પ્રેરણાદાયી કહાની : મજૂરી કરી, ભણવા 10 કિલોમીટર ચાલી આંધ્રપ્રદેશની ભારતીએ મેળવી PhDની ડિગ્રી


  • Published By :
  • Published Date : 2023-07-20 15:43:53

એક પુરુષને આગળ વધવું હોય તો તે આગળ વધી જાય છે કારણ કે તેને કામ સિવાય બીજા મોટા ભાગના લોડ જીવનમાં હોતા નથી. પણ મહિલાઓના કેસમાં આવું નથી હોતું, તેને ઘર પણ સંભાળવાનું હોય, બાળકો સંભાળવાના હોય અને ઉપરાંત ઓફિસ વગેરે કે જોબ વગેરેનું કામ કરવાનું હોય છે, મહિલા અંગેની વાત એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આંધ્ર પ્રદેશમાં ગરીબ પરીવારની મહિલાએ છોકરાઓને સાચવતા, મજૂરી કરતા અને બાકીના પણ બીજા કામ કરવાની સાથે પીએચડીની ડિગ્રી મેળવી છે જેની દેશ આખામાં ચર્ચા કરવામાં આવી રહી છે, વિગતવાર વાત કરીએ એ મહિલા વિશે જેણે 12 પાસ કર્યું તો તેના લગ્ન થઈ ગયા, લગ્ન પછી આખો દિવસ મજૂરી કરી, લગ્ન બાદ બાળકોને સાાચવ્યા, નાનીકડી ઝુંપડીમાં મોડી રાત સુધી ભણી, ચાલી અને 10 કિલોમીટર યુનિવર્સિટી સુધી ગઈ અને આટલા સંઘર્ષ બાદ પીએચડીની ડિગ્રી મેળવી છે તે પ્રેરણામૂર્તિ સમાન મહિલા છે ભારતી.  

આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે ભારતી કરતા હતા મજૂરી કામ

પરિવારની જવાબદારી, મજૂરીવાળું જીવન અને ખરાબ આર્થિક હાલત, આ બધી પરિસ્થિતિ ભારતી નામની મહિલાની હિંમતને પીએચડી કરતા ન રોકી શકી. વિસ્તારથી તેના જીવનની વાત કરીએ તો ભારતી માબાપની ત્રણ દીકરીમાંથી એક છે. આંધ્રપ્રદેશમાં ભરતીએ 12મુ પાસ કર્યું તો ઘર તરફથી તેનો સંબંધ નક્કી કરી દેવામાં આવ્યો અને લગ્ન થઈ ગયા. લગ્ન બાદ તે પતિ સાથે રહેવા લાગી અને તેના ઘરે નાની એવી ઢીંગલી અવતરી, પરિવાર આંધ્રપ્રદેશના નાગુલાગુડ્ડમ ગામમાં રહેતા હતા. તે ગરીબ પરિસ્થિતિમાંથી આવતી હોવાના કારણે બાપના ઘરે  ભણી શકી ના હતી, પણ તેના મનમાં ભણી ગણીને આગળ વધવાનું સપનું હતું. પણ જ્યાં લગ્ન કર્યા ત્યાં પણ આર્થિક પરિસ્થિતિ ઠીક ના હતી તો ભારતી દિવસના મજૂરી કરવા લાગી. 


ભાડા માટે પૈસા ન હોવાને કારણે 10 કિલોમીટર ચાલીને કોલેજ જતી હતી

એકવાર ભારતીએ તેના નિરક્ષર પતિને ભણી ગણીને આગળ વધવાના સપના વિશે કહ્યું કે મારે ભણવું છે. તો તેના ઘરવાળાએ ભારતીના સપનાને પાંખ આપી. પતિએ ભારતીનું કોલેજમાં નામ લખાવ્યું. ઘરનું કામ, દીકરીને સાચવવાની, મજૂરીએ જવાનું આ બધી પરિસ્થિતિની વચ્ચે એસએસબીએન કોલેજમાં રાસાયણ વિજ્ઞાનના વિષય સાથે ડીગ્રી પૂરી કરી અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે બસમાં ભાડું ન આપવું પડે માટે દસ કિલોમીટર ચાલીને ભારતીકોલેજ જતી હતી. 


આંધ્રપ્રદેશના રાજ્યપાલે ભારતીને એનાયત કરી ડિગ્રી

ભણવામાં શિષ્યવૃત્તિ આવતી હતી તેનો ઉપયોગ પુસ્તકો ખરીદવામાં કર્યો, અને ભણવાનો બાકી ખર્ચો ઉપાડવા ભારતી મજૂરી કરવા લાગી, પીજી પછી ભારતી વિશે જે લોકો સારું વિચારતા હતા તેમણે તેને પીએચડી કરવા માટે કહ્યું, ભારતીના કોલેજમાં પ્રોફેસર ડોક્ટર એમસીએસ શુબા હતા જેમણે ભારતીને આગળ ભણવા માટે અને પીએચડી કરવા માટે હિંમત આપી, ડોક્ટર શુબાએ કહ્યું કે બાઈનરી મિક્સચર પર શોધ કરે, તે સારો વિષય છે. અંતે ભારતીએ પીએચડી કરી અને તેનું સપનું પૂરું થયું. ભારતીને આંધ્રપ્રદેશના રાજ્યપાલ એમ અબ્દુલ નઝીરે બધાની વચ્ચે પીએચડીની ડિગ્રી આપી, ભારતીના પતિ અને દીકરીને પણ રાજ્યપાલે સન્માનિત કર્યા. પીએચડી પછી હવે ભારતીને ડોક્ટરમ્મા કહેવામાં આવે છે 


જો તમારૂ સપનું બળવાન છે તો તમારા સપના પૂરા કરતા કોઈ રોકી શક્તું નથી

ભારતીના જીવનની ઘટના આપણને બધાને સંદેશ આપે છે કે સંઘર્ષ જીવનમાં ગમે એટલો હોય જો તમારું સપનું બળવાન છે અને તમારા ઈરાદામાં મક્કમતા છે તો કોઈ પણ પરિસ્થિતિ તમને તમારા સપનાને પૂરા કરતા નથી રોકી શકતી



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.