ઈન્ડોનેશિયાની સરકારે રાજધાની બદલવાનો કર્યો મોટો નિર્ણય, કારણ જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-03-10 14:55:06

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા જે ઝડપથી ડૂબી રહી છે તેથી તે હવે દેશની રાજધાની રહેશે નહીં. ભીડભાડ, પ્રદૂષિત, ભૂકંપ માટે સંવેદનશીલ અને જાવા સમુદ્રમાં ઝડપથી ડૂબી રહેલા જાકાર્તાને બદલે હવે ઈન્ડોનેશિયાની સરકાર બોર્નિયો ટાપુ પર નવી રાજધાની સ્થાપિત કરવા જઈ રહી છે. બોર્નિયોના પૂર્વ કાલીમંતન પ્રાંતમાં 256,000 હેક્ટર જમીન પર નવી રાજધાની બનાવવામાં આવી રહી છે. ઈન્ડોનેશિયાના અધિકારીઓનું કહેવું છે કે નવી રાજધાની 'ફોરેસ્ટ સીટી' હશે, જ્યાં પર્યાવરણનું રક્ષણ વિકાસ માટે પ્રથમ પ્રાથમિકતા રહેશે. નવી રાજધાનીને 2045 સુધીમાં કાર્બન-ન્યૂટ્રલ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.


નુસંતારા ઈન્ડોનેશિયાની નવી રાજધાની


ઈન્ડોનેશિયાના પ્રમુખ વિડોડો બોર્નિયો ટાપુ પર નુસંતારા શહેરની સ્થાપના કરવા જઈ રહ્યા છે. તે નુસંતારા એ જૂનો ઇન્ડોનેશિયન શબ્દ છે જેનો અર્થ થાય છે દ્વીપસમૂહ. આ નવી રાજધાનીમાં, સરકારે બધું ફરીથી બનાવવું પડશે. સરકારી ઇમારતો, આવાસનું પુનઃનિર્માણ કરવામાં આવશે. અગાઉ એવું અનુમાન હતું કે 15 લાખ કર્માચારીઓને જકાર્તાથી નવી રાજધાનીમાં ખસેડવામાં આવશે, જોકે મંત્રાલયો અને સરકારી એજન્સીઓ હજુ પણ આ સંખ્યાને અંતિમ સ્વરૂપ આપવા પર કામ કરી રહી છે.



શા માટે નવી રાજધાની?


હવે સવાલ એ થાય છે કે ઈન્ડોનેશિયા શા માટે તેની રાજધાની બદલી રહ્યું છે. તેનો  જવાબ એ છે કે જાકાર્તા વિશ્નના સૌથી ઝડપથી સમુદ્રમાં ડૂબનારા શહેરોમાં આવે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ત્રીજાભાગનું જાકાર્તા 2050 સુધી જળમગ્ન બની ગયો હશે. જળવાયુ પરીવર્તનના કારણે જાવા સાગરનું જળસ્તર સતત અને ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે રાજધાની જાકાર્તા પર સંકટ ઉભું થયું છે. તે ઉપરાંત પ્રદુષિત હવા-પાણી અને જાકાર્તામાં વસ્તી ગીચતા પણ એક મોટી સમસ્યા બની છે.  


પર્યાવરણવાદીઓએ કર્યો વિરોધ


ઈન્ડોનેશિયાની સરકારે નવી રાજધાની બનાવવાની જાહેારાત તો કરી પણ પર્યાવરણવાદીઓ સરકાર આ નિર્ણયનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. ફોરેસ્ટ વોચ ઇન્ડોનેશિયા નામનું એક સંગઠન આ મુદ્દે સરકારનો વિરોધ કરી રહ્યું છે. આ એક ઇન્ડોનેશિયન બિન-સરકારી સંસ્થા છે, જે જંગલોને બચાવવા માટે કામ કરે છે. તેણે નવેમ્બર 2022ના રિપોર્ટમાં ચેતવણી આપી હતી કે નવી રાજધાની બનાવવા માટે મોટાપાયે વનનો સફાયો થશે.


પર્યાવરણવાદીઓએ ચેતવણી આપી છે કે રાજધાની વસાવવાના કારણે બોર્નિયોના પૂર્વી કાલીમંતન પ્રાંતમાં રહેતા વનમાનુષો, દીપડાઓ તથા અન્ય વન્યજીવો પર અસ્તિત્વનો સવાલ ઉભો થયો છે. આ જંગલ તેમનું ઘર છે અને તેના કારણે વનમાનુષો જેવી લુપ્તપ્રાય પ્રજાતિઓ સદાય માટે વિલુપ્ત થઈ જશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .