ભારતનું પહેલું પોતાનું રૉકેટ Vikram-S લોન્ચિંગ માટે તૈયાર


  • Published By :
  • Published Date : 2022-11-08 18:28:46

ભારતનું પહેલું વ્યક્તિગત રીતે બનેલું રૉકેટ વિક્રમ-એસ 12 અને 16 નવેમ્બર વચ્ચે લોન્ચ થવા માટે તૈયાર છે. હૈદરાબાદની અંતરિક્ષની સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે મંગળવારે જાહેરાત કરી હતી. સ્કાયરૂટ એરોસ્પેસ પહેલું એરસ્પેસનું પહેલું મિશન છે જેનું નામ પ્રારંભ છે. શ્રીહરિકોટામાં લોન્ચપેડ તૈયાર કરવામાં આવ્યું છે.

 Hyderabad based Skyroot Aerospace successfully test fires its rocket engine  | Business Standard News

સ્કાયરૂટ ભારતના એરોસ્પેસ ઈતિહાસમાં નામ નોંધાવશે

સ્કાયરૂટ એરોસ્પેસ અંતરિક્ષમાં રોકેટ લોન્ચ કરનાર ભારતની પ્રથમ વ્યક્તિગત અંતરિક્ષ કંપની બની જશે. વિક્રમ એસ ટેક્નોલોજીનું ટેસ્ટિંગ અને વેરિફિકેશનમાં મદદ કરશે. આ રૉકેટ સિંગલ સ્ટેજ સબ ઓર્બિટલ લોન્ચ વેહીકલ છે. ભારતમાં રોકેટ મિશનને વેગ આપનાર વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્કાઈરુટના લોન્ચ વેહિકલનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.