ઈન્ડિગો ફ્લાઈટમાં બની મારપીટની ઘટના, નશામાં ધૂત ત્રણ લોકોએ પ્લેનમાં કર્યો હંગામો


  • Published By :
  • Published Date : 2023-01-09 09:58:50

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટમાં થતા વ્યવહારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈ વખત બોલાચાલી અથવા તો મારપીટ કરવાની વાતો સામે આવે છે તો કોઈ વખત તેનાથી પણ વધારે આધાત આપે તેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે વધુ એક બોલાચાલી થવાનો કિસ્સો ઈન્ડિંગોની ફ્લાઈટથી સામે આવ્યો છે. દિલ્હીથી પટના જતી ફ્લાઈટમાં નશામાં ધૂત 3 યુવકોએ એર હોસ્ટેસ અને પાયલટ સાથે મારપીટ કરી છે. દિલ્હીથી જ નશાની હાલતમાં 3 યુવકો ચઢયા હતા.


એર હોસ્ટેસ અને પાયલટ સાથે કરી મારપીટ

આજકાલ લોકોની સહનશક્તિ ઓછી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. નાની નાની વાતમાં લોકો મારપીટ કરવા લાગે છે. થોડા દિવસ પહેલા ફ્લાઈટમાં એક વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. જેને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે સિવાય પણ ફ્લાઈટમાં ગાળાગાળીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક મારપીટનો કિસ્સો દિલ્હીથી પટના જઈ રહેલી ફ્લાઈટથી સામે આવ્યો છે. 


પોલીસે બે  લોકોની કરી ધરપકડ 

મળતી માહિતી અનુસાર જે 3 યુવકોએ ફ્લાઈટમાં મારપીટ કરી તે લોકો પહેલેથી જ નશામાં ધૂત હતા. આવતાની સાથે જ પેસેન્જરો સાથે ગેરવર્તન કરવા લાગ્યા. જેને કારણે એર હોસ્ટેશ અને કેપ્ટન આ યુવકોને સમજાવવા લાગ્યા. પરંતુ તે લોકોએ હાથાપાઈ શરૂ કરી દીધી. આ વાતને લઈ પાયલટે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ કરાવી છે. આ ત્રણેય વ્યક્તિઓ બિહારના વતની માનવામાં આવે છે. ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ભાગી ગયો પરંતુ બે વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે પોલીસ તેમની સાથે લઈ ગયા છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.