સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram અચાનક જ થયું ઠપ, દુનિયાભરના યુઝર્સ પરેશાન


  • Published By :
  • Published Date : 2023-05-22 11:13:34

મેટાની ફોટો અને વીડિયો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ એપ રવિવારે રાત્રે ડાઉન થઈ ગઈ હતી. વિશ્વભરના લાખો યુઝર્સ આ સેવાનો ઉપયોગ કરી શક્યા ન હતા. લોકોને લાગ્યું કે તેમનું ઈન્ટરનેટ કામ કરતું નથી, તેથી તેઓ વારંવાર નેટ બંધ કરીને રિફ્રેસ કરતા હતા, પરંતુ તેમ છતાં ઈન્સ્ટાગ્રામ ચાલતું ન હતું, કારણ કે યુઝર્સને ખબર ન હતી કે ઈન્સ્ટાગ્રામ ડાઉન થઈ ગયું છે.


ઇન્સ્ટાગ્રામ યુઝર્સે કરી ફરિયાદ


લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે સતત ફરિયાદો પણ નોંધાવી અને જણાવ્યું કે તેઓ એપને એક્સેસ કરી શકતા નથી. રવિવારે ઇન્સ્ટાગ્રામ યુઝર્સને ઇન્સ્ટાગ્રામ એક્સેસ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને જો ગ્લોબલ લેવલની વાત કરીએ તો મોટાભાગના અમેરિકન યુઝર્સે ફરિયાદ નોંધાવી હતી અને અહીં યુઝર્સની સંખ્યા એક લાખથી વધુ હતી. 


આઉટેજ પાછળનું કારણ ટેક્નિકલ 


1 લાખ 80 હજાર યુઝર્સે ઇન્સ્ટાગ્રામ એક્સેસ કરવા માટે ડાઉનની ફરિયાદ આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ Down Detector.com પર કરી હતી. વેબસાઈટ અનુસાર, આ આઉટેજ પાછળનું કારણ ટેક્નિકલ સમસ્યા હોઈ શકે છે, જેના કારણે લોકોને એપ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી હતી, જોકે અમે આ સમસ્યાને ઉકેલવા માટે સતત કામ કરી રહ્યા છીએ. Instagram રવિવારે લગભગ 1745 ET થી વપરાશકર્તાઓ માટે ડાઉન હતું. એક લાખ 80 હજારથી વધુ યુઝર્સે આ સમસ્યા અંગે ફરિયાદ કરી હતી.


મેટાએ અસુવિધા બદલ યુઝર્સની માફી માગી


મેટાના પ્રવક્તાએ પણ સ્વીકાર્યું હતું કે લોકો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ઍક્સેસ કરવામાં જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેનાથી અમે સંપૂર્ણપણે વાકેફ છીએ. અમે શક્ય તેટલી વહેલી તકે સેવાઓ સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તેમના માટે દિલગીર છીએ. જો કે બાદમાં તેમણે રોઇટર્સને જણાવ્યું હતું કે ટેક્નિકલ સમસ્યાને કારણે કેટલાક લોકો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ઍક્સેસ કરવામાં સમસ્યા અનુભવી રહ્યા હતા. અમે તાત્કાલિક અસરથી સમસ્યાનું નિવારણ કરી દીધું છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.