સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram અચાનક જ થયું ઠપ, દુનિયાભરના યુઝર્સ પરેશાન


  • Published By :
  • Published Date : 2023-05-22 11:13:34

મેટાની ફોટો અને વીડિયો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ એપ રવિવારે રાત્રે ડાઉન થઈ ગઈ હતી. વિશ્વભરના લાખો યુઝર્સ આ સેવાનો ઉપયોગ કરી શક્યા ન હતા. લોકોને લાગ્યું કે તેમનું ઈન્ટરનેટ કામ કરતું નથી, તેથી તેઓ વારંવાર નેટ બંધ કરીને રિફ્રેસ કરતા હતા, પરંતુ તેમ છતાં ઈન્સ્ટાગ્રામ ચાલતું ન હતું, કારણ કે યુઝર્સને ખબર ન હતી કે ઈન્સ્ટાગ્રામ ડાઉન થઈ ગયું છે.


ઇન્સ્ટાગ્રામ યુઝર્સે કરી ફરિયાદ


લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે સતત ફરિયાદો પણ નોંધાવી અને જણાવ્યું કે તેઓ એપને એક્સેસ કરી શકતા નથી. રવિવારે ઇન્સ્ટાગ્રામ યુઝર્સને ઇન્સ્ટાગ્રામ એક્સેસ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને જો ગ્લોબલ લેવલની વાત કરીએ તો મોટાભાગના અમેરિકન યુઝર્સે ફરિયાદ નોંધાવી હતી અને અહીં યુઝર્સની સંખ્યા એક લાખથી વધુ હતી. 


આઉટેજ પાછળનું કારણ ટેક્નિકલ 


1 લાખ 80 હજાર યુઝર્સે ઇન્સ્ટાગ્રામ એક્સેસ કરવા માટે ડાઉનની ફરિયાદ આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ Down Detector.com પર કરી હતી. વેબસાઈટ અનુસાર, આ આઉટેજ પાછળનું કારણ ટેક્નિકલ સમસ્યા હોઈ શકે છે, જેના કારણે લોકોને એપ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી હતી, જોકે અમે આ સમસ્યાને ઉકેલવા માટે સતત કામ કરી રહ્યા છીએ. Instagram રવિવારે લગભગ 1745 ET થી વપરાશકર્તાઓ માટે ડાઉન હતું. એક લાખ 80 હજારથી વધુ યુઝર્સે આ સમસ્યા અંગે ફરિયાદ કરી હતી.


મેટાએ અસુવિધા બદલ યુઝર્સની માફી માગી


મેટાના પ્રવક્તાએ પણ સ્વીકાર્યું હતું કે લોકો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ઍક્સેસ કરવામાં જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેનાથી અમે સંપૂર્ણપણે વાકેફ છીએ. અમે શક્ય તેટલી વહેલી તકે સેવાઓ સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તેમના માટે દિલગીર છીએ. જો કે બાદમાં તેમણે રોઇટર્સને જણાવ્યું હતું કે ટેક્નિકલ સમસ્યાને કારણે કેટલાક લોકો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ઍક્સેસ કરવામાં સમસ્યા અનુભવી રહ્યા હતા. અમે તાત્કાલિક અસરથી સમસ્યાનું નિવારણ કરી દીધું છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.