અમેરિકાના પ્રમુખ જો બિડેને આખરે મંદીની શક્યતા સ્વીકારી, પહેલા નકારી ચુક્યા હતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 13:44:45

સમગ્ર વિશ્વ પર મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે. દુનિયાના અનેક દેશોએ આ મંદીને પહોંચી વળવાના પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. વિશ્વની અગ્રણી સંસ્થાઓ જેવી કે IMF અને વિશ્વ બેંક પછી, હવે અમેરિકાના પ્રમુખ જો બિડેને સ્વીકાર્યું કે  અમેરિકાની અર્થવ્યવસ્થાની ગતિ થોડી ધીમી પડી શકે છે. અને કદાચ આપણે બહું નહીં પરંતુ થોડી મંદીનો સામનો કરવો પડશે. અમેરિકાનું અર્થતંત્ર મંદીનો સામનો કરી શકે છે. વધતી મોંઘવારી અને યુક્રેન પર રશિયાના હુમલાના પગલે અમેરિકી રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું કે અમેરિકામાં હળવી મંદી આવી શકે છે. 


મંદી અંગે શું કહ્યું જો  બિડેને??


અમેરિકામાં મંદીની શક્યતા અંગે જોઈ બિડેને જણાવ્યું હતું કે અમેરિકામાંમાં મંદી શક્યતા છે પરંતુ જો કોઈ મંદી આવશે તો પણ તે "ખૂબ જ ઓછી" હશે અને અમેરિકાનું અર્થતંત્ર આ પ્રકારની આંધીનો સામનો કરવા માટે સક્ષમ છે.


અમેરિકાના પ્રમુખ બિડેને મંગળવારે સીએનએન સાથેની મુલાકાતમાં કહ્યું કે “મને નથી લાગતું કે મંદી આવશે. જો તે આવશે, તો તે ખૂબ જ હળવી મંદી હશે. એટલે કે, આપણું અર્થતંત્ર થોડું ઘટશે ”


IMFએ શું આગાહી કરી હતી?


આઈએમએફએ મંગળવારે અમેરિકાના વૃધ્ધી દરના અનુમાનને ઘટાડી દીધું છે. તેણે કહ્યું કે આ વર્ષે અમેરિકાના અર્થતંત્રનો વૃધ્ધી દર 1.6 ટકા અને આગામી વર્ષે 1 ટકા જેટલી રહી શકે છે. તેમણે 2023માં ગ્લોબલ ઈકોનોમીના ગ્રોથના અનુમાનમાં ઘટાડો કર્યો છે. તેણે કહ્યું કે ગ્લોબલ ઈકોનોમીની સ્થિતી ખરાબ થઈ રહી છે.


અમેરિકાના લોકોએ મંદી માટે  કેટલા તૈયાર રહેવું જોઈએ તે અંગે બિડેને જો કે નકારમાં જવાબ આપ્યો હતો. જો કે આ પહેલા બાઈડેને અનેક વખત કહ્યું હતું ક મંદીની દીની આશંકા નથી લાગતી, તેમણે મંદી અંગે રિપબ્લિકન્સ અમે એનાલિસ્ટના અનુમાનો ફગાવી દીધા હતા  તેમણે જુનમાં એપીને જણાવ્યું હતું કે મંદી આવવાની નથી પરંતું અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડ રિઝર્વ સતત વ્યાજ દર વધારી રહ્યું છે. તેમ છતાં મોંઘવારીામાં કોઈ મોટો ઘટાડો જોવા મળી રહ્યું રહ્યો નથી.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.