મેલબોર્નમાં ભારતીયો પર થયો હુમલો!! તિરંગા સાથે ઉભેલા ભારતીયો ખાલિસ્તાનીઓના નિશાન પર!


  • Published By :
  • Published Date : 2023-01-30 13:19:31

છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર તોડફોડ કરવામાં આવી રહી છે. તે સિવાય હિંદુ પર હુમલા થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વધુ એક કિસ્સો ઓસ્ટ્રેલિયાથી સામે આવ્યો છે જેમાં 29 જાન્યુઆરીના રોજ શાંતિપૂર્ણ રીતે ત્રિરંગો લઈ યાત્રા કરી રહેલા ભારતીયો પર ખાલિસ્તાનીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં જોવા મળી રહ્યું છે કે ખાલિસ્તાન સમર્થકો તલવારો લઈને હિંદુઓ તરફ દોડતા જોવા મળ્યા હતા.


અનેક હિંદુ મંદિરો પર કરવામાં આવ્યો છે હુમલો 

ઓસ્ટ્રેલિયામાં આવેલા અનેક હિંદુ મંદિરો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ ઘટના સતત વધી રહી છે. મંદિરો બહાર ભારત વિરૂદ્ધ અનેક નારાઓ લખવામાં આવતા હોય છે. પહેલો હુમલો 12 જાન્યુઆરીના રોજ થયો હતો. મેલબોર્નમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવ્યો હતો. તોડફોડ કર્યા બાદ મંદિરની દિવાલ બહાર હિન્દુસ્તાન મુર્દાબાદ, મોદી હિટલર હૈ, જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. બીજો હુમલો 16 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યો હતો. કેરમ ડાઉન્સમાં સ્થિત ઐતિહાસિક શિવ મંદિર તેમજ વિષ્ણુ ભગવાનના મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.


ખાલિસ્તાનીઓએ લખ્યા રાષ્ટ્રવિરોધી સૂત્રો

ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે એટલે 29 જાન્યુઆરીના રોજ મેલબોર્ન શહેરમાં આવેલા ફેડર્શન સ્કવેર ખાતે ખાલિસ્તાનના સમર્થનમાં જનમત સંગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં ભારતીયોએ ત્રિરંગો લહેરાવી વિરોધ નોંધાવ્યો હતો. શાંતિપૂર્ણ રીતે આગેકૂચ કરી રહેલા લોકો પર ખાલિસ્તાન સમર્થકો તલવાર લઈને હિંદુઓ તરફ દોડતા જોવા મળ્યા હતા. છેલ્લા 20 દિવસમાં 3 હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે  અને તે બાદ ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. 


ત્રિરંગો લઈ કૂચ કરી રહેલા ભારતીયો પર કરાયો હુમલો!! 

આ અંગેની માહિતી ઓસ્ટ્રેલિયન હિન્દુ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. ટ્વિટ કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે હિંદુ શાંતિપૂર્ણ રીતે ત્રિરંગો યાત્રા કાઢી રહ્યા હતા. તે દરમિયાન ખાલિસ્તાનના સમર્થકોએ આવી સૌથી પહેલા ખાલિસ્તાની ઝંડો લહેરાવ્યો હતો અને તે બાદ પાછળથી તે તલવાર લઈને તેમની પાછળ દોડવા લાગ્યા હતા. ઓસ્ટ્રેલિયાના હિંદુ મીડિયાએ અન્ય એક ટ્વિટ કરી હતી જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ખાલિસ્તાન સમર્થકોએ ભારતીયો પર હુમલો કર્યો છે.    



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .