હવે દેશમાં દોડશે વંદે મેટ્રો અને પહેલી સ્વદેશી હાઈડ્રોજન ટ્રેન, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ થશે સમયસર પૂર્ણ


  • Published By :
  • Published Date : 2022-12-19 12:57:11

દેશમાં વર્ષ 2023માં દોડશે વંદે મેટ્રો ટ્રેન અને પહેલી સ્વદેશી હાઈડ્રોજન ટ્રેન. દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારતીય રેલવે યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે વંદે મેટ્રો ટ્રેન તૈયાર કરી રહી છે. જે 1950 અને 60ના દાયકામાં ડિઝાઈન કરાયેલી મેટ્રો ટ્રેનોનું સ્થાન લેશે. 


ગરીબ યાત્રિકો માટે વંદે મેટ્રો 


ભારત સરકારનું આયોજન છે કે ભવિષ્યમાં દેશમાં દોડનારી ટ્રેનોની ડિઝાઈન અને સુવિધા દેશના ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે. એટલા માટે જ રેલવે તંત્ર પણ મધ્યમ વર્ગ અને ગરીબ યાત્રિકોના જીવન પરિવર્તન લાવી શકે તેવી વંદે મેટ્રો ટ્રેન વિકસિત કરના પ્રયાસો કરી રહ્યું છે.


મુંબઈ-અમદાવાદ બુલેટ  ટ્રેન 


દેશમાં દોડનારી પહેલી  બુલેટ ટ્રેન અંગે માહિતી આપતા રેલવે મંત્રીએ કહ્યું કે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામકાજ સુપર ફાસ્ટ ગતિથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેનની ટેકનિક અને સંચાલન અત્યંત જટિલ છે. જો  કે તેમ છતાં પણ ભારતીય એન્જિનિયરો તે ટેકનિક શિખવામાં કુશળતા પ્રાપ્ત કરી રહ્યા છે. તેમણે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે મુંબઈ અને અમદાવાદ કોરિડોરનું સફળ સંચાલન બાદ દેશમાં વધુ 11 કે 12 કોરિડોર બનાવવામાં આવશે.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.