IND vs WI Test : બીજી ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, વિરાટ કોહલીએ ફટકારી પોતાની 76મી સદી


  • Published By :
  • Published Date : 2023-07-21 21:28:32

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે હાલ બીજી મેચ રમાઈ રહી છે, ત્યારે આ બીજી મેચમાં ભારતીય બેટર્સનો દબદબો દેખાઈ રહ્યો છે, જેમાં વિરાટ કોહલીનું મહત્વનું યોગદાન ઉમેરાયું છે. વિરાટ કોહલીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 76મી સદી અને તેમની ટેસ્ટ કરિયરની 29મી સદી ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી તેમની 500મી ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યાં છે. 

લાંબા સમય બાદ વિદેશી ધરતી પર કોહલીનું કમબેક 


વિરાટ કોહલીના ટેસ્ટ કરિયરની વાત કરવામાં આવે તો ઘણાં લાંબા સમય પછી ટેસ્ટ મેચમાં કોહલીની સદી જોવા મળી છે. લગભગ વિરાટ કોહલીએ 55 મહિના બાદ વિદેશમાં ટેસ્ટ સદી ફટકારી છે. વિદેશી ધરતી પર આ પહેલા કોહલીએ છેલ્લી ટેસ્ટ સદી ડિસેમ્બર 2018માં પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે બનાવી હતી.


વિરાટ કોહલીના નામે વધુ એક રેકોર્ડ


વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં પોતાની સદી બનાવવાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 25,500 રન પૂરા કરી લીધા છે. આ સિદ્ધિ હાંસિલ કરનાર વિરાટ કોહલી સચિન તેંડુલકર બાદ ભારતના બીજા બેટ્સમેન છે. સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25,500 રન પૂરા કરી શક્યા નથી. 


બીજી ટેસ્ટના પહેલા દિવસથી જ ભારતની સ્થિતિ મજબૂત


વેસ્ટ ઈન્ડિઝ સામે પેહલી ટેસ્ટમાં શાનદાર વિજય બાદ બીજી ટેસ્ટમાં પણ ભારતીય ટીમે જોરદાર શરુઆત કરી હતી. પહેલા દિવસે 4 વિકેટના નુકસાન પર 288 રન બનાવ્યાં હતા, જેમાં કેપ્ટન રોહિત શર્મા અને ઓપનિંગ બેટર યશસ્વી જયસ્વાલની ફિફ્ટી સામેલ હતી, ત્યાર બાદ ટેસ્ટના બીજા દિવસે વિરાટ કોહલની સેન્ચ્યુરી અને રવિન્દ્ર જોડેજાની ફિફ્ટીની મદદથી સેશન 1 દરમિયાન 97 ઓવરની મદદથી ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 337 રન સુધી પહોંચ્યો છે.વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા હજી પણ રમતમાં છે. 


ભારત અને વેસ્ટઈન્ડિઝના પ્લેઈંગ 11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, જયદેવ ઉનડકટ, મુકેશ કુમાર અને મોહમ્મદ સિરાજ.

વેસ્ટઈન્ડીઝ: ક્રેગ બ્રેથવેટ(કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, કિર્ક મેકેન્ઝી, જર્માઈન બ્લેકવુડ, એલિક એથેનાઝ, જોશુઆ દા સિલ્વા(વિકેટકીપર), જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફ, કેમર રોચ, જોમેલ વોરિકન અને શેનોન ગેબ્રિયલ.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.