ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં જબરદસ્ત ઘટાડો, એશિયાના કયા દેશનો પાસપોર્ટ છે સૌથી શક્તિશાળી, જાણો


  • Published By :
  • Published Date : 2023-03-31 17:45:40

ભારતીય પાસપોર્ટનો મોબિલિટી સ્કોર ગત વર્ષની તુલનામાં ઘણો ઘટી ગયો છે. પાસપોર્ટ ઈન્ડેક્સના નવા રેન્કિંગ પ્રમાણે આ વર્ષે ભારતીય પાસપોર્ટ દુનિયામાં 144માં ક્રમે આવી ગયો છે. ફાઈનાન્સિયલ એડવાઈઝરી સર્વિસ કંપની આર્ટન કેપિટલ દ્વારા જાહેર કરાયેલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2023માં અગાઉની તુલનામાં ભારતીય પાસપોર્ટનો મોબિલિટી સ્કોર ઘણો ઘટી ગયો છે. વર્ષ 2022માં ભારત 199 દેશોમાં 138માં ક્રમે હતું તેની સરખામણીમાં વર્ષ 2023માં 70ના મોબિલિટી સ્કોર સાથે ભારત 144મા ક્રમે આવી ગયું છે. આ વર્ષે ઈન્ડેક્સમાં આ સૌથી મોટો વૈશ્વિક ઘટાડો છે. આ ઘટાડા પાછળ કોરોના વાયરસ સંક્રમણને સૌથી મોટું કારણ બતાવવામાં આવી રહ્યું છે. 


144માં સ્થાન પર પહોંચ્યો ભારતીય પાસપોર્ટ


ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ 2022માંનું રેન્કિંગ 138થી જે 2023માં 144માં સ્થાન પર પહોંચી ગયું છે. આ રેન્કિંગ પાસપોર્ટ ઈન્ડેક્સના નવા ફિચરને ટાઈમશિફ્ટ દ્વારા કાઢવામાં આવી છે. આ ફેસિંલિટીને હાલમાં જ યુઝર્સની ભારે માગ બાદ જોડવામાં આવ્યા હતા. તેમનો હેતુ એક વર્ષમાં વિવિધ દેશોની પાસપોર્ટની તાકાત દર્શાવવાનું છે. ભારતનો પાસપોર્ટ તેનું પહેલાનું રેન્કિંગ સતત ગુમાવી રહ્યો છે. ભારતના પાસપોર્ટનું  રેન્કિંગ જોરદાર રીતે ઘટ્યું તેનું એક કારણ યુરોપિયન યુનિયનની ભારત સાથેની નિતી પણ છે. સર્બિયા સહિતના યુરોપના વિવિધ દેશોએ ભારતના નાગરિકો માટે વિઝાના નવા કડક નિયમો અમલી બનાવ્યા છે.  


એશિયામાં દક્ષિણ કોરિયાનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી


એશિયાના અન્ય દેશોની તુલનામાં દક્ષિણ કોરિયા અને જાપાનનો પાસપોર્ટ છે. દક્ષિણ કોરિયાનો પાસપોર્ટ 174 મોબિલિટી સ્કોરની સાથે 12માં સ્થાન પર છે. આ સ્કોર એશિયામાં સૌથી સર્વોચ્ચ ક્રમ છે. ત્યાર બાદ જાપાન 172 મોબિલિટી સ્કોર સાથે જાપાન 26માં સ્થાન પર છે. વર્ષ 2023માં ચીનના પાસપોર્ટનું રેન્કિંગ 118 છે, તે ભારત અને જાપાન સહિતના એશિયાના દેશો સાથે સમજુતી કરવામાં નિષ્ફળ રહ્યું છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .