અકોલામાં ભડકેલી હિંસાને શાંત કરવા ઈન્ટરનેટ સેવા પર મુકાયો પ્રતિબંધ! આટલા લોકોને પોલીસે લીધા હિરાસતમાં!


  • Published By :
  • Published Date : 2023-05-16 13:04:23

મહારાષ્ટ્રના અકોલામાં હિંસા ભડકી રહી છે. અકોલા શહેર અને અહમદનગર જિલ્લાના શેવગાંવમાં સાંપ્રદાયિક હિંસા ભડકી રહી છે. જેમાં અનેક લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શાંતિ ભંગ કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશો આપી દીધા છે. પોલીસે અશાંતિ ફેલાવનારને હિરાસતમાં લઈ લીધા હતા. 130થી વધારે લોકોને પોલીસે પોતાની હિરાસતમાં લઈ લીધાછે. ઝપાઝપીમાં એક વ્યક્તિની મોત થઈ ગઈ છે જ્યારે 13 જેટલા લોકોને ઈજા પહોંચી છે. અકોલા અને શેવગાંવ એમ બંને જગ્યા પર સ્થિતિ નિયંત્રણમાં છે. 


શોભાયાત્રા દરમિયાન થયો હતો પથ્થરમારો! 

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવ્યા બદલ મહારાષ્ટ્રમાં હિંસા ફાટી નીકળી હતી. અકોલામાં બે સમુદાયમાં ઘર્ષણ થયું હતું. અકોલામાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેને કારણે અશાંતિ ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. છત્રપતિ સંભાજી મહારાજની જયંતિ નિમિત્તે કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 


કડક કાર્યવાહી કરવા સીએમનો આદેશ! 

મહારાષ્ટ્રમાં ભડકેલી હિંસાને શાંત કરવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દોષિયો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશો આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આગ્રહ કર્યો કે કોઈ પણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં ન લે ઉપરાંત સોશિયલ મીડિયા પર કોઈ પણ પોસ્ટ કરતા પહેલા સાવધાન રહે. મળતી માહિતી અનુસાર અકોલામાં 100થી વધુ લોકોની તેમજ શેવગાંવમાં 32 લોકો  પોલીસની હિરાસતમાં લીધા છે. 


         

ઈન્ટરનેટ સેવા પર મુકાયો પ્રતિબંધ!

આ મામલે અકોલાના એસ.પી. સંદીપ ઘુગેએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર  અફવા ફેલાતી રોકવા શહેરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ જિલ્લાધિકારી નીમા અરોરાએ કર્ફ્યુનો આદેશ આપી લોકોને ઘરે જ રહેવા જણાવ્યું હતું. જો કે સોમવારે પરિસ્થિતિમાં સુધારો નોંધાતા આજે શહેરના સિટી કોનવાલી અને રામદાસપેઠ પોલીસ સ્ટેશનની હદમાં કર્ફ્યુમાં રાહત જાહેર કરવામાં આવી  હતી.





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.