ભારતીય સગર્ભા મહિલાનું પોર્ટુગલમાં મૃત્યુ, આરોગ્ય મંત્રી માર્ટા ટેમિડોએ આપ્યું રાજીનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 18:37:19

પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડો (Marta Temido)એ 34 વર્ષીય ભારતીય મહિલા પ્રવાસીના મૃત્યુના કારણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ મહિલા ગર્ભવતી હતી. મહિલાને લિસ્બનની હોસ્પિટલો વચ્ચે સ્થાનાંતરિત કરવામાં આવી રહી હતી ત્યારે તેને કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડો (Marta Temido)એ મંગળવારે રાજીનામું આપી દેતા કહ્યું હતું કે જાહેર હોસ્પિટલોમાં સ્ટાફિંગ સમસ્યાઓના તાજેતરના સંચાલન અંગે વ્યાપક ટીકા પછી તે હવે હોદ્દો સંભાળી શકશે નહીં. કોરોનાકાળમાં તેમણે જે રીતે કોવિડને મેનેજ કર્યું તેના માટે તેમની ભરપૂર પ્રશંસા થઇ હતી.


પોર્ટુગલના વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ જણાવ્યું કે મહિલાનું મૃત્યુ છેલ્લું કારણ હતું, જેના કારણે ડૉક્ટર ટેમિડોને રાજીનામું આપવું પડ્યું. પોર્ટુગીઝ સરકાર દ્વારા પ્રસૂતિ યુનિટોમાં સ્ટાફની અછતને સંભાળવામાં નિષ્ફળ રહેવાના કારણે તેમને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. સરકારના કેટલાક યુનિટોને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા હતા અને સગર્ભા સ્ત્રીઓને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં જવાની ફરજ પડી હતી.


લિસ્બનની સાન્ટા મારિયા હોસ્પિટલમાંથી લઈ જતી વખતે ગર્ભવતી પ્રવાસીનું મૃત્યુ થયું હતું. આ હોસ્પિટલ પોર્ટુગલમાં સૌથી મોટી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમરજન્સી સિઝેરિયન સેક્સન પછી તેના બાળકની તબિયત સારી હતી. સરકાર દ્વારા મહિલાના મોત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.