પેસેન્જરની તબિયત બગડતા પાકિસ્તાનમાં ઈન્ડિગો ફ્લાઇટનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ,દિલ્હીથી કતાર જઈ રહી હતી ફ્લાઈટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-13 12:27:59

દોહા જઈ રહેલી ઈંડિગો એયરલાઈનની ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ પાકિસ્તાનના કરાચીમાં કરવામાં આવી હતી. મેડિકલ ઈમરજન્સીને લઈ આ લેન્ડિંગ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ફ્લાઈટમાં સવાર એક યાત્રીની તબિયત લથડી ગઈ હતી. જેને કારણે ફ્લાઈટની લેન્ડિંગ કરવામાં આવી હતી. તબિયત ખરાબ થવાના સમાચાર મળતા નજીકના એરપોર્ટ પર ફ્લાઈટને લેન્ડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર કરાચીમાં ફ્લાઈટ લેન્ડ થાય તે પહેલા જ યાત્રીકનું મોત થઈ ગયું હતું.


તબિયત બગડતા પ્લેનનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ 

મેડિકલ ઈમરજન્સીને કારણે અનેક વખત ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડ કરવામાં આવતી હોય છે. ત્યારે મેડિકલ ઈમરજન્સીને કારણે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 9E1736 દિલ્હીથી કતારની રાજધાની દોહા જઈ રહી હતી. પ્રવાસ દરમિયાન એક યાત્રીકની તબિયત બગડી ગઈ હતી. મુસાફરી દરમિયાન એક મુસાફરે તબિયત ખરાબ હોવાની વાત કરી હતી. જેને પગલે નજીકના એરપોર્ટ પર લેન્ડ કરવાની પરવાનગી માગી હતી. પ્લેનના પાયલટે નજીકના કરાચી એરપોર્ટના એક ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી અને જે બાદ પ્લેનને ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી આપવામાં આવી હતી. કરાચી એર ટ્રાફિક કંટ્રોલે ફ્લાઈટને લેન્ડ કરવાની મંજૂરી આપી હતી. 


મળતી માહિતી અનુસાર યાત્રીકનું થયું મોત 

આ અંગે મળતી માહિતી અનુસાર જે યાત્રીકની તબિયત બગડી હતી તેનું મોત થઈ ગયું છે. કરાચીમાં પ્લેન લેન્ડ થાય તે પહેલા જ યાત્રીકે અંતિમ શ્વાસ લઈ લીધા હતા. નિવેદન આપતા ઈંડિગોએ જણાવ્યું કે આ ખબરથી અમે બધા દુખી છીએ. મૃતકના પરિવારજનોને તેમજ સંબંધીઓને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ.     




નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે