ભારતીય સગર્ભા મહિલાનું પોર્ટુગલમાં મૃત્યુ, આરોગ્ય મંત્રી માર્ટા ટેમિડોએ આપ્યું રાજીનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 18:37:19

પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડો (Marta Temido)એ 34 વર્ષીય ભારતીય મહિલા પ્રવાસીના મૃત્યુના કારણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ મહિલા ગર્ભવતી હતી. મહિલાને લિસ્બનની હોસ્પિટલો વચ્ચે સ્થાનાંતરિત કરવામાં આવી રહી હતી ત્યારે તેને કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડો (Marta Temido)એ મંગળવારે રાજીનામું આપી દેતા કહ્યું હતું કે જાહેર હોસ્પિટલોમાં સ્ટાફિંગ સમસ્યાઓના તાજેતરના સંચાલન અંગે વ્યાપક ટીકા પછી તે હવે હોદ્દો સંભાળી શકશે નહીં. કોરોનાકાળમાં તેમણે જે રીતે કોવિડને મેનેજ કર્યું તેના માટે તેમની ભરપૂર પ્રશંસા થઇ હતી.


પોર્ટુગલના વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ જણાવ્યું કે મહિલાનું મૃત્યુ છેલ્લું કારણ હતું, જેના કારણે ડૉક્ટર ટેમિડોને રાજીનામું આપવું પડ્યું. પોર્ટુગીઝ સરકાર દ્વારા પ્રસૂતિ યુનિટોમાં સ્ટાફની અછતને સંભાળવામાં નિષ્ફળ રહેવાના કારણે તેમને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. સરકારના કેટલાક યુનિટોને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા હતા અને સગર્ભા સ્ત્રીઓને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં જવાની ફરજ પડી હતી.


લિસ્બનની સાન્ટા મારિયા હોસ્પિટલમાંથી લઈ જતી વખતે ગર્ભવતી પ્રવાસીનું મૃત્યુ થયું હતું. આ હોસ્પિટલ પોર્ટુગલમાં સૌથી મોટી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમરજન્સી સિઝેરિયન સેક્સન પછી તેના બાળકની તબિયત સારી હતી. સરકાર દ્વારા મહિલાના મોત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.