નંદન નીલેકણીએ IIT બોમ્બેને રૂ. 315 કરોડનું આપ્યું દાન, કારકિર્દીને આકાર આપનારી સંસ્થા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2023-06-20 18:37:02

દેશની ખ્યાતનામ આઈટી કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક  અને નોન-એક્ઝિક્યૂટિવ  ચેરમેન નંદન નીલેકણીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) બોમ્બેને રૂ. 315 કરોડનું દાન આપ્યું છે. નીલેકણીએ ડોનેશન ઈન્સ્ટિટ્યુશનમાંથી પાસ થવાના 50 વર્ષ પૂરા થવા પર આ દાન આપ્યું છે. નીલેકણીએ પોતે સોશિયલ મીડિયા પર આની જાણકારી આપી હતી.દેશની કોઈપણ સંસ્થાને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું દાન છે. અત્રે ઉલ્લેખનિય છે કે તેઓ આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. 


કુલ 400 કરોડ રૂપિયાનું દાન


નંદન નીલેકણીએ અગાઉ પણ આઈઆઈટી-મુંબઈ સંસ્થાને રૂ. 85 કરોડનું દાન આપ્યું હતું. જો તેમના બંને દાન ઉમેરવામાં આવે તો આ રકમ 400 કરોડ રૂપિયા થાય છે. દાનની નવી રકમથી આ સંસ્થાને જાગતિક સ્તરે પાયાભૂત સુવિધા તૈયાર કરવામાં મદદ મળશે. IIT બોમ્બેએ 20 જૂનના રોજ એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે - નીલેકણીના દાનનો હેતુ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવાનો છે. આ સિવાય એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવાનું છે. ઉપરાંત, અમે આ રકમનો ઉપયોગ IIT બોમ્બેમાં શ્રેષ્ઠ ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કરીશું.


નંદન નિલેકણીએ 1973માં પ્રવેશ લીધો હતો


નંદન નિલેકણી વર્ષ 1973માં ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવવા IIT બોમ્બેમાં પ્રવેશ લીધો હતો. આઈઆઈટી-મુંબઈને નીલેકણીએ આપેલું દાન સૌથી મોટી રકમનું છે. એમણે 1973માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી માટે આઈઆઈટી-મુંબઈમાં પ્રવેશ મેળવ્યો હતો. નીલેકણીએ કહ્યું છે, આ સંસ્થાનું મારા જીવનમાં અસાધારણ મહત્ત્વ છે. આ સંસ્થાએ મને ઘણું જ આપ્યું છે. મારી જિંદગીના શરૂઆતના તબક્કામાં મારી કારકિર્દીને આકાર આ સંસ્થાએ આપ્યો હતો. આ સંસ્થા સાથેના મારા સંબંધે આજે 50મા વર્ષમાં પદાર્પણ કર્યું છે. તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મેં આ દાન આપ્યું છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.