હવે દેશમાં દોડશે વંદે મેટ્રો અને પહેલી સ્વદેશી હાઈડ્રોજન ટ્રેન, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ થશે સમયસર પૂર્ણ


  • Published By :
  • Published Date : 2022-12-19 12:57:11

દેશમાં વર્ષ 2023માં દોડશે વંદે મેટ્રો ટ્રેન અને પહેલી સ્વદેશી હાઈડ્રોજન ટ્રેન. દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારતીય રેલવે યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે વંદે મેટ્રો ટ્રેન તૈયાર કરી રહી છે. જે 1950 અને 60ના દાયકામાં ડિઝાઈન કરાયેલી મેટ્રો ટ્રેનોનું સ્થાન લેશે. 


ગરીબ યાત્રિકો માટે વંદે મેટ્રો 


ભારત સરકારનું આયોજન છે કે ભવિષ્યમાં દેશમાં દોડનારી ટ્રેનોની ડિઝાઈન અને સુવિધા દેશના ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે. એટલા માટે જ રેલવે તંત્ર પણ મધ્યમ વર્ગ અને ગરીબ યાત્રિકોના જીવન પરિવર્તન લાવી શકે તેવી વંદે મેટ્રો ટ્રેન વિકસિત કરના પ્રયાસો કરી રહ્યું છે.


મુંબઈ-અમદાવાદ બુલેટ  ટ્રેન 


દેશમાં દોડનારી પહેલી  બુલેટ ટ્રેન અંગે માહિતી આપતા રેલવે મંત્રીએ કહ્યું કે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામકાજ સુપર ફાસ્ટ ગતિથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેનની ટેકનિક અને સંચાલન અત્યંત જટિલ છે. જો  કે તેમ છતાં પણ ભારતીય એન્જિનિયરો તે ટેકનિક શિખવામાં કુશળતા પ્રાપ્ત કરી રહ્યા છે. તેમણે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે મુંબઈ અને અમદાવાદ કોરિડોરનું સફળ સંચાલન બાદ દેશમાં વધુ 11 કે 12 કોરિડોર બનાવવામાં આવશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.