ઈન્ડિગો ફ્લાઈટમાં બની મારપીટની ઘટના, નશામાં ધૂત ત્રણ લોકોએ પ્લેનમાં કર્યો હંગામો


  • Published By :
  • Published Date : 2023-01-09 09:58:50

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટમાં થતા વ્યવહારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈ વખત બોલાચાલી અથવા તો મારપીટ કરવાની વાતો સામે આવે છે તો કોઈ વખત તેનાથી પણ વધારે આધાત આપે તેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે વધુ એક બોલાચાલી થવાનો કિસ્સો ઈન્ડિંગોની ફ્લાઈટથી સામે આવ્યો છે. દિલ્હીથી પટના જતી ફ્લાઈટમાં નશામાં ધૂત 3 યુવકોએ એર હોસ્ટેસ અને પાયલટ સાથે મારપીટ કરી છે. દિલ્હીથી જ નશાની હાલતમાં 3 યુવકો ચઢયા હતા.


એર હોસ્ટેસ અને પાયલટ સાથે કરી મારપીટ

આજકાલ લોકોની સહનશક્તિ ઓછી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. નાની નાની વાતમાં લોકો મારપીટ કરવા લાગે છે. થોડા દિવસ પહેલા ફ્લાઈટમાં એક વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. જેને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે સિવાય પણ ફ્લાઈટમાં ગાળાગાળીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક મારપીટનો કિસ્સો દિલ્હીથી પટના જઈ રહેલી ફ્લાઈટથી સામે આવ્યો છે. 


પોલીસે બે  લોકોની કરી ધરપકડ 

મળતી માહિતી અનુસાર જે 3 યુવકોએ ફ્લાઈટમાં મારપીટ કરી તે લોકો પહેલેથી જ નશામાં ધૂત હતા. આવતાની સાથે જ પેસેન્જરો સાથે ગેરવર્તન કરવા લાગ્યા. જેને કારણે એર હોસ્ટેશ અને કેપ્ટન આ યુવકોને સમજાવવા લાગ્યા. પરંતુ તે લોકોએ હાથાપાઈ શરૂ કરી દીધી. આ વાતને લઈ પાયલટે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ કરાવી છે. આ ત્રણેય વ્યક્તિઓ બિહારના વતની માનવામાં આવે છે. ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ભાગી ગયો પરંતુ બે વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે પોલીસ તેમની સાથે લઈ ગયા છે.  




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.