પેસેન્જરની તબિયત બગડતા પાકિસ્તાનમાં ઈન્ડિગો ફ્લાઇટનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ,દિલ્હીથી કતાર જઈ રહી હતી ફ્લાઈટ


  • Published By :
  • Published Date : 2023-03-13 12:27:59

દોહા જઈ રહેલી ઈંડિગો એયરલાઈનની ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ પાકિસ્તાનના કરાચીમાં કરવામાં આવી હતી. મેડિકલ ઈમરજન્સીને લઈ આ લેન્ડિંગ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ફ્લાઈટમાં સવાર એક યાત્રીની તબિયત લથડી ગઈ હતી. જેને કારણે ફ્લાઈટની લેન્ડિંગ કરવામાં આવી હતી. તબિયત ખરાબ થવાના સમાચાર મળતા નજીકના એરપોર્ટ પર ફ્લાઈટને લેન્ડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર કરાચીમાં ફ્લાઈટ લેન્ડ થાય તે પહેલા જ યાત્રીકનું મોત થઈ ગયું હતું.


તબિયત બગડતા પ્લેનનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ 

મેડિકલ ઈમરજન્સીને કારણે અનેક વખત ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડ કરવામાં આવતી હોય છે. ત્યારે મેડિકલ ઈમરજન્સીને કારણે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 9E1736 દિલ્હીથી કતારની રાજધાની દોહા જઈ રહી હતી. પ્રવાસ દરમિયાન એક યાત્રીકની તબિયત બગડી ગઈ હતી. મુસાફરી દરમિયાન એક મુસાફરે તબિયત ખરાબ હોવાની વાત કરી હતી. જેને પગલે નજીકના એરપોર્ટ પર લેન્ડ કરવાની પરવાનગી માગી હતી. પ્લેનના પાયલટે નજીકના કરાચી એરપોર્ટના એક ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી અને જે બાદ પ્લેનને ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી આપવામાં આવી હતી. કરાચી એર ટ્રાફિક કંટ્રોલે ફ્લાઈટને લેન્ડ કરવાની મંજૂરી આપી હતી. 


મળતી માહિતી અનુસાર યાત્રીકનું થયું મોત 

આ અંગે મળતી માહિતી અનુસાર જે યાત્રીકની તબિયત બગડી હતી તેનું મોત થઈ ગયું છે. કરાચીમાં પ્લેન લેન્ડ થાય તે પહેલા જ યાત્રીકે અંતિમ શ્વાસ લઈ લીધા હતા. નિવેદન આપતા ઈંડિગોએ જણાવ્યું કે આ ખબરથી અમે બધા દુખી છીએ. મૃતકના પરિવારજનોને તેમજ સંબંધીઓને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ.     




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .