મેલબોર્નમાં ભારતીયો પર થયો હુમલો!! તિરંગા સાથે ઉભેલા ભારતીયો ખાલિસ્તાનીઓના નિશાન પર!


  • Published By :
  • Published Date : 2023-01-30 13:19:31

છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર તોડફોડ કરવામાં આવી રહી છે. તે સિવાય હિંદુ પર હુમલા થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વધુ એક કિસ્સો ઓસ્ટ્રેલિયાથી સામે આવ્યો છે જેમાં 29 જાન્યુઆરીના રોજ શાંતિપૂર્ણ રીતે ત્રિરંગો લઈ યાત્રા કરી રહેલા ભારતીયો પર ખાલિસ્તાનીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં જોવા મળી રહ્યું છે કે ખાલિસ્તાન સમર્થકો તલવારો લઈને હિંદુઓ તરફ દોડતા જોવા મળ્યા હતા.


અનેક હિંદુ મંદિરો પર કરવામાં આવ્યો છે હુમલો 

ઓસ્ટ્રેલિયામાં આવેલા અનેક હિંદુ મંદિરો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ ઘટના સતત વધી રહી છે. મંદિરો બહાર ભારત વિરૂદ્ધ અનેક નારાઓ લખવામાં આવતા હોય છે. પહેલો હુમલો 12 જાન્યુઆરીના રોજ થયો હતો. મેલબોર્નમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવ્યો હતો. તોડફોડ કર્યા બાદ મંદિરની દિવાલ બહાર હિન્દુસ્તાન મુર્દાબાદ, મોદી હિટલર હૈ, જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. બીજો હુમલો 16 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યો હતો. કેરમ ડાઉન્સમાં સ્થિત ઐતિહાસિક શિવ મંદિર તેમજ વિષ્ણુ ભગવાનના મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.


ખાલિસ્તાનીઓએ લખ્યા રાષ્ટ્રવિરોધી સૂત્રો

ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે એટલે 29 જાન્યુઆરીના રોજ મેલબોર્ન શહેરમાં આવેલા ફેડર્શન સ્કવેર ખાતે ખાલિસ્તાનના સમર્થનમાં જનમત સંગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં ભારતીયોએ ત્રિરંગો લહેરાવી વિરોધ નોંધાવ્યો હતો. શાંતિપૂર્ણ રીતે આગેકૂચ કરી રહેલા લોકો પર ખાલિસ્તાન સમર્થકો તલવાર લઈને હિંદુઓ તરફ દોડતા જોવા મળ્યા હતા. છેલ્લા 20 દિવસમાં 3 હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે  અને તે બાદ ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. 


ત્રિરંગો લઈ કૂચ કરી રહેલા ભારતીયો પર કરાયો હુમલો!! 

આ અંગેની માહિતી ઓસ્ટ્રેલિયન હિન્દુ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. ટ્વિટ કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે હિંદુ શાંતિપૂર્ણ રીતે ત્રિરંગો યાત્રા કાઢી રહ્યા હતા. તે દરમિયાન ખાલિસ્તાનના સમર્થકોએ આવી સૌથી પહેલા ખાલિસ્તાની ઝંડો લહેરાવ્યો હતો અને તે બાદ પાછળથી તે તલવાર લઈને તેમની પાછળ દોડવા લાગ્યા હતા. ઓસ્ટ્રેલિયાના હિંદુ મીડિયાએ અન્ય એક ટ્વિટ કરી હતી જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ખાલિસ્તાન સમર્થકોએ ભારતીયો પર હુમલો કર્યો છે.    



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .