અકોલામાં ભડકેલી હિંસાને શાંત કરવા ઈન્ટરનેટ સેવા પર મુકાયો પ્રતિબંધ! આટલા લોકોને પોલીસે લીધા હિરાસતમાં!


  • Published By :
  • Published Date : 2023-05-16 13:04:23

મહારાષ્ટ્રના અકોલામાં હિંસા ભડકી રહી છે. અકોલા શહેર અને અહમદનગર જિલ્લાના શેવગાંવમાં સાંપ્રદાયિક હિંસા ભડકી રહી છે. જેમાં અનેક લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શાંતિ ભંગ કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશો આપી દીધા છે. પોલીસે અશાંતિ ફેલાવનારને હિરાસતમાં લઈ લીધા હતા. 130થી વધારે લોકોને પોલીસે પોતાની હિરાસતમાં લઈ લીધાછે. ઝપાઝપીમાં એક વ્યક્તિની મોત થઈ ગઈ છે જ્યારે 13 જેટલા લોકોને ઈજા પહોંચી છે. અકોલા અને શેવગાંવ એમ બંને જગ્યા પર સ્થિતિ નિયંત્રણમાં છે. 


શોભાયાત્રા દરમિયાન થયો હતો પથ્થરમારો! 

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવ્યા બદલ મહારાષ્ટ્રમાં હિંસા ફાટી નીકળી હતી. અકોલામાં બે સમુદાયમાં ઘર્ષણ થયું હતું. અકોલામાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેને કારણે અશાંતિ ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. છત્રપતિ સંભાજી મહારાજની જયંતિ નિમિત્તે કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 


કડક કાર્યવાહી કરવા સીએમનો આદેશ! 

મહારાષ્ટ્રમાં ભડકેલી હિંસાને શાંત કરવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દોષિયો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશો આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આગ્રહ કર્યો કે કોઈ પણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં ન લે ઉપરાંત સોશિયલ મીડિયા પર કોઈ પણ પોસ્ટ કરતા પહેલા સાવધાન રહે. મળતી માહિતી અનુસાર અકોલામાં 100થી વધુ લોકોની તેમજ શેવગાંવમાં 32 લોકો  પોલીસની હિરાસતમાં લીધા છે. 


         

ઈન્ટરનેટ સેવા પર મુકાયો પ્રતિબંધ!

આ મામલે અકોલાના એસ.પી. સંદીપ ઘુગેએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર  અફવા ફેલાતી રોકવા શહેરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ જિલ્લાધિકારી નીમા અરોરાએ કર્ફ્યુનો આદેશ આપી લોકોને ઘરે જ રહેવા જણાવ્યું હતું. જો કે સોમવારે પરિસ્થિતિમાં સુધારો નોંધાતા આજે શહેરના સિટી કોનવાલી અને રામદાસપેઠ પોલીસ સ્ટેશનની હદમાં કર્ફ્યુમાં રાહત જાહેર કરવામાં આવી  હતી.





રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.