Americaમાં થયું અંધાધૂધ ફાયરિંગ, અનેક લોકોના મોત જ્યારે અનેક લોકો ઘાયલ, White Houseએ શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2023-10-26 12:44:24

અમેરિકામાં ફરી એક વખત ભીષણ ગોળીબારી થવાની ઘટના સામે આવી છે. અને આ ગોળીબારીમાં એક-બે નહીં પરંતુ 22 જેટલા લોકો મર્યા છે તેવા સમાચાર મળ્યા છે. અમેરિકાના મેનના લ્યુઈસ્ટનમાં ફાયરિંગ થઈ છે. જે વ્યક્તિએ આ ફાયરિંગ કર્યું છે તેની ઓળખ કરી લેવામાં આવી છે અને તેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 25 ઓક્ટોબરે રાત્રે બની છે. પોલીસના જણાવ્યા અનુસાર શૂટરે બુધવારે રાત્રે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીની ઓળખાણ કરી લીધી હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે.

શંકાસ્પદ વ્યક્તિના ફોટો સોશિયલ મીડિયા પર કર્યા હતા શેર 

અમેરિકાના લેવિસ્ટન શહેરમાં અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવી ઘટના બની છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે જ્યારે 22 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ મૃત્યુઆંકમાં વધારો પણ થઈ શકે છે તેવી સંભાવના છે. ફાયરિંગની ઘટનાઓ અમેરિકામાં બનવી સામાન્ય છે તેવું માનવામાં આવે છે કારણ કે ત્યાંથી છાશવારે આવા સમાચારો સામે આવતા હોય છે. આ ફાયરિંગને અંજામ એક સક્રિય શૂટરે આપ્યો હતો. એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે ફેસબુક પર શંકાસ્પદ વ્યક્તિના બે ફોટા પણ શેર કર્યા છે. એ ફોટામાં એક બંદૂક ધારી તેના ખભા પર હથિયાર લટકાવીને કોઈ જગ્યા પર પ્રવેશ કરી રહ્યો છે. ઘટનાને અંજામ આપ્યા બાદ ફાયરિંગ કરનાર વ્યક્તિ ફરાર હતો. પરંતુ તેની ઓખળ કરી લેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 

Image


વ્હાઈટ હાઉસ દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા 

મળતી માહિતી અનુસાર ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ રોબર્ટ કાર્ડ તરીકે થઈ છે, જે યુએસ આર્મી રિઝર્વમાં ફાયર આર્મ્સ ટ્રેનર છે. રોબર્ટ હોલને થોડા સમય પહેલા માનસિક સ્વાસ્થ્ય સુવિધામાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ વ્હાઈટ હાઉસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રમુખ જૉ બેન આ ઘટના પર નજર રાખી રહ્યા છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ ગવર્નર જેનેટ મિલ્સ, સેનેટર એંગસ કિંગ અને સુસાન કોલિન્સ અને કોંગ્રેસમેન જેરેડ ગોલ્ડન સાથે લેવિસ્ટન, મેઇનમાં થયેલા ગોળીબાર અંગે ફોન પર વાત કરી હતી.

 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.