અમેરિકાના પ્રમુખ જો બિડેને આખરે મંદીની શક્યતા સ્વીકારી, પહેલા નકારી ચુક્યા હતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 13:44:45

સમગ્ર વિશ્વ પર મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે. દુનિયાના અનેક દેશોએ આ મંદીને પહોંચી વળવાના પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. વિશ્વની અગ્રણી સંસ્થાઓ જેવી કે IMF અને વિશ્વ બેંક પછી, હવે અમેરિકાના પ્રમુખ જો બિડેને સ્વીકાર્યું કે  અમેરિકાની અર્થવ્યવસ્થાની ગતિ થોડી ધીમી પડી શકે છે. અને કદાચ આપણે બહું નહીં પરંતુ થોડી મંદીનો સામનો કરવો પડશે. અમેરિકાનું અર્થતંત્ર મંદીનો સામનો કરી શકે છે. વધતી મોંઘવારી અને યુક્રેન પર રશિયાના હુમલાના પગલે અમેરિકી રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું કે અમેરિકામાં હળવી મંદી આવી શકે છે. 


મંદી અંગે શું કહ્યું જો  બિડેને??


અમેરિકામાં મંદીની શક્યતા અંગે જોઈ બિડેને જણાવ્યું હતું કે અમેરિકામાંમાં મંદી શક્યતા છે પરંતુ જો કોઈ મંદી આવશે તો પણ તે "ખૂબ જ ઓછી" હશે અને અમેરિકાનું અર્થતંત્ર આ પ્રકારની આંધીનો સામનો કરવા માટે સક્ષમ છે.


અમેરિકાના પ્રમુખ બિડેને મંગળવારે સીએનએન સાથેની મુલાકાતમાં કહ્યું કે “મને નથી લાગતું કે મંદી આવશે. જો તે આવશે, તો તે ખૂબ જ હળવી મંદી હશે. એટલે કે, આપણું અર્થતંત્ર થોડું ઘટશે ”


IMFએ શું આગાહી કરી હતી?


આઈએમએફએ મંગળવારે અમેરિકાના વૃધ્ધી દરના અનુમાનને ઘટાડી દીધું છે. તેણે કહ્યું કે આ વર્ષે અમેરિકાના અર્થતંત્રનો વૃધ્ધી દર 1.6 ટકા અને આગામી વર્ષે 1 ટકા જેટલી રહી શકે છે. તેમણે 2023માં ગ્લોબલ ઈકોનોમીના ગ્રોથના અનુમાનમાં ઘટાડો કર્યો છે. તેણે કહ્યું કે ગ્લોબલ ઈકોનોમીની સ્થિતી ખરાબ થઈ રહી છે.


અમેરિકાના લોકોએ મંદી માટે  કેટલા તૈયાર રહેવું જોઈએ તે અંગે બિડેને જો કે નકારમાં જવાબ આપ્યો હતો. જો કે આ પહેલા બાઈડેને અનેક વખત કહ્યું હતું ક મંદીની દીની આશંકા નથી લાગતી, તેમણે મંદી અંગે રિપબ્લિકન્સ અમે એનાલિસ્ટના અનુમાનો ફગાવી દીધા હતા  તેમણે જુનમાં એપીને જણાવ્યું હતું કે મંદી આવવાની નથી પરંતું અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડ રિઝર્વ સતત વ્યાજ દર વધારી રહ્યું છે. તેમ છતાં મોંઘવારીામાં કોઈ મોટો ઘટાડો જોવા મળી રહ્યું રહ્યો નથી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .