Americaમાં થયું અંધાધૂધ ફાયરિંગ, અનેક લોકોના મોત જ્યારે અનેક લોકો ઘાયલ, White Houseએ શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2023-10-26 12:44:24

અમેરિકામાં ફરી એક વખત ભીષણ ગોળીબારી થવાની ઘટના સામે આવી છે. અને આ ગોળીબારીમાં એક-બે નહીં પરંતુ 22 જેટલા લોકો મર્યા છે તેવા સમાચાર મળ્યા છે. અમેરિકાના મેનના લ્યુઈસ્ટનમાં ફાયરિંગ થઈ છે. જે વ્યક્તિએ આ ફાયરિંગ કર્યું છે તેની ઓળખ કરી લેવામાં આવી છે અને તેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 25 ઓક્ટોબરે રાત્રે બની છે. પોલીસના જણાવ્યા અનુસાર શૂટરે બુધવારે રાત્રે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીની ઓળખાણ કરી લીધી હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે.

શંકાસ્પદ વ્યક્તિના ફોટો સોશિયલ મીડિયા પર કર્યા હતા શેર 

અમેરિકાના લેવિસ્ટન શહેરમાં અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવી ઘટના બની છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે જ્યારે 22 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ મૃત્યુઆંકમાં વધારો પણ થઈ શકે છે તેવી સંભાવના છે. ફાયરિંગની ઘટનાઓ અમેરિકામાં બનવી સામાન્ય છે તેવું માનવામાં આવે છે કારણ કે ત્યાંથી છાશવારે આવા સમાચારો સામે આવતા હોય છે. આ ફાયરિંગને અંજામ એક સક્રિય શૂટરે આપ્યો હતો. એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે ફેસબુક પર શંકાસ્પદ વ્યક્તિના બે ફોટા પણ શેર કર્યા છે. એ ફોટામાં એક બંદૂક ધારી તેના ખભા પર હથિયાર લટકાવીને કોઈ જગ્યા પર પ્રવેશ કરી રહ્યો છે. ઘટનાને અંજામ આપ્યા બાદ ફાયરિંગ કરનાર વ્યક્તિ ફરાર હતો. પરંતુ તેની ઓખળ કરી લેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 

Image


વ્હાઈટ હાઉસ દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા 

મળતી માહિતી અનુસાર ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ રોબર્ટ કાર્ડ તરીકે થઈ છે, જે યુએસ આર્મી રિઝર્વમાં ફાયર આર્મ્સ ટ્રેનર છે. રોબર્ટ હોલને થોડા સમય પહેલા માનસિક સ્વાસ્થ્ય સુવિધામાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ વ્હાઈટ હાઉસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રમુખ જૉ બેન આ ઘટના પર નજર રાખી રહ્યા છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ ગવર્નર જેનેટ મિલ્સ, સેનેટર એંગસ કિંગ અને સુસાન કોલિન્સ અને કોંગ્રેસમેન જેરેડ ગોલ્ડન સાથે લેવિસ્ટન, મેઇનમાં થયેલા ગોળીબાર અંગે ફોન પર વાત કરી હતી.

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે