ભારતીય સગર્ભા મહિલાનું પોર્ટુગલમાં મૃત્યુ, આરોગ્ય મંત્રી માર્ટા ટેમિડોએ આપ્યું રાજીનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 18:37:19

પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડો (Marta Temido)એ 34 વર્ષીય ભારતીય મહિલા પ્રવાસીના મૃત્યુના કારણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ મહિલા ગર્ભવતી હતી. મહિલાને લિસ્બનની હોસ્પિટલો વચ્ચે સ્થાનાંતરિત કરવામાં આવી રહી હતી ત્યારે તેને કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડો (Marta Temido)એ મંગળવારે રાજીનામું આપી દેતા કહ્યું હતું કે જાહેર હોસ્પિટલોમાં સ્ટાફિંગ સમસ્યાઓના તાજેતરના સંચાલન અંગે વ્યાપક ટીકા પછી તે હવે હોદ્દો સંભાળી શકશે નહીં. કોરોનાકાળમાં તેમણે જે રીતે કોવિડને મેનેજ કર્યું તેના માટે તેમની ભરપૂર પ્રશંસા થઇ હતી.


પોર્ટુગલના વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ જણાવ્યું કે મહિલાનું મૃત્યુ છેલ્લું કારણ હતું, જેના કારણે ડૉક્ટર ટેમિડોને રાજીનામું આપવું પડ્યું. પોર્ટુગીઝ સરકાર દ્વારા પ્રસૂતિ યુનિટોમાં સ્ટાફની અછતને સંભાળવામાં નિષ્ફળ રહેવાના કારણે તેમને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. સરકારના કેટલાક યુનિટોને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા હતા અને સગર્ભા સ્ત્રીઓને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં જવાની ફરજ પડી હતી.


લિસ્બનની સાન્ટા મારિયા હોસ્પિટલમાંથી લઈ જતી વખતે ગર્ભવતી પ્રવાસીનું મૃત્યુ થયું હતું. આ હોસ્પિટલ પોર્ટુગલમાં સૌથી મોટી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમરજન્સી સિઝેરિયન સેક્સન પછી તેના બાળકની તબિયત સારી હતી. સરકાર દ્વારા મહિલાના મોત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી