ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં જબરદસ્ત ઘટાડો, એશિયાના કયા દેશનો પાસપોર્ટ છે સૌથી શક્તિશાળી, જાણો


  • Published By :
  • Published Date : 2023-03-31 17:45:40

ભારતીય પાસપોર્ટનો મોબિલિટી સ્કોર ગત વર્ષની તુલનામાં ઘણો ઘટી ગયો છે. પાસપોર્ટ ઈન્ડેક્સના નવા રેન્કિંગ પ્રમાણે આ વર્ષે ભારતીય પાસપોર્ટ દુનિયામાં 144માં ક્રમે આવી ગયો છે. ફાઈનાન્સિયલ એડવાઈઝરી સર્વિસ કંપની આર્ટન કેપિટલ દ્વારા જાહેર કરાયેલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2023માં અગાઉની તુલનામાં ભારતીય પાસપોર્ટનો મોબિલિટી સ્કોર ઘણો ઘટી ગયો છે. વર્ષ 2022માં ભારત 199 દેશોમાં 138માં ક્રમે હતું તેની સરખામણીમાં વર્ષ 2023માં 70ના મોબિલિટી સ્કોર સાથે ભારત 144મા ક્રમે આવી ગયું છે. આ વર્ષે ઈન્ડેક્સમાં આ સૌથી મોટો વૈશ્વિક ઘટાડો છે. આ ઘટાડા પાછળ કોરોના વાયરસ સંક્રમણને સૌથી મોટું કારણ બતાવવામાં આવી રહ્યું છે. 


144માં સ્થાન પર પહોંચ્યો ભારતીય પાસપોર્ટ


ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ 2022માંનું રેન્કિંગ 138થી જે 2023માં 144માં સ્થાન પર પહોંચી ગયું છે. આ રેન્કિંગ પાસપોર્ટ ઈન્ડેક્સના નવા ફિચરને ટાઈમશિફ્ટ દ્વારા કાઢવામાં આવી છે. આ ફેસિંલિટીને હાલમાં જ યુઝર્સની ભારે માગ બાદ જોડવામાં આવ્યા હતા. તેમનો હેતુ એક વર્ષમાં વિવિધ દેશોની પાસપોર્ટની તાકાત દર્શાવવાનું છે. ભારતનો પાસપોર્ટ તેનું પહેલાનું રેન્કિંગ સતત ગુમાવી રહ્યો છે. ભારતના પાસપોર્ટનું  રેન્કિંગ જોરદાર રીતે ઘટ્યું તેનું એક કારણ યુરોપિયન યુનિયનની ભારત સાથેની નિતી પણ છે. સર્બિયા સહિતના યુરોપના વિવિધ દેશોએ ભારતના નાગરિકો માટે વિઝાના નવા કડક નિયમો અમલી બનાવ્યા છે.  


એશિયામાં દક્ષિણ કોરિયાનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી


એશિયાના અન્ય દેશોની તુલનામાં દક્ષિણ કોરિયા અને જાપાનનો પાસપોર્ટ છે. દક્ષિણ કોરિયાનો પાસપોર્ટ 174 મોબિલિટી સ્કોરની સાથે 12માં સ્થાન પર છે. આ સ્કોર એશિયામાં સૌથી સર્વોચ્ચ ક્રમ છે. ત્યાર બાદ જાપાન 172 મોબિલિટી સ્કોર સાથે જાપાન 26માં સ્થાન પર છે. વર્ષ 2023માં ચીનના પાસપોર્ટનું રેન્કિંગ 118 છે, તે ભારત અને જાપાન સહિતના એશિયાના દેશો સાથે સમજુતી કરવામાં નિષ્ફળ રહ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.