આરોપ-પ્રત્યારોપ ભૂલી શાસક અને વિપક્ષના નેતાઓએ દિલ્હીમાં ભાવતા ભોજનની જયાફત માણી


  • Published By :
  • Published Date : 2022-12-20 21:18:38

ચૂંટણી રેલીઓ, જાહેર મંચ પરથી કે સંસદમાં એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરતા વિવિધ પાર્ટીઓના આપણા નેતાઓના બતાવવાના અને ચાવવાના દાંત જુદા હોય છે. સામાન્ય જનતા ન સમજી શકે તેવી તેમની એકતા છે. જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સામ સામે એક જ ટેબલ પર ભોજન લેતા અને પ્રસન્ન ચિત્ત નજરે પડ્યા હતા. સંસદમાં ચીનની ઘુશણખોરી મુદ્દે શાસક પક્ષ ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો કરતા ખડગેજી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લેતા પીએમ મોદીએ સાથે બેસીને ભાવતા ભોજનની મિજબાની માણી હતી.


ભોજન સમારોહમાં સ્વાદિષ્ટ ભોજનની માણી લિજ્જત


કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે મંગળવારે સાંસદો માટે બરછટ એટલે કે મોટા અનાજમાંથી તૈયાર બપોરના ભોજન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રએ 2023ને‘આંતરરાષ્ટ્રીય મિલેટ યર’ નિમિત્તે વિશેષ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. હકીકતમાં, સંયુક્ત રાષ્ટ્રએ 2023ને તરીકે જાહેર કર્યું છે. આ નિમિત્તે યોજાયેલા ખાસ લંચ માટે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિવિધ પાર્ટીઓના નેતાઓ અને સાંસદોને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એક ટેબલ પર બાજરીમાંથી બનાવેલી વાનગીની ભોજનની માણી લિજ્જત માણી હતી.


આ વાનગીઓ તૈયાર કરાઈ


આ વિશેષ ભોજન સમારંભ માટે રાગી ઢોસા, રાગી રોટલી, નારિયેળની ચટણી, કાળુ હુલી, ચટણી પાવડર અને અન્ય વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. રાગી ડોસા જેવી રાગીની વાનગીઓ બનાવવા માટે કર્ણાટકથી ખાસ શેફને બોલાવવામાં આવ્યા હતા. ખાદ્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે, લોકસભા અને રાજ્યસભાના સાંસદોને રાગી, જુવાર અને બાજરીમાંથી બનાવેલું ભોજન પીરસવામાં આવ્યું હતું.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.