પેસેન્જરની તબિયત બગડતા પાકિસ્તાનમાં ઈન્ડિગો ફ્લાઇટનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ,દિલ્હીથી કતાર જઈ રહી હતી ફ્લાઈટ


  • Published By :
  • Published Date : 2023-03-13 12:27:59

દોહા જઈ રહેલી ઈંડિગો એયરલાઈનની ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ પાકિસ્તાનના કરાચીમાં કરવામાં આવી હતી. મેડિકલ ઈમરજન્સીને લઈ આ લેન્ડિંગ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ફ્લાઈટમાં સવાર એક યાત્રીની તબિયત લથડી ગઈ હતી. જેને કારણે ફ્લાઈટની લેન્ડિંગ કરવામાં આવી હતી. તબિયત ખરાબ થવાના સમાચાર મળતા નજીકના એરપોર્ટ પર ફ્લાઈટને લેન્ડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર કરાચીમાં ફ્લાઈટ લેન્ડ થાય તે પહેલા જ યાત્રીકનું મોત થઈ ગયું હતું.


તબિયત બગડતા પ્લેનનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ 

મેડિકલ ઈમરજન્સીને કારણે અનેક વખત ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડ કરવામાં આવતી હોય છે. ત્યારે મેડિકલ ઈમરજન્સીને કારણે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 9E1736 દિલ્હીથી કતારની રાજધાની દોહા જઈ રહી હતી. પ્રવાસ દરમિયાન એક યાત્રીકની તબિયત બગડી ગઈ હતી. મુસાફરી દરમિયાન એક મુસાફરે તબિયત ખરાબ હોવાની વાત કરી હતી. જેને પગલે નજીકના એરપોર્ટ પર લેન્ડ કરવાની પરવાનગી માગી હતી. પ્લેનના પાયલટે નજીકના કરાચી એરપોર્ટના એક ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી અને જે બાદ પ્લેનને ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી આપવામાં આવી હતી. કરાચી એર ટ્રાફિક કંટ્રોલે ફ્લાઈટને લેન્ડ કરવાની મંજૂરી આપી હતી. 


મળતી માહિતી અનુસાર યાત્રીકનું થયું મોત 

આ અંગે મળતી માહિતી અનુસાર જે યાત્રીકની તબિયત બગડી હતી તેનું મોત થઈ ગયું છે. કરાચીમાં પ્લેન લેન્ડ થાય તે પહેલા જ યાત્રીકે અંતિમ શ્વાસ લઈ લીધા હતા. નિવેદન આપતા ઈંડિગોએ જણાવ્યું કે આ ખબરથી અમે બધા દુખી છીએ. મૃતકના પરિવારજનોને તેમજ સંબંધીઓને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ.     




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.