ઈન્ડિગો ફ્લાઈટમાં બની મારપીટની ઘટના, નશામાં ધૂત ત્રણ લોકોએ પ્લેનમાં કર્યો હંગામો


  • Published By :
  • Published Date : 2023-01-09 09:58:50

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટમાં થતા વ્યવહારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈ વખત બોલાચાલી અથવા તો મારપીટ કરવાની વાતો સામે આવે છે તો કોઈ વખત તેનાથી પણ વધારે આધાત આપે તેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે વધુ એક બોલાચાલી થવાનો કિસ્સો ઈન્ડિંગોની ફ્લાઈટથી સામે આવ્યો છે. દિલ્હીથી પટના જતી ફ્લાઈટમાં નશામાં ધૂત 3 યુવકોએ એર હોસ્ટેસ અને પાયલટ સાથે મારપીટ કરી છે. દિલ્હીથી જ નશાની હાલતમાં 3 યુવકો ચઢયા હતા.


એર હોસ્ટેસ અને પાયલટ સાથે કરી મારપીટ

આજકાલ લોકોની સહનશક્તિ ઓછી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. નાની નાની વાતમાં લોકો મારપીટ કરવા લાગે છે. થોડા દિવસ પહેલા ફ્લાઈટમાં એક વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. જેને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે સિવાય પણ ફ્લાઈટમાં ગાળાગાળીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક મારપીટનો કિસ્સો દિલ્હીથી પટના જઈ રહેલી ફ્લાઈટથી સામે આવ્યો છે. 


પોલીસે બે  લોકોની કરી ધરપકડ 

મળતી માહિતી અનુસાર જે 3 યુવકોએ ફ્લાઈટમાં મારપીટ કરી તે લોકો પહેલેથી જ નશામાં ધૂત હતા. આવતાની સાથે જ પેસેન્જરો સાથે ગેરવર્તન કરવા લાગ્યા. જેને કારણે એર હોસ્ટેશ અને કેપ્ટન આ યુવકોને સમજાવવા લાગ્યા. પરંતુ તે લોકોએ હાથાપાઈ શરૂ કરી દીધી. આ વાતને લઈ પાયલટે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ કરાવી છે. આ ત્રણેય વ્યક્તિઓ બિહારના વતની માનવામાં આવે છે. ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ભાગી ગયો પરંતુ બે વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે પોલીસ તેમની સાથે લઈ ગયા છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.