નેપાળ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર લોકોમાં ભારતીયોનો પણ થાય છે સમાવેશ, 68 મૃતદેહો મળી આવ્યા


  • Published By :
  • Published Date : 2023-01-16 12:49:08

નેપાળમાં ગઈ કાલે એક પ્લેન ક્રેશ થયું હતું જેમાં 72 લોકો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા. લેન્ડિંગ કરતી વખતે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોય તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. નેપાળ વિમાન ક્રેસમાં અનેક લોકોના મોત થઈ ગયા છે. હજી સુધી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ક્રેનની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ પ્લેનમાં ભારતીયો પણ સવાર હતા. મળતી માહિતી અનુસાર પોસ્ટ મોર્ટમ બાદ ભારતીયોના શવને સોંપવામાં આવશે.


પ્લેનને કરવો પડ્યો અકસ્માતનો સામનો 

કાઠમાંડુથી પોખરા જતી ફ્લાઈટને અકસ્માત નડ્યો હતો. યેતિ એરલાઈન્સનું વિમાન હતું જેને દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. દુર્ઘટના એટલો ભયંકર હતો કે પ્લેનમાં સવાર લોકો ન બચી શકે તેમ હતા. ઘટના સ્થળ પર જઈ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. લોકોને શોધવા મોટા મોટા મશીનોની મદદ લેવામાં આવી રહી છે. ક્રેનની મદદથી પ્લેનને બહાર કાઢવામાં આવી રહ્યું છે. 


પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારને સોંપાશે મૃતદેહ

આ દુર્ઘટનાને પગલે નેપાળમાં એક દિવસીય રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. આ પ્લેનમાં ભારતના પણ પાંચ લોકો સવાર હતા. પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર લોકોની ઓળખ કરી પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. જે શવોની ઓળખ નથી થઈ તે શવોને પણ હેલિકોપ્ટરના માધ્યમથી કાઠમાંડુ પહોંચાડવામાં આવશે. વિમાનમાં સફર કરનાર 72 લોકોમાંથી 66 લોકોના શવ મળી ચૂક્યા છે. અને તમામ શવોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.       




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .