Americaમાં થયું અંધાધૂધ ફાયરિંગ, અનેક લોકોના મોત જ્યારે અનેક લોકો ઘાયલ, White Houseએ શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2023-10-26 12:44:24

અમેરિકામાં ફરી એક વખત ભીષણ ગોળીબારી થવાની ઘટના સામે આવી છે. અને આ ગોળીબારીમાં એક-બે નહીં પરંતુ 22 જેટલા લોકો મર્યા છે તેવા સમાચાર મળ્યા છે. અમેરિકાના મેનના લ્યુઈસ્ટનમાં ફાયરિંગ થઈ છે. જે વ્યક્તિએ આ ફાયરિંગ કર્યું છે તેની ઓળખ કરી લેવામાં આવી છે અને તેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 25 ઓક્ટોબરે રાત્રે બની છે. પોલીસના જણાવ્યા અનુસાર શૂટરે બુધવારે રાત્રે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીની ઓળખાણ કરી લીધી હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે.

શંકાસ્પદ વ્યક્તિના ફોટો સોશિયલ મીડિયા પર કર્યા હતા શેર 

અમેરિકાના લેવિસ્ટન શહેરમાં અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવી ઘટના બની છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે જ્યારે 22 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ મૃત્યુઆંકમાં વધારો પણ થઈ શકે છે તેવી સંભાવના છે. ફાયરિંગની ઘટનાઓ અમેરિકામાં બનવી સામાન્ય છે તેવું માનવામાં આવે છે કારણ કે ત્યાંથી છાશવારે આવા સમાચારો સામે આવતા હોય છે. આ ફાયરિંગને અંજામ એક સક્રિય શૂટરે આપ્યો હતો. એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે ફેસબુક પર શંકાસ્પદ વ્યક્તિના બે ફોટા પણ શેર કર્યા છે. એ ફોટામાં એક બંદૂક ધારી તેના ખભા પર હથિયાર લટકાવીને કોઈ જગ્યા પર પ્રવેશ કરી રહ્યો છે. ઘટનાને અંજામ આપ્યા બાદ ફાયરિંગ કરનાર વ્યક્તિ ફરાર હતો. પરંતુ તેની ઓખળ કરી લેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 

Image


વ્હાઈટ હાઉસ દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા 

મળતી માહિતી અનુસાર ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ રોબર્ટ કાર્ડ તરીકે થઈ છે, જે યુએસ આર્મી રિઝર્વમાં ફાયર આર્મ્સ ટ્રેનર છે. રોબર્ટ હોલને થોડા સમય પહેલા માનસિક સ્વાસ્થ્ય સુવિધામાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ વ્હાઈટ હાઉસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રમુખ જૉ બેન આ ઘટના પર નજર રાખી રહ્યા છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ ગવર્નર જેનેટ મિલ્સ, સેનેટર એંગસ કિંગ અને સુસાન કોલિન્સ અને કોંગ્રેસમેન જેરેડ ગોલ્ડન સાથે લેવિસ્ટન, મેઇનમાં થયેલા ગોળીબાર અંગે ફોન પર વાત કરી હતી.

 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.