પેસેન્જરની તબિયત બગડતા પાકિસ્તાનમાં ઈન્ડિગો ફ્લાઇટનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ,દિલ્હીથી કતાર જઈ રહી હતી ફ્લાઈટ


  • Published By :
  • Published Date : 2023-03-13 12:27:59

દોહા જઈ રહેલી ઈંડિગો એયરલાઈનની ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ પાકિસ્તાનના કરાચીમાં કરવામાં આવી હતી. મેડિકલ ઈમરજન્સીને લઈ આ લેન્ડિંગ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ફ્લાઈટમાં સવાર એક યાત્રીની તબિયત લથડી ગઈ હતી. જેને કારણે ફ્લાઈટની લેન્ડિંગ કરવામાં આવી હતી. તબિયત ખરાબ થવાના સમાચાર મળતા નજીકના એરપોર્ટ પર ફ્લાઈટને લેન્ડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર કરાચીમાં ફ્લાઈટ લેન્ડ થાય તે પહેલા જ યાત્રીકનું મોત થઈ ગયું હતું.


તબિયત બગડતા પ્લેનનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ 

મેડિકલ ઈમરજન્સીને કારણે અનેક વખત ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડ કરવામાં આવતી હોય છે. ત્યારે મેડિકલ ઈમરજન્સીને કારણે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 9E1736 દિલ્હીથી કતારની રાજધાની દોહા જઈ રહી હતી. પ્રવાસ દરમિયાન એક યાત્રીકની તબિયત બગડી ગઈ હતી. મુસાફરી દરમિયાન એક મુસાફરે તબિયત ખરાબ હોવાની વાત કરી હતી. જેને પગલે નજીકના એરપોર્ટ પર લેન્ડ કરવાની પરવાનગી માગી હતી. પ્લેનના પાયલટે નજીકના કરાચી એરપોર્ટના એક ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી અને જે બાદ પ્લેનને ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી આપવામાં આવી હતી. કરાચી એર ટ્રાફિક કંટ્રોલે ફ્લાઈટને લેન્ડ કરવાની મંજૂરી આપી હતી. 


મળતી માહિતી અનુસાર યાત્રીકનું થયું મોત 

આ અંગે મળતી માહિતી અનુસાર જે યાત્રીકની તબિયત બગડી હતી તેનું મોત થઈ ગયું છે. કરાચીમાં પ્લેન લેન્ડ થાય તે પહેલા જ યાત્રીકે અંતિમ શ્વાસ લઈ લીધા હતા. નિવેદન આપતા ઈંડિગોએ જણાવ્યું કે આ ખબરથી અમે બધા દુખી છીએ. મૃતકના પરિવારજનોને તેમજ સંબંધીઓને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ.     




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.