ઈન્ડોનેશિયાની સરકારે રાજધાની બદલવાનો કર્યો મોટો નિર્ણય, કારણ જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-03-10 14:55:06

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા જે ઝડપથી ડૂબી રહી છે તેથી તે હવે દેશની રાજધાની રહેશે નહીં. ભીડભાડ, પ્રદૂષિત, ભૂકંપ માટે સંવેદનશીલ અને જાવા સમુદ્રમાં ઝડપથી ડૂબી રહેલા જાકાર્તાને બદલે હવે ઈન્ડોનેશિયાની સરકાર બોર્નિયો ટાપુ પર નવી રાજધાની સ્થાપિત કરવા જઈ રહી છે. બોર્નિયોના પૂર્વ કાલીમંતન પ્રાંતમાં 256,000 હેક્ટર જમીન પર નવી રાજધાની બનાવવામાં આવી રહી છે. ઈન્ડોનેશિયાના અધિકારીઓનું કહેવું છે કે નવી રાજધાની 'ફોરેસ્ટ સીટી' હશે, જ્યાં પર્યાવરણનું રક્ષણ વિકાસ માટે પ્રથમ પ્રાથમિકતા રહેશે. નવી રાજધાનીને 2045 સુધીમાં કાર્બન-ન્યૂટ્રલ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.


નુસંતારા ઈન્ડોનેશિયાની નવી રાજધાની


ઈન્ડોનેશિયાના પ્રમુખ વિડોડો બોર્નિયો ટાપુ પર નુસંતારા શહેરની સ્થાપના કરવા જઈ રહ્યા છે. તે નુસંતારા એ જૂનો ઇન્ડોનેશિયન શબ્દ છે જેનો અર્થ થાય છે દ્વીપસમૂહ. આ નવી રાજધાનીમાં, સરકારે બધું ફરીથી બનાવવું પડશે. સરકારી ઇમારતો, આવાસનું પુનઃનિર્માણ કરવામાં આવશે. અગાઉ એવું અનુમાન હતું કે 15 લાખ કર્માચારીઓને જકાર્તાથી નવી રાજધાનીમાં ખસેડવામાં આવશે, જોકે મંત્રાલયો અને સરકારી એજન્સીઓ હજુ પણ આ સંખ્યાને અંતિમ સ્વરૂપ આપવા પર કામ કરી રહી છે.



શા માટે નવી રાજધાની?


હવે સવાલ એ થાય છે કે ઈન્ડોનેશિયા શા માટે તેની રાજધાની બદલી રહ્યું છે. તેનો  જવાબ એ છે કે જાકાર્તા વિશ્નના સૌથી ઝડપથી સમુદ્રમાં ડૂબનારા શહેરોમાં આવે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ત્રીજાભાગનું જાકાર્તા 2050 સુધી જળમગ્ન બની ગયો હશે. જળવાયુ પરીવર્તનના કારણે જાવા સાગરનું જળસ્તર સતત અને ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે રાજધાની જાકાર્તા પર સંકટ ઉભું થયું છે. તે ઉપરાંત પ્રદુષિત હવા-પાણી અને જાકાર્તામાં વસ્તી ગીચતા પણ એક મોટી સમસ્યા બની છે.  


પર્યાવરણવાદીઓએ કર્યો વિરોધ


ઈન્ડોનેશિયાની સરકારે નવી રાજધાની બનાવવાની જાહેારાત તો કરી પણ પર્યાવરણવાદીઓ સરકાર આ નિર્ણયનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. ફોરેસ્ટ વોચ ઇન્ડોનેશિયા નામનું એક સંગઠન આ મુદ્દે સરકારનો વિરોધ કરી રહ્યું છે. આ એક ઇન્ડોનેશિયન બિન-સરકારી સંસ્થા છે, જે જંગલોને બચાવવા માટે કામ કરે છે. તેણે નવેમ્બર 2022ના રિપોર્ટમાં ચેતવણી આપી હતી કે નવી રાજધાની બનાવવા માટે મોટાપાયે વનનો સફાયો થશે.


પર્યાવરણવાદીઓએ ચેતવણી આપી છે કે રાજધાની વસાવવાના કારણે બોર્નિયોના પૂર્વી કાલીમંતન પ્રાંતમાં રહેતા વનમાનુષો, દીપડાઓ તથા અન્ય વન્યજીવો પર અસ્તિત્વનો સવાલ ઉભો થયો છે. આ જંગલ તેમનું ઘર છે અને તેના કારણે વનમાનુષો જેવી લુપ્તપ્રાય પ્રજાતિઓ સદાય માટે વિલુપ્ત થઈ જશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.