હવે દેશમાં દોડશે વંદે મેટ્રો અને પહેલી સ્વદેશી હાઈડ્રોજન ટ્રેન, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ થશે સમયસર પૂર્ણ


  • Published By :
  • Published Date : 2022-12-19 12:57:11

દેશમાં વર્ષ 2023માં દોડશે વંદે મેટ્રો ટ્રેન અને પહેલી સ્વદેશી હાઈડ્રોજન ટ્રેન. દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારતીય રેલવે યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે વંદે મેટ્રો ટ્રેન તૈયાર કરી રહી છે. જે 1950 અને 60ના દાયકામાં ડિઝાઈન કરાયેલી મેટ્રો ટ્રેનોનું સ્થાન લેશે. 


ગરીબ યાત્રિકો માટે વંદે મેટ્રો 


ભારત સરકારનું આયોજન છે કે ભવિષ્યમાં દેશમાં દોડનારી ટ્રેનોની ડિઝાઈન અને સુવિધા દેશના ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે. એટલા માટે જ રેલવે તંત્ર પણ મધ્યમ વર્ગ અને ગરીબ યાત્રિકોના જીવન પરિવર્તન લાવી શકે તેવી વંદે મેટ્રો ટ્રેન વિકસિત કરના પ્રયાસો કરી રહ્યું છે.


મુંબઈ-અમદાવાદ બુલેટ  ટ્રેન 


દેશમાં દોડનારી પહેલી  બુલેટ ટ્રેન અંગે માહિતી આપતા રેલવે મંત્રીએ કહ્યું કે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામકાજ સુપર ફાસ્ટ ગતિથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેનની ટેકનિક અને સંચાલન અત્યંત જટિલ છે. જો  કે તેમ છતાં પણ ભારતીય એન્જિનિયરો તે ટેકનિક શિખવામાં કુશળતા પ્રાપ્ત કરી રહ્યા છે. તેમણે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે મુંબઈ અને અમદાવાદ કોરિડોરનું સફળ સંચાલન બાદ દેશમાં વધુ 11 કે 12 કોરિડોર બનાવવામાં આવશે.



ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.

ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.

ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.