Americaમાં થયું અંધાધૂધ ફાયરિંગ, અનેક લોકોના મોત જ્યારે અનેક લોકો ઘાયલ, White Houseએ શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2023-10-26 12:44:24

અમેરિકામાં ફરી એક વખત ભીષણ ગોળીબારી થવાની ઘટના સામે આવી છે. અને આ ગોળીબારીમાં એક-બે નહીં પરંતુ 22 જેટલા લોકો મર્યા છે તેવા સમાચાર મળ્યા છે. અમેરિકાના મેનના લ્યુઈસ્ટનમાં ફાયરિંગ થઈ છે. જે વ્યક્તિએ આ ફાયરિંગ કર્યું છે તેની ઓળખ કરી લેવામાં આવી છે અને તેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 25 ઓક્ટોબરે રાત્રે બની છે. પોલીસના જણાવ્યા અનુસાર શૂટરે બુધવારે રાત્રે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીની ઓળખાણ કરી લીધી હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે.

શંકાસ્પદ વ્યક્તિના ફોટો સોશિયલ મીડિયા પર કર્યા હતા શેર 

અમેરિકાના લેવિસ્ટન શહેરમાં અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવી ઘટના બની છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે જ્યારે 22 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ મૃત્યુઆંકમાં વધારો પણ થઈ શકે છે તેવી સંભાવના છે. ફાયરિંગની ઘટનાઓ અમેરિકામાં બનવી સામાન્ય છે તેવું માનવામાં આવે છે કારણ કે ત્યાંથી છાશવારે આવા સમાચારો સામે આવતા હોય છે. આ ફાયરિંગને અંજામ એક સક્રિય શૂટરે આપ્યો હતો. એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે ફેસબુક પર શંકાસ્પદ વ્યક્તિના બે ફોટા પણ શેર કર્યા છે. એ ફોટામાં એક બંદૂક ધારી તેના ખભા પર હથિયાર લટકાવીને કોઈ જગ્યા પર પ્રવેશ કરી રહ્યો છે. ઘટનાને અંજામ આપ્યા બાદ ફાયરિંગ કરનાર વ્યક્તિ ફરાર હતો. પરંતુ તેની ઓખળ કરી લેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 

Image


વ્હાઈટ હાઉસ દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા 

મળતી માહિતી અનુસાર ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ રોબર્ટ કાર્ડ તરીકે થઈ છે, જે યુએસ આર્મી રિઝર્વમાં ફાયર આર્મ્સ ટ્રેનર છે. રોબર્ટ હોલને થોડા સમય પહેલા માનસિક સ્વાસ્થ્ય સુવિધામાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ વ્હાઈટ હાઉસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રમુખ જૉ બેન આ ઘટના પર નજર રાખી રહ્યા છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ ગવર્નર જેનેટ મિલ્સ, સેનેટર એંગસ કિંગ અને સુસાન કોલિન્સ અને કોંગ્રેસમેન જેરેડ ગોલ્ડન સાથે લેવિસ્ટન, મેઇનમાં થયેલા ગોળીબાર અંગે ફોન પર વાત કરી હતી.

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.