફેશનલની મદદ માટે પ્રયાસો શરૂ 


અમેરિકાની સિલિકોન વેલીમાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ પર અમેરિકામાંથી હકાલપટ્ટી થવાની તલવાર લટકી રહી છે. રવિવારે ગ્લોબલ ટેકનોલોજી પ્રોફેશનલ્સ એસોશિએસન અને ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝે અમેરિકામાં બેરોજગાર થઈ ચુકેલા આઈટી પ્રોફેશનલની મદદ કરવા માટે એક સામાજીક પહેલ શરૂ કરવામાં આવી છે. આ બંને સંગઠનો ભારતીય પ્રોફેશનલ્સને નોકરી મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.