નેપાળ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર લોકોમાં ભારતીયોનો પણ થાય છે સમાવેશ, 68 મૃતદેહો મળી આવ્યા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-16 12:49:08

નેપાળમાં ગઈ કાલે એક પ્લેન ક્રેશ થયું હતું જેમાં 72 લોકો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા. લેન્ડિંગ કરતી વખતે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોય તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. નેપાળ વિમાન ક્રેસમાં અનેક લોકોના મોત થઈ ગયા છે. હજી સુધી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ક્રેનની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ પ્લેનમાં ભારતીયો પણ સવાર હતા. મળતી માહિતી અનુસાર પોસ્ટ મોર્ટમ બાદ ભારતીયોના શવને સોંપવામાં આવશે.


પ્લેનને કરવો પડ્યો અકસ્માતનો સામનો 

કાઠમાંડુથી પોખરા જતી ફ્લાઈટને અકસ્માત નડ્યો હતો. યેતિ એરલાઈન્સનું વિમાન હતું જેને દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. દુર્ઘટના એટલો ભયંકર હતો કે પ્લેનમાં સવાર લોકો ન બચી શકે તેમ હતા. ઘટના સ્થળ પર જઈ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. લોકોને શોધવા મોટા મોટા મશીનોની મદદ લેવામાં આવી રહી છે. ક્રેનની મદદથી પ્લેનને બહાર કાઢવામાં આવી રહ્યું છે. 


પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારને સોંપાશે મૃતદેહ

આ દુર્ઘટનાને પગલે નેપાળમાં એક દિવસીય રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. આ પ્લેનમાં ભારતના પણ પાંચ લોકો સવાર હતા. પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર લોકોની ઓળખ કરી પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. જે શવોની ઓળખ નથી થઈ તે શવોને પણ હેલિકોપ્ટરના માધ્યમથી કાઠમાંડુ પહોંચાડવામાં આવશે. વિમાનમાં સફર કરનાર 72 લોકોમાંથી 66 લોકોના શવ મળી ચૂક્યા છે. અને તમામ શવોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.       




નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે