આરોપ-પ્રત્યારોપ ભૂલી શાસક અને વિપક્ષના નેતાઓએ દિલ્હીમાં ભાવતા ભોજનની જયાફત માણી


  • Published By :
  • Published Date : 2022-12-20 21:18:38

ચૂંટણી રેલીઓ, જાહેર મંચ પરથી કે સંસદમાં એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરતા વિવિધ પાર્ટીઓના આપણા નેતાઓના બતાવવાના અને ચાવવાના દાંત જુદા હોય છે. સામાન્ય જનતા ન સમજી શકે તેવી તેમની એકતા છે. જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સામ સામે એક જ ટેબલ પર ભોજન લેતા અને પ્રસન્ન ચિત્ત નજરે પડ્યા હતા. સંસદમાં ચીનની ઘુશણખોરી મુદ્દે શાસક પક્ષ ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો કરતા ખડગેજી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લેતા પીએમ મોદીએ સાથે બેસીને ભાવતા ભોજનની મિજબાની માણી હતી.


ભોજન સમારોહમાં સ્વાદિષ્ટ ભોજનની માણી લિજ્જત


કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે મંગળવારે સાંસદો માટે બરછટ એટલે કે મોટા અનાજમાંથી તૈયાર બપોરના ભોજન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રએ 2023ને‘આંતરરાષ્ટ્રીય મિલેટ યર’ નિમિત્તે વિશેષ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. હકીકતમાં, સંયુક્ત રાષ્ટ્રએ 2023ને તરીકે જાહેર કર્યું છે. આ નિમિત્તે યોજાયેલા ખાસ લંચ માટે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિવિધ પાર્ટીઓના નેતાઓ અને સાંસદોને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એક ટેબલ પર બાજરીમાંથી બનાવેલી વાનગીની ભોજનની માણી લિજ્જત માણી હતી.


આ વાનગીઓ તૈયાર કરાઈ


આ વિશેષ ભોજન સમારંભ માટે રાગી ઢોસા, રાગી રોટલી, નારિયેળની ચટણી, કાળુ હુલી, ચટણી પાવડર અને અન્ય વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. રાગી ડોસા જેવી રાગીની વાનગીઓ બનાવવા માટે કર્ણાટકથી ખાસ શેફને બોલાવવામાં આવ્યા હતા. ખાદ્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે, લોકસભા અને રાજ્યસભાના સાંસદોને રાગી, જુવાર અને બાજરીમાંથી બનાવેલું ભોજન પીરસવામાં આવ્યું હતું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે