ISROએ સિંગાપોરના બે ઉપગ્રહ TeleOS-2 અને Lumilite-4 લોન્ચ કર્યા, જાણો શું છે તેની વિશેષતા


  • Published By :
  • Published Date : 2023-04-22 18:44:08

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ PSLV-C55 રોકેટ દ્વારા શનિવારે બપોરે બે સિંગાપોરના ઉપગ્રહો TeleOS-2 અને LumiLite-4ને પણ સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. આ ઉપગ્રહોને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી પૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આ બે ઉપગ્રહો સાથે  POEM પણ ઉડાન ભરશે. POEM અંતરિક્ષના શૂન્યાવકાશમાં કેટલાક પરીક્ષણ કરશે. PSLVની આ 57મી ઉડાન હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મિશનને TeleOS-2 મિશન નામ આપવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણની સાથે જ ભ્રમણકક્ષામાં મોકલવામાં આવેલા વિદેશી ઉપગ્રહોની કુલ સંખ્યા વધીને 424 થઈ ગઈ છે.


POEM શું છે?


POEM નું આખુ નામ PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ છે. PSLV એ ચાર સ્ટેજવાળું રોકેટ છે. તેના ત્રણ સ્ટેજ તો સમુદ્રમાં પડી જાય છે. છેલ્લો એટલે કે ચોથો સ્ટેજ, જેને PS4 પણ કહેવામાં આવે છે, તે ઉપગ્રહને તેની ભ્રમણકક્ષામાં પહોંચાડ્યા પછી, અવકાશનો કચરો માત્ર રહી જાય છે. હવે આના ઉપર જ પ્રયોગ કરવા માટે POEMનો ઉપયોગ કરવામાં આવશે. આવું ચોથી વખત કરવામાં આવી રહ્યું છે.


Lumilite-4 શું છે?


લ્યૂમલાઈટ-4 સિંગાપોરની ઇન્ફોકોમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના સેટેલાઇટ ટેક્નોલોજી અને રિસર્ચ સેન્ટરની ભાગીદારીમાં બનાવવામાં આવ્યું છે. તેનો હેતુ સિંગાપોરની ઈ-નેવિગેશન મેરીટાઇમ સલામતીને વધારવા અને ગ્લોબલ શિપિંગ કમ્યુનિટીને લાભ પહોંચાડવાનો છે. લ્યૂમલાઈટ-4 સેટેલાઈટનું વજન 16 કિલો છે.


TeleOS-2 શું છે?


તે એક ટેલી કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. સિંગાપોર સરકારે તેને ત્યાંના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓની મદદથી તૈયાર કર્યું છે. તેનું વજન 741 કિલો છે. આ સેટેલાઈટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત માહિતી આપશે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.