ISROએ સિંગાપોરના બે ઉપગ્રહ TeleOS-2 અને Lumilite-4 લોન્ચ કર્યા, જાણો શું છે તેની વિશેષતા


  • Published By :
  • Published Date : 2023-04-22 18:44:08

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ PSLV-C55 રોકેટ દ્વારા શનિવારે બપોરે બે સિંગાપોરના ઉપગ્રહો TeleOS-2 અને LumiLite-4ને પણ સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. આ ઉપગ્રહોને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી પૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આ બે ઉપગ્રહો સાથે  POEM પણ ઉડાન ભરશે. POEM અંતરિક્ષના શૂન્યાવકાશમાં કેટલાક પરીક્ષણ કરશે. PSLVની આ 57મી ઉડાન હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મિશનને TeleOS-2 મિશન નામ આપવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણની સાથે જ ભ્રમણકક્ષામાં મોકલવામાં આવેલા વિદેશી ઉપગ્રહોની કુલ સંખ્યા વધીને 424 થઈ ગઈ છે.


POEM શું છે?


POEM નું આખુ નામ PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ છે. PSLV એ ચાર સ્ટેજવાળું રોકેટ છે. તેના ત્રણ સ્ટેજ તો સમુદ્રમાં પડી જાય છે. છેલ્લો એટલે કે ચોથો સ્ટેજ, જેને PS4 પણ કહેવામાં આવે છે, તે ઉપગ્રહને તેની ભ્રમણકક્ષામાં પહોંચાડ્યા પછી, અવકાશનો કચરો માત્ર રહી જાય છે. હવે આના ઉપર જ પ્રયોગ કરવા માટે POEMનો ઉપયોગ કરવામાં આવશે. આવું ચોથી વખત કરવામાં આવી રહ્યું છે.


Lumilite-4 શું છે?


લ્યૂમલાઈટ-4 સિંગાપોરની ઇન્ફોકોમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના સેટેલાઇટ ટેક્નોલોજી અને રિસર્ચ સેન્ટરની ભાગીદારીમાં બનાવવામાં આવ્યું છે. તેનો હેતુ સિંગાપોરની ઈ-નેવિગેશન મેરીટાઇમ સલામતીને વધારવા અને ગ્લોબલ શિપિંગ કમ્યુનિટીને લાભ પહોંચાડવાનો છે. લ્યૂમલાઈટ-4 સેટેલાઈટનું વજન 16 કિલો છે.


TeleOS-2 શું છે?


તે એક ટેલી કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. સિંગાપોર સરકારે તેને ત્યાંના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓની મદદથી તૈયાર કર્યું છે. તેનું વજન 741 કિલો છે. આ સેટેલાઈટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત માહિતી આપશે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.