ઈન્ડિગો ફ્લાઈટમાં બની મારપીટની ઘટના, નશામાં ધૂત ત્રણ લોકોએ પ્લેનમાં કર્યો હંગામો


  • Published By :
  • Published Date : 2023-01-09 09:58:50

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટમાં થતા વ્યવહારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈ વખત બોલાચાલી અથવા તો મારપીટ કરવાની વાતો સામે આવે છે તો કોઈ વખત તેનાથી પણ વધારે આધાત આપે તેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે વધુ એક બોલાચાલી થવાનો કિસ્સો ઈન્ડિંગોની ફ્લાઈટથી સામે આવ્યો છે. દિલ્હીથી પટના જતી ફ્લાઈટમાં નશામાં ધૂત 3 યુવકોએ એર હોસ્ટેસ અને પાયલટ સાથે મારપીટ કરી છે. દિલ્હીથી જ નશાની હાલતમાં 3 યુવકો ચઢયા હતા.


એર હોસ્ટેસ અને પાયલટ સાથે કરી મારપીટ

આજકાલ લોકોની સહનશક્તિ ઓછી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. નાની નાની વાતમાં લોકો મારપીટ કરવા લાગે છે. થોડા દિવસ પહેલા ફ્લાઈટમાં એક વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. જેને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે સિવાય પણ ફ્લાઈટમાં ગાળાગાળીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક મારપીટનો કિસ્સો દિલ્હીથી પટના જઈ રહેલી ફ્લાઈટથી સામે આવ્યો છે. 


પોલીસે બે  લોકોની કરી ધરપકડ 

મળતી માહિતી અનુસાર જે 3 યુવકોએ ફ્લાઈટમાં મારપીટ કરી તે લોકો પહેલેથી જ નશામાં ધૂત હતા. આવતાની સાથે જ પેસેન્જરો સાથે ગેરવર્તન કરવા લાગ્યા. જેને કારણે એર હોસ્ટેશ અને કેપ્ટન આ યુવકોને સમજાવવા લાગ્યા. પરંતુ તે લોકોએ હાથાપાઈ શરૂ કરી દીધી. આ વાતને લઈ પાયલટે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ કરાવી છે. આ ત્રણેય વ્યક્તિઓ બિહારના વતની માનવામાં આવે છે. ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ભાગી ગયો પરંતુ બે વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે પોલીસ તેમની સાથે લઈ ગયા છે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.