મેલબોર્નમાં ભારતીયો પર થયો હુમલો!! તિરંગા સાથે ઉભેલા ભારતીયો ખાલિસ્તાનીઓના નિશાન પર!


  • Published By :
  • Published Date : 2023-01-30 13:19:31

છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર તોડફોડ કરવામાં આવી રહી છે. તે સિવાય હિંદુ પર હુમલા થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વધુ એક કિસ્સો ઓસ્ટ્રેલિયાથી સામે આવ્યો છે જેમાં 29 જાન્યુઆરીના રોજ શાંતિપૂર્ણ રીતે ત્રિરંગો લઈ યાત્રા કરી રહેલા ભારતીયો પર ખાલિસ્તાનીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં જોવા મળી રહ્યું છે કે ખાલિસ્તાન સમર્થકો તલવારો લઈને હિંદુઓ તરફ દોડતા જોવા મળ્યા હતા.


અનેક હિંદુ મંદિરો પર કરવામાં આવ્યો છે હુમલો 

ઓસ્ટ્રેલિયામાં આવેલા અનેક હિંદુ મંદિરો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ ઘટના સતત વધી રહી છે. મંદિરો બહાર ભારત વિરૂદ્ધ અનેક નારાઓ લખવામાં આવતા હોય છે. પહેલો હુમલો 12 જાન્યુઆરીના રોજ થયો હતો. મેલબોર્નમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવ્યો હતો. તોડફોડ કર્યા બાદ મંદિરની દિવાલ બહાર હિન્દુસ્તાન મુર્દાબાદ, મોદી હિટલર હૈ, જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. બીજો હુમલો 16 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યો હતો. કેરમ ડાઉન્સમાં સ્થિત ઐતિહાસિક શિવ મંદિર તેમજ વિષ્ણુ ભગવાનના મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.


ખાલિસ્તાનીઓએ લખ્યા રાષ્ટ્રવિરોધી સૂત્રો

ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે એટલે 29 જાન્યુઆરીના રોજ મેલબોર્ન શહેરમાં આવેલા ફેડર્શન સ્કવેર ખાતે ખાલિસ્તાનના સમર્થનમાં જનમત સંગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં ભારતીયોએ ત્રિરંગો લહેરાવી વિરોધ નોંધાવ્યો હતો. શાંતિપૂર્ણ રીતે આગેકૂચ કરી રહેલા લોકો પર ખાલિસ્તાન સમર્થકો તલવાર લઈને હિંદુઓ તરફ દોડતા જોવા મળ્યા હતા. છેલ્લા 20 દિવસમાં 3 હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે  અને તે બાદ ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. 


ત્રિરંગો લઈ કૂચ કરી રહેલા ભારતીયો પર કરાયો હુમલો!! 

આ અંગેની માહિતી ઓસ્ટ્રેલિયન હિન્દુ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. ટ્વિટ કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે હિંદુ શાંતિપૂર્ણ રીતે ત્રિરંગો યાત્રા કાઢી રહ્યા હતા. તે દરમિયાન ખાલિસ્તાનના સમર્થકોએ આવી સૌથી પહેલા ખાલિસ્તાની ઝંડો લહેરાવ્યો હતો અને તે બાદ પાછળથી તે તલવાર લઈને તેમની પાછળ દોડવા લાગ્યા હતા. ઓસ્ટ્રેલિયાના હિંદુ મીડિયાએ અન્ય એક ટ્વિટ કરી હતી જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ખાલિસ્તાન સમર્થકોએ ભારતીયો પર હુમલો કર્યો છે.    



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.