નંદન નીલેકણીએ IIT બોમ્બેને રૂ. 315 કરોડનું આપ્યું દાન, કારકિર્દીને આકાર આપનારી સંસ્થા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2023-06-20 18:37:02

દેશની ખ્યાતનામ આઈટી કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક  અને નોન-એક્ઝિક્યૂટિવ  ચેરમેન નંદન નીલેકણીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) બોમ્બેને રૂ. 315 કરોડનું દાન આપ્યું છે. નીલેકણીએ ડોનેશન ઈન્સ્ટિટ્યુશનમાંથી પાસ થવાના 50 વર્ષ પૂરા થવા પર આ દાન આપ્યું છે. નીલેકણીએ પોતે સોશિયલ મીડિયા પર આની જાણકારી આપી હતી.દેશની કોઈપણ સંસ્થાને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું દાન છે. અત્રે ઉલ્લેખનિય છે કે તેઓ આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. 


કુલ 400 કરોડ રૂપિયાનું દાન


નંદન નીલેકણીએ અગાઉ પણ આઈઆઈટી-મુંબઈ સંસ્થાને રૂ. 85 કરોડનું દાન આપ્યું હતું. જો તેમના બંને દાન ઉમેરવામાં આવે તો આ રકમ 400 કરોડ રૂપિયા થાય છે. દાનની નવી રકમથી આ સંસ્થાને જાગતિક સ્તરે પાયાભૂત સુવિધા તૈયાર કરવામાં મદદ મળશે. IIT બોમ્બેએ 20 જૂનના રોજ એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે - નીલેકણીના દાનનો હેતુ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવાનો છે. આ સિવાય એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવાનું છે. ઉપરાંત, અમે આ રકમનો ઉપયોગ IIT બોમ્બેમાં શ્રેષ્ઠ ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કરીશું.


નંદન નિલેકણીએ 1973માં પ્રવેશ લીધો હતો


નંદન નિલેકણી વર્ષ 1973માં ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવવા IIT બોમ્બેમાં પ્રવેશ લીધો હતો. આઈઆઈટી-મુંબઈને નીલેકણીએ આપેલું દાન સૌથી મોટી રકમનું છે. એમણે 1973માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી માટે આઈઆઈટી-મુંબઈમાં પ્રવેશ મેળવ્યો હતો. નીલેકણીએ કહ્યું છે, આ સંસ્થાનું મારા જીવનમાં અસાધારણ મહત્ત્વ છે. આ સંસ્થાએ મને ઘણું જ આપ્યું છે. મારી જિંદગીના શરૂઆતના તબક્કામાં મારી કારકિર્દીને આકાર આ સંસ્થાએ આપ્યો હતો. આ સંસ્થા સાથેના મારા સંબંધે આજે 50મા વર્ષમાં પદાર્પણ કર્યું છે. તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મેં આ દાન આપ્યું છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.