સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram અચાનક જ થયું ઠપ, દુનિયાભરના યુઝર્સ પરેશાન


  • Published By :
  • Published Date : 2023-05-22 11:13:34

મેટાની ફોટો અને વીડિયો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ એપ રવિવારે રાત્રે ડાઉન થઈ ગઈ હતી. વિશ્વભરના લાખો યુઝર્સ આ સેવાનો ઉપયોગ કરી શક્યા ન હતા. લોકોને લાગ્યું કે તેમનું ઈન્ટરનેટ કામ કરતું નથી, તેથી તેઓ વારંવાર નેટ બંધ કરીને રિફ્રેસ કરતા હતા, પરંતુ તેમ છતાં ઈન્સ્ટાગ્રામ ચાલતું ન હતું, કારણ કે યુઝર્સને ખબર ન હતી કે ઈન્સ્ટાગ્રામ ડાઉન થઈ ગયું છે.


ઇન્સ્ટાગ્રામ યુઝર્સે કરી ફરિયાદ


લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે સતત ફરિયાદો પણ નોંધાવી અને જણાવ્યું કે તેઓ એપને એક્સેસ કરી શકતા નથી. રવિવારે ઇન્સ્ટાગ્રામ યુઝર્સને ઇન્સ્ટાગ્રામ એક્સેસ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને જો ગ્લોબલ લેવલની વાત કરીએ તો મોટાભાગના અમેરિકન યુઝર્સે ફરિયાદ નોંધાવી હતી અને અહીં યુઝર્સની સંખ્યા એક લાખથી વધુ હતી. 


આઉટેજ પાછળનું કારણ ટેક્નિકલ 


1 લાખ 80 હજાર યુઝર્સે ઇન્સ્ટાગ્રામ એક્સેસ કરવા માટે ડાઉનની ફરિયાદ આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ Down Detector.com પર કરી હતી. વેબસાઈટ અનુસાર, આ આઉટેજ પાછળનું કારણ ટેક્નિકલ સમસ્યા હોઈ શકે છે, જેના કારણે લોકોને એપ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી હતી, જોકે અમે આ સમસ્યાને ઉકેલવા માટે સતત કામ કરી રહ્યા છીએ. Instagram રવિવારે લગભગ 1745 ET થી વપરાશકર્તાઓ માટે ડાઉન હતું. એક લાખ 80 હજારથી વધુ યુઝર્સે આ સમસ્યા અંગે ફરિયાદ કરી હતી.


મેટાએ અસુવિધા બદલ યુઝર્સની માફી માગી


મેટાના પ્રવક્તાએ પણ સ્વીકાર્યું હતું કે લોકો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ઍક્સેસ કરવામાં જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેનાથી અમે સંપૂર્ણપણે વાકેફ છીએ. અમે શક્ય તેટલી વહેલી તકે સેવાઓ સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તેમના માટે દિલગીર છીએ. જો કે બાદમાં તેમણે રોઇટર્સને જણાવ્યું હતું કે ટેક્નિકલ સમસ્યાને કારણે કેટલાક લોકો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ઍક્સેસ કરવામાં સમસ્યા અનુભવી રહ્યા હતા. અમે તાત્કાલિક અસરથી સમસ્યાનું નિવારણ કરી દીધું છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.