હવે દેશમાં દોડશે વંદે મેટ્રો અને પહેલી સ્વદેશી હાઈડ્રોજન ટ્રેન, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ થશે સમયસર પૂર્ણ


  • Published By :
  • Published Date : 2022-12-19 12:57:11

દેશમાં વર્ષ 2023માં દોડશે વંદે મેટ્રો ટ્રેન અને પહેલી સ્વદેશી હાઈડ્રોજન ટ્રેન. દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારતીય રેલવે યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે વંદે મેટ્રો ટ્રેન તૈયાર કરી રહી છે. જે 1950 અને 60ના દાયકામાં ડિઝાઈન કરાયેલી મેટ્રો ટ્રેનોનું સ્થાન લેશે. 


ગરીબ યાત્રિકો માટે વંદે મેટ્રો 


ભારત સરકારનું આયોજન છે કે ભવિષ્યમાં દેશમાં દોડનારી ટ્રેનોની ડિઝાઈન અને સુવિધા દેશના ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે. એટલા માટે જ રેલવે તંત્ર પણ મધ્યમ વર્ગ અને ગરીબ યાત્રિકોના જીવન પરિવર્તન લાવી શકે તેવી વંદે મેટ્રો ટ્રેન વિકસિત કરના પ્રયાસો કરી રહ્યું છે.


મુંબઈ-અમદાવાદ બુલેટ  ટ્રેન 


દેશમાં દોડનારી પહેલી  બુલેટ ટ્રેન અંગે માહિતી આપતા રેલવે મંત્રીએ કહ્યું કે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામકાજ સુપર ફાસ્ટ ગતિથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેનની ટેકનિક અને સંચાલન અત્યંત જટિલ છે. જો  કે તેમ છતાં પણ ભારતીય એન્જિનિયરો તે ટેકનિક શિખવામાં કુશળતા પ્રાપ્ત કરી રહ્યા છે. તેમણે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે મુંબઈ અને અમદાવાદ કોરિડોરનું સફળ સંચાલન બાદ દેશમાં વધુ 11 કે 12 કોરિડોર બનાવવામાં આવશે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.