ભારતનું પહેલું પોતાનું રૉકેટ Vikram-S લોન્ચિંગ માટે તૈયાર


  • Published By :
  • Published Date : 2022-11-08 18:28:46

ભારતનું પહેલું વ્યક્તિગત રીતે બનેલું રૉકેટ વિક્રમ-એસ 12 અને 16 નવેમ્બર વચ્ચે લોન્ચ થવા માટે તૈયાર છે. હૈદરાબાદની અંતરિક્ષની સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે મંગળવારે જાહેરાત કરી હતી. સ્કાયરૂટ એરોસ્પેસ પહેલું એરસ્પેસનું પહેલું મિશન છે જેનું નામ પ્રારંભ છે. શ્રીહરિકોટામાં લોન્ચપેડ તૈયાર કરવામાં આવ્યું છે.

 Hyderabad based Skyroot Aerospace successfully test fires its rocket engine  | Business Standard News

સ્કાયરૂટ ભારતના એરોસ્પેસ ઈતિહાસમાં નામ નોંધાવશે

સ્કાયરૂટ એરોસ્પેસ અંતરિક્ષમાં રોકેટ લોન્ચ કરનાર ભારતની પ્રથમ વ્યક્તિગત અંતરિક્ષ કંપની બની જશે. વિક્રમ એસ ટેક્નોલોજીનું ટેસ્ટિંગ અને વેરિફિકેશનમાં મદદ કરશે. આ રૉકેટ સિંગલ સ્ટેજ સબ ઓર્બિટલ લોન્ચ વેહીકલ છે. ભારતમાં રોકેટ મિશનને વેગ આપનાર વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્કાઈરુટના લોન્ચ વેહિકલનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.