આરોપ-પ્રત્યારોપ ભૂલી શાસક અને વિપક્ષના નેતાઓએ દિલ્હીમાં ભાવતા ભોજનની જયાફત માણી


  • Published By :
  • Published Date : 2022-12-20 21:18:38

ચૂંટણી રેલીઓ, જાહેર મંચ પરથી કે સંસદમાં એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરતા વિવિધ પાર્ટીઓના આપણા નેતાઓના બતાવવાના અને ચાવવાના દાંત જુદા હોય છે. સામાન્ય જનતા ન સમજી શકે તેવી તેમની એકતા છે. જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સામ સામે એક જ ટેબલ પર ભોજન લેતા અને પ્રસન્ન ચિત્ત નજરે પડ્યા હતા. સંસદમાં ચીનની ઘુશણખોરી મુદ્દે શાસક પક્ષ ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો કરતા ખડગેજી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લેતા પીએમ મોદીએ સાથે બેસીને ભાવતા ભોજનની મિજબાની માણી હતી.


ભોજન સમારોહમાં સ્વાદિષ્ટ ભોજનની માણી લિજ્જત


કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે મંગળવારે સાંસદો માટે બરછટ એટલે કે મોટા અનાજમાંથી તૈયાર બપોરના ભોજન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રએ 2023ને‘આંતરરાષ્ટ્રીય મિલેટ યર’ નિમિત્તે વિશેષ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. હકીકતમાં, સંયુક્ત રાષ્ટ્રએ 2023ને તરીકે જાહેર કર્યું છે. આ નિમિત્તે યોજાયેલા ખાસ લંચ માટે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિવિધ પાર્ટીઓના નેતાઓ અને સાંસદોને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એક ટેબલ પર બાજરીમાંથી બનાવેલી વાનગીની ભોજનની માણી લિજ્જત માણી હતી.


આ વાનગીઓ તૈયાર કરાઈ


આ વિશેષ ભોજન સમારંભ માટે રાગી ઢોસા, રાગી રોટલી, નારિયેળની ચટણી, કાળુ હુલી, ચટણી પાવડર અને અન્ય વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. રાગી ડોસા જેવી રાગીની વાનગીઓ બનાવવા માટે કર્ણાટકથી ખાસ શેફને બોલાવવામાં આવ્યા હતા. ખાદ્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે, લોકસભા અને રાજ્યસભાના સાંસદોને રાગી, જુવાર અને બાજરીમાંથી બનાવેલું ભોજન પીરસવામાં આવ્યું હતું.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.