નંદન નીલેકણીએ IIT બોમ્બેને રૂ. 315 કરોડનું આપ્યું દાન, કારકિર્દીને આકાર આપનારી સંસ્થા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2023-06-20 18:37:02

દેશની ખ્યાતનામ આઈટી કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક  અને નોન-એક્ઝિક્યૂટિવ  ચેરમેન નંદન નીલેકણીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) બોમ્બેને રૂ. 315 કરોડનું દાન આપ્યું છે. નીલેકણીએ ડોનેશન ઈન્સ્ટિટ્યુશનમાંથી પાસ થવાના 50 વર્ષ પૂરા થવા પર આ દાન આપ્યું છે. નીલેકણીએ પોતે સોશિયલ મીડિયા પર આની જાણકારી આપી હતી.દેશની કોઈપણ સંસ્થાને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું દાન છે. અત્રે ઉલ્લેખનિય છે કે તેઓ આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. 


કુલ 400 કરોડ રૂપિયાનું દાન


નંદન નીલેકણીએ અગાઉ પણ આઈઆઈટી-મુંબઈ સંસ્થાને રૂ. 85 કરોડનું દાન આપ્યું હતું. જો તેમના બંને દાન ઉમેરવામાં આવે તો આ રકમ 400 કરોડ રૂપિયા થાય છે. દાનની નવી રકમથી આ સંસ્થાને જાગતિક સ્તરે પાયાભૂત સુવિધા તૈયાર કરવામાં મદદ મળશે. IIT બોમ્બેએ 20 જૂનના રોજ એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે - નીલેકણીના દાનનો હેતુ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવાનો છે. આ સિવાય એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવાનું છે. ઉપરાંત, અમે આ રકમનો ઉપયોગ IIT બોમ્બેમાં શ્રેષ્ઠ ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કરીશું.


નંદન નિલેકણીએ 1973માં પ્રવેશ લીધો હતો


નંદન નિલેકણી વર્ષ 1973માં ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવવા IIT બોમ્બેમાં પ્રવેશ લીધો હતો. આઈઆઈટી-મુંબઈને નીલેકણીએ આપેલું દાન સૌથી મોટી રકમનું છે. એમણે 1973માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી માટે આઈઆઈટી-મુંબઈમાં પ્રવેશ મેળવ્યો હતો. નીલેકણીએ કહ્યું છે, આ સંસ્થાનું મારા જીવનમાં અસાધારણ મહત્ત્વ છે. આ સંસ્થાએ મને ઘણું જ આપ્યું છે. મારી જિંદગીના શરૂઆતના તબક્કામાં મારી કારકિર્દીને આકાર આ સંસ્થાએ આપ્યો હતો. આ સંસ્થા સાથેના મારા સંબંધે આજે 50મા વર્ષમાં પદાર્પણ કર્યું છે. તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મેં આ દાન આપ્યું છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .