મેલબોર્નમાં ભારતીયો પર થયો હુમલો!! તિરંગા સાથે ઉભેલા ભારતીયો ખાલિસ્તાનીઓના નિશાન પર!


  • Published By :
  • Published Date : 2023-01-30 13:19:31

છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર તોડફોડ કરવામાં આવી રહી છે. તે સિવાય હિંદુ પર હુમલા થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વધુ એક કિસ્સો ઓસ્ટ્રેલિયાથી સામે આવ્યો છે જેમાં 29 જાન્યુઆરીના રોજ શાંતિપૂર્ણ રીતે ત્રિરંગો લઈ યાત્રા કરી રહેલા ભારતીયો પર ખાલિસ્તાનીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં જોવા મળી રહ્યું છે કે ખાલિસ્તાન સમર્થકો તલવારો લઈને હિંદુઓ તરફ દોડતા જોવા મળ્યા હતા.


અનેક હિંદુ મંદિરો પર કરવામાં આવ્યો છે હુમલો 

ઓસ્ટ્રેલિયામાં આવેલા અનેક હિંદુ મંદિરો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ ઘટના સતત વધી રહી છે. મંદિરો બહાર ભારત વિરૂદ્ધ અનેક નારાઓ લખવામાં આવતા હોય છે. પહેલો હુમલો 12 જાન્યુઆરીના રોજ થયો હતો. મેલબોર્નમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવ્યો હતો. તોડફોડ કર્યા બાદ મંદિરની દિવાલ બહાર હિન્દુસ્તાન મુર્દાબાદ, મોદી હિટલર હૈ, જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. બીજો હુમલો 16 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યો હતો. કેરમ ડાઉન્સમાં સ્થિત ઐતિહાસિક શિવ મંદિર તેમજ વિષ્ણુ ભગવાનના મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.


ખાલિસ્તાનીઓએ લખ્યા રાષ્ટ્રવિરોધી સૂત્રો

ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે એટલે 29 જાન્યુઆરીના રોજ મેલબોર્ન શહેરમાં આવેલા ફેડર્શન સ્કવેર ખાતે ખાલિસ્તાનના સમર્થનમાં જનમત સંગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં ભારતીયોએ ત્રિરંગો લહેરાવી વિરોધ નોંધાવ્યો હતો. શાંતિપૂર્ણ રીતે આગેકૂચ કરી રહેલા લોકો પર ખાલિસ્તાન સમર્થકો તલવાર લઈને હિંદુઓ તરફ દોડતા જોવા મળ્યા હતા. છેલ્લા 20 દિવસમાં 3 હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે  અને તે બાદ ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. 


ત્રિરંગો લઈ કૂચ કરી રહેલા ભારતીયો પર કરાયો હુમલો!! 

આ અંગેની માહિતી ઓસ્ટ્રેલિયન હિન્દુ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. ટ્વિટ કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે હિંદુ શાંતિપૂર્ણ રીતે ત્રિરંગો યાત્રા કાઢી રહ્યા હતા. તે દરમિયાન ખાલિસ્તાનના સમર્થકોએ આવી સૌથી પહેલા ખાલિસ્તાની ઝંડો લહેરાવ્યો હતો અને તે બાદ પાછળથી તે તલવાર લઈને તેમની પાછળ દોડવા લાગ્યા હતા. ઓસ્ટ્રેલિયાના હિંદુ મીડિયાએ અન્ય એક ટ્વિટ કરી હતી જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ખાલિસ્તાન સમર્થકોએ ભારતીયો પર હુમલો કર્યો છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.