યુવતીએ પ્રેમ સંબંધ રાખવાનો કર્યો ઈનકાર તો પ્રેમીએ વાયરથી બાંધીને જીવતી દાટી દીધી, જઘન્ય ગુનામાં યુવકને સજા


  • Published By :
  • Published Date : 2023-07-06 19:31:40

ઓસ્ટ્રેલિયામાં પૂર્વ પ્રેમી દ્વારા તેની પ્રમિકાને જીવતી જ દફન કરવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ઓસ્ટ્રેલિયામાં નર્સિંગનો અભ્યાસ કરતી જસ્મીન કૌરને તેના પૂર્વ પ્રેમી તારિકજોતે જીવતી દફનાવી દીધી દીધી હતી. તારિકજોત સિંહે આ બધુ એટલા માટે કર્યું કારણ કે જસ્મીને તેની સાથે સંબંધમાં રહેવાનો ઈન્કાર કરી દીધો હતા.તારિકજોતે બદલાની ભાવનાથી આ જઘન્ય અપરાધ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની કોર્ટમાં આ મામલે કેસ ચાલ્યો હતો અને આરોપી તારીકજોતને દોષીત ઠરાવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં 21 વર્ષીય યુવતીનું અપહરણ કરીને તેને કારથી 650 કિમી દુર લઈ જઈને દક્ષિણ ઓસ્ટ્રેલિયાના ફ્લિંડર્સ રેન્જમાં જીવતી દફનાવી દેવાની ઘટનાથી હાહાકાર મચી ગયો છે. ઓસ્ટ્રેલિયામાં નર્સિંગનો અભ્યાસ કરી રહેલી ભારતીય મૂળની પીડિતા જસ્મીન કૌર (21)એ આરોપી યુવક સામે તેનો પીછો કરવાની ફરિયાદ કરી હતી. આરોપી  યુવક પણ ભારતીય મૂળનો છે. એડિલેડ શહેરની જસ્મીન કૌરની તારિકજોત સિંહએ માર્ચ 2021માં હત્યા કરી હતી. આ ઘટનાના એક મહિના પહેલા જસમીન કૌરે પોલીસ સમક્ષ તારિકજોત સિંહ સામે તેનો પીછો કરવાની ફરિયાદ નોંધાવી હતી. આ જઘન્ય કૃત્ય બદલ તારિકજોતને જીવનભર જેલમાં રહેવું પડશે. પરંતુ તેણે જસ્મીનના માતા-પિતાને જે પીડા આપી છે તે જીવનભર રહેશે.


સમગ્ર ઘટના શું હતી?


ઓસ્ટ્રેલિયાના મીડિયાના જણાવ્યા પ્રમાણે 5 માર્ચ 2021ના દિવસે જસ્મીન કૌરનું તેના કાર્ય સ્થળથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તારિકજોત સિંહે ફ્લેટમાં તેની સાથે રહેતા મિત્ર પાસેથી કાર માગી હતી. તે કૌરને કારની ડેકીમાં બંધ કરીને 644 કિમી દુર લઈ ગયો હતો. તેણે કૌરના ગળા પર ઘા માર્યા બાદ તેને એક કબરમાં દફન કરી દીધી હતી. જો કે તેમ છતાં પણ તે તાત્કાલિક મૃત્યુ પામી નહોતી, જ્યારે 6 માર્ચે તેનું મોત થયું ત્યારે તેને તેની આસપાસ શું થયું તે અંગે તેને ખબર હતી. જો કે તારિકજોત સિંહે તેનો ગુનો સ્વિકાર કરી લીધો છે. બુધવારે હાઈકોર્ટે સજા સંભળાવી ત્યારે તેના ગુનાનો ભયાનક ચિતાર સામે આવ્યો હતો. ફરિયાદી કારમેન મૈટિયોએ કહ્યું કે કૌરની હત્યા એક ઝટકામાં કરવામાં આવી નહોતી. મૃત્યુ પહેલા જાસ્મીન કૌરને ભયાનક પીડા સહન કરવી પડી હશે.       



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.