યુવતીએ પ્રેમ સંબંધ રાખવાનો કર્યો ઈનકાર તો પ્રેમીએ વાયરથી બાંધીને જીવતી દાટી દીધી, જઘન્ય ગુનામાં યુવકને સજા


  • Published By :
  • Published Date : 2023-07-06 19:31:40

ઓસ્ટ્રેલિયામાં પૂર્વ પ્રેમી દ્વારા તેની પ્રમિકાને જીવતી જ દફન કરવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ઓસ્ટ્રેલિયામાં નર્સિંગનો અભ્યાસ કરતી જસ્મીન કૌરને તેના પૂર્વ પ્રેમી તારિકજોતે જીવતી દફનાવી દીધી દીધી હતી. તારિકજોત સિંહે આ બધુ એટલા માટે કર્યું કારણ કે જસ્મીને તેની સાથે સંબંધમાં રહેવાનો ઈન્કાર કરી દીધો હતા.તારિકજોતે બદલાની ભાવનાથી આ જઘન્ય અપરાધ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની કોર્ટમાં આ મામલે કેસ ચાલ્યો હતો અને આરોપી તારીકજોતને દોષીત ઠરાવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં 21 વર્ષીય યુવતીનું અપહરણ કરીને તેને કારથી 650 કિમી દુર લઈ જઈને દક્ષિણ ઓસ્ટ્રેલિયાના ફ્લિંડર્સ રેન્જમાં જીવતી દફનાવી દેવાની ઘટનાથી હાહાકાર મચી ગયો છે. ઓસ્ટ્રેલિયામાં નર્સિંગનો અભ્યાસ કરી રહેલી ભારતીય મૂળની પીડિતા જસ્મીન કૌર (21)એ આરોપી યુવક સામે તેનો પીછો કરવાની ફરિયાદ કરી હતી. આરોપી  યુવક પણ ભારતીય મૂળનો છે. એડિલેડ શહેરની જસ્મીન કૌરની તારિકજોત સિંહએ માર્ચ 2021માં હત્યા કરી હતી. આ ઘટનાના એક મહિના પહેલા જસમીન કૌરે પોલીસ સમક્ષ તારિકજોત સિંહ સામે તેનો પીછો કરવાની ફરિયાદ નોંધાવી હતી. આ જઘન્ય કૃત્ય બદલ તારિકજોતને જીવનભર જેલમાં રહેવું પડશે. પરંતુ તેણે જસ્મીનના માતા-પિતાને જે પીડા આપી છે તે જીવનભર રહેશે.


સમગ્ર ઘટના શું હતી?


ઓસ્ટ્રેલિયાના મીડિયાના જણાવ્યા પ્રમાણે 5 માર્ચ 2021ના દિવસે જસ્મીન કૌરનું તેના કાર્ય સ્થળથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તારિકજોત સિંહે ફ્લેટમાં તેની સાથે રહેતા મિત્ર પાસેથી કાર માગી હતી. તે કૌરને કારની ડેકીમાં બંધ કરીને 644 કિમી દુર લઈ ગયો હતો. તેણે કૌરના ગળા પર ઘા માર્યા બાદ તેને એક કબરમાં દફન કરી દીધી હતી. જો કે તેમ છતાં પણ તે તાત્કાલિક મૃત્યુ પામી નહોતી, જ્યારે 6 માર્ચે તેનું મોત થયું ત્યારે તેને તેની આસપાસ શું થયું તે અંગે તેને ખબર હતી. જો કે તારિકજોત સિંહે તેનો ગુનો સ્વિકાર કરી લીધો છે. બુધવારે હાઈકોર્ટે સજા સંભળાવી ત્યારે તેના ગુનાનો ભયાનક ચિતાર સામે આવ્યો હતો. ફરિયાદી કારમેન મૈટિયોએ કહ્યું કે કૌરની હત્યા એક ઝટકામાં કરવામાં આવી નહોતી. મૃત્યુ પહેલા જાસ્મીન કૌરને ભયાનક પીડા સહન કરવી પડી હશે.       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.