સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram અચાનક જ થયું ઠપ, દુનિયાભરના યુઝર્સ પરેશાન


  • Published By :
  • Published Date : 2023-05-22 11:13:34

મેટાની ફોટો અને વીડિયો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ એપ રવિવારે રાત્રે ડાઉન થઈ ગઈ હતી. વિશ્વભરના લાખો યુઝર્સ આ સેવાનો ઉપયોગ કરી શક્યા ન હતા. લોકોને લાગ્યું કે તેમનું ઈન્ટરનેટ કામ કરતું નથી, તેથી તેઓ વારંવાર નેટ બંધ કરીને રિફ્રેસ કરતા હતા, પરંતુ તેમ છતાં ઈન્સ્ટાગ્રામ ચાલતું ન હતું, કારણ કે યુઝર્સને ખબર ન હતી કે ઈન્સ્ટાગ્રામ ડાઉન થઈ ગયું છે.


ઇન્સ્ટાગ્રામ યુઝર્સે કરી ફરિયાદ


લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે સતત ફરિયાદો પણ નોંધાવી અને જણાવ્યું કે તેઓ એપને એક્સેસ કરી શકતા નથી. રવિવારે ઇન્સ્ટાગ્રામ યુઝર્સને ઇન્સ્ટાગ્રામ એક્સેસ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને જો ગ્લોબલ લેવલની વાત કરીએ તો મોટાભાગના અમેરિકન યુઝર્સે ફરિયાદ નોંધાવી હતી અને અહીં યુઝર્સની સંખ્યા એક લાખથી વધુ હતી. 


આઉટેજ પાછળનું કારણ ટેક્નિકલ 


1 લાખ 80 હજાર યુઝર્સે ઇન્સ્ટાગ્રામ એક્સેસ કરવા માટે ડાઉનની ફરિયાદ આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ Down Detector.com પર કરી હતી. વેબસાઈટ અનુસાર, આ આઉટેજ પાછળનું કારણ ટેક્નિકલ સમસ્યા હોઈ શકે છે, જેના કારણે લોકોને એપ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી હતી, જોકે અમે આ સમસ્યાને ઉકેલવા માટે સતત કામ કરી રહ્યા છીએ. Instagram રવિવારે લગભગ 1745 ET થી વપરાશકર્તાઓ માટે ડાઉન હતું. એક લાખ 80 હજારથી વધુ યુઝર્સે આ સમસ્યા અંગે ફરિયાદ કરી હતી.


મેટાએ અસુવિધા બદલ યુઝર્સની માફી માગી


મેટાના પ્રવક્તાએ પણ સ્વીકાર્યું હતું કે લોકો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ઍક્સેસ કરવામાં જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેનાથી અમે સંપૂર્ણપણે વાકેફ છીએ. અમે શક્ય તેટલી વહેલી તકે સેવાઓ સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તેમના માટે દિલગીર છીએ. જો કે બાદમાં તેમણે રોઇટર્સને જણાવ્યું હતું કે ટેક્નિકલ સમસ્યાને કારણે કેટલાક લોકો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ઍક્સેસ કરવામાં સમસ્યા અનુભવી રહ્યા હતા. અમે તાત્કાલિક અસરથી સમસ્યાનું નિવારણ કરી દીધું છે.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?