ભારતનું પહેલું પોતાનું રૉકેટ Vikram-S લોન્ચિંગ માટે તૈયાર


  • Published By :
  • Published Date : 2022-11-08 18:28:46

ભારતનું પહેલું વ્યક્તિગત રીતે બનેલું રૉકેટ વિક્રમ-એસ 12 અને 16 નવેમ્બર વચ્ચે લોન્ચ થવા માટે તૈયાર છે. હૈદરાબાદની અંતરિક્ષની સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે મંગળવારે જાહેરાત કરી હતી. સ્કાયરૂટ એરોસ્પેસ પહેલું એરસ્પેસનું પહેલું મિશન છે જેનું નામ પ્રારંભ છે. શ્રીહરિકોટામાં લોન્ચપેડ તૈયાર કરવામાં આવ્યું છે.

 Hyderabad based Skyroot Aerospace successfully test fires its rocket engine  | Business Standard News

સ્કાયરૂટ ભારતના એરોસ્પેસ ઈતિહાસમાં નામ નોંધાવશે

સ્કાયરૂટ એરોસ્પેસ અંતરિક્ષમાં રોકેટ લોન્ચ કરનાર ભારતની પ્રથમ વ્યક્તિગત અંતરિક્ષ કંપની બની જશે. વિક્રમ એસ ટેક્નોલોજીનું ટેસ્ટિંગ અને વેરિફિકેશનમાં મદદ કરશે. આ રૉકેટ સિંગલ સ્ટેજ સબ ઓર્બિટલ લોન્ચ વેહીકલ છે. ભારતમાં રોકેટ મિશનને વેગ આપનાર વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્કાઈરુટના લોન્ચ વેહિકલનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.