અમેરિકામાં 80 હજાર ભારતીયો બેરોજગાર, 60 દિવસમાં નોકરી નહીં મળે તો સ્વદેશ પરત ફરવું પડશે


  • Published By :
  • Published Date : 2023-01-24 18:22:08

દુનિયાભરમાં મંદીની ભયાનક અસર જોવા મળી રહી છે. તેમાં પણ અમેરિકાની દિગ્ગજ ટેક કંપનીઓની હાલત વધુ કફોડી બની છે. અમેરિકાની ગુગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન સહિતની અન્ય કંપનીઓ સતત તેના કર્મચારીઓની છટણી કરી રહી છે. આ કંપનીઓમાં હજારો ભારતીય પ્રોફેશનલ કામ કરતા હતા અને હવે  તે બેરોજગાર બન્યા છે. હવે સ્થિતી એવી સર્જાઈ છે કે અમેરિકામાં રહેતા ભારતીય પ્રોફેશનલ્સને જો ચોક્કસ સમય મર્યાદામાં નોકરી નથી મળતી તો તેમણે સ્વદેશ પરત ફરવું પડશે. આ જ કારણે તેઓ અમેરિકામાં નોકરી મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. 


80 હજાર ભારતીયો બેરોજગાર


અમેરિકાના મીડિયા રિપોર્ટ મુજબ ગુગલ, માઈક્રોસોફ્ટ, ફેશબુક અને એમેઝોન જેવી મોટી કંપનીઓએ બે લાખ કર્મચારીઓની છટણી કરી છે. મળતી જાણકારી મુજબ બેરોજગાર થયેલા લોકોમાં ભારતીય આઈ પ્રોફેશનલની સંખ્યા 40 ટકા છે. એટલે કે લગભગ 80 હજાર ભારતીયો બેકાર થઈ ચુક્યા છે. આ તમામ ભારતીયોમાંથી મોટાભાગના એચ1 બી કે એલ-1 વીઝા પર આવ્યા છે. આ વિઝાના નિયમો અંતર્ગત કોઈ પણ વ્યક્તિએ અમેરિકામાં 60 દિવસોની અંદર જ બીજી નોકરી મેળવી લેવાની હોય છે, અને જો નોકરી નથી મળતી તો તેમણે ફરજીયાતપણે સ્વદેશ પરત ફરવું પડશે. 


ભારતીય IT પ્રોફેશનલની મદદ માટે પ્રયાસો શરૂ 


અમેરિકાની સિલિકોન વેલીમાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ પર અમેરિકામાંથી હકાલપટ્ટી થવાની તલવાર લટકી રહી છે. રવિવારે ગ્લોબલ ટેકનોલોજી પ્રોફેશનલ્સ એસોશિએસન અને ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝે અમેરિકામાં બેરોજગાર થઈ ચુકેલા આઈટી પ્રોફેશનલની મદદ કરવા માટે એક સામાજીક પહેલ શરૂ કરવામાં આવી છે. આ બંને સંગઠનો ભારતીય પ્રોફેશનલ્સને નોકરી મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.