ભારતીય સગર્ભા મહિલાનું પોર્ટુગલમાં મૃત્યુ, આરોગ્ય મંત્રી માર્ટા ટેમિડોએ આપ્યું રાજીનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 18:37:19

પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડો (Marta Temido)એ 34 વર્ષીય ભારતીય મહિલા પ્રવાસીના મૃત્યુના કારણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ મહિલા ગર્ભવતી હતી. મહિલાને લિસ્બનની હોસ્પિટલો વચ્ચે સ્થાનાંતરિત કરવામાં આવી રહી હતી ત્યારે તેને કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડો (Marta Temido)એ મંગળવારે રાજીનામું આપી દેતા કહ્યું હતું કે જાહેર હોસ્પિટલોમાં સ્ટાફિંગ સમસ્યાઓના તાજેતરના સંચાલન અંગે વ્યાપક ટીકા પછી તે હવે હોદ્દો સંભાળી શકશે નહીં. કોરોનાકાળમાં તેમણે જે રીતે કોવિડને મેનેજ કર્યું તેના માટે તેમની ભરપૂર પ્રશંસા થઇ હતી.


પોર્ટુગલના વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ જણાવ્યું કે મહિલાનું મૃત્યુ છેલ્લું કારણ હતું, જેના કારણે ડૉક્ટર ટેમિડોને રાજીનામું આપવું પડ્યું. પોર્ટુગીઝ સરકાર દ્વારા પ્રસૂતિ યુનિટોમાં સ્ટાફની અછતને સંભાળવામાં નિષ્ફળ રહેવાના કારણે તેમને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. સરકારના કેટલાક યુનિટોને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા હતા અને સગર્ભા સ્ત્રીઓને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં જવાની ફરજ પડી હતી.


લિસ્બનની સાન્ટા મારિયા હોસ્પિટલમાંથી લઈ જતી વખતે ગર્ભવતી પ્રવાસીનું મૃત્યુ થયું હતું. આ હોસ્પિટલ પોર્ટુગલમાં સૌથી મોટી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમરજન્સી સિઝેરિયન સેક્સન પછી તેના બાળકની તબિયત સારી હતી. સરકાર દ્વારા મહિલાના મોત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.