અમેરિકાના પ્રમુખ જો બિડેને આખરે મંદીની શક્યતા સ્વીકારી, પહેલા નકારી ચુક્યા હતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 13:44:45

સમગ્ર વિશ્વ પર મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે. દુનિયાના અનેક દેશોએ આ મંદીને પહોંચી વળવાના પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. વિશ્વની અગ્રણી સંસ્થાઓ જેવી કે IMF અને વિશ્વ બેંક પછી, હવે અમેરિકાના પ્રમુખ જો બિડેને સ્વીકાર્યું કે  અમેરિકાની અર્થવ્યવસ્થાની ગતિ થોડી ધીમી પડી શકે છે. અને કદાચ આપણે બહું નહીં પરંતુ થોડી મંદીનો સામનો કરવો પડશે. અમેરિકાનું અર્થતંત્ર મંદીનો સામનો કરી શકે છે. વધતી મોંઘવારી અને યુક્રેન પર રશિયાના હુમલાના પગલે અમેરિકી રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું કે અમેરિકામાં હળવી મંદી આવી શકે છે. 


મંદી અંગે શું કહ્યું જો  બિડેને??


અમેરિકામાં મંદીની શક્યતા અંગે જોઈ બિડેને જણાવ્યું હતું કે અમેરિકામાંમાં મંદી શક્યતા છે પરંતુ જો કોઈ મંદી આવશે તો પણ તે "ખૂબ જ ઓછી" હશે અને અમેરિકાનું અર્થતંત્ર આ પ્રકારની આંધીનો સામનો કરવા માટે સક્ષમ છે.


અમેરિકાના પ્રમુખ બિડેને મંગળવારે સીએનએન સાથેની મુલાકાતમાં કહ્યું કે “મને નથી લાગતું કે મંદી આવશે. જો તે આવશે, તો તે ખૂબ જ હળવી મંદી હશે. એટલે કે, આપણું અર્થતંત્ર થોડું ઘટશે ”


IMFએ શું આગાહી કરી હતી?


આઈએમએફએ મંગળવારે અમેરિકાના વૃધ્ધી દરના અનુમાનને ઘટાડી દીધું છે. તેણે કહ્યું કે આ વર્ષે અમેરિકાના અર્થતંત્રનો વૃધ્ધી દર 1.6 ટકા અને આગામી વર્ષે 1 ટકા જેટલી રહી શકે છે. તેમણે 2023માં ગ્લોબલ ઈકોનોમીના ગ્રોથના અનુમાનમાં ઘટાડો કર્યો છે. તેણે કહ્યું કે ગ્લોબલ ઈકોનોમીની સ્થિતી ખરાબ થઈ રહી છે.


અમેરિકાના લોકોએ મંદી માટે  કેટલા તૈયાર રહેવું જોઈએ તે અંગે બિડેને જો કે નકારમાં જવાબ આપ્યો હતો. જો કે આ પહેલા બાઈડેને અનેક વખત કહ્યું હતું ક મંદીની દીની આશંકા નથી લાગતી, તેમણે મંદી અંગે રિપબ્લિકન્સ અમે એનાલિસ્ટના અનુમાનો ફગાવી દીધા હતા  તેમણે જુનમાં એપીને જણાવ્યું હતું કે મંદી આવવાની નથી પરંતું અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડ રિઝર્વ સતત વ્યાજ દર વધારી રહ્યું છે. તેમ છતાં મોંઘવારીામાં કોઈ મોટો ઘટાડો જોવા મળી રહ્યું રહ્યો નથી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.