અકોલામાં ભડકેલી હિંસાને શાંત કરવા ઈન્ટરનેટ સેવા પર મુકાયો પ્રતિબંધ! આટલા લોકોને પોલીસે લીધા હિરાસતમાં!


  • Published By :
  • Published Date : 2023-05-16 13:04:23

મહારાષ્ટ્રના અકોલામાં હિંસા ભડકી રહી છે. અકોલા શહેર અને અહમદનગર જિલ્લાના શેવગાંવમાં સાંપ્રદાયિક હિંસા ભડકી રહી છે. જેમાં અનેક લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શાંતિ ભંગ કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશો આપી દીધા છે. પોલીસે અશાંતિ ફેલાવનારને હિરાસતમાં લઈ લીધા હતા. 130થી વધારે લોકોને પોલીસે પોતાની હિરાસતમાં લઈ લીધાછે. ઝપાઝપીમાં એક વ્યક્તિની મોત થઈ ગઈ છે જ્યારે 13 જેટલા લોકોને ઈજા પહોંચી છે. અકોલા અને શેવગાંવ એમ બંને જગ્યા પર સ્થિતિ નિયંત્રણમાં છે. 


શોભાયાત્રા દરમિયાન થયો હતો પથ્થરમારો! 

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવ્યા બદલ મહારાષ્ટ્રમાં હિંસા ફાટી નીકળી હતી. અકોલામાં બે સમુદાયમાં ઘર્ષણ થયું હતું. અકોલામાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેને કારણે અશાંતિ ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. છત્રપતિ સંભાજી મહારાજની જયંતિ નિમિત્તે કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 


કડક કાર્યવાહી કરવા સીએમનો આદેશ! 

મહારાષ્ટ્રમાં ભડકેલી હિંસાને શાંત કરવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દોષિયો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશો આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આગ્રહ કર્યો કે કોઈ પણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં ન લે ઉપરાંત સોશિયલ મીડિયા પર કોઈ પણ પોસ્ટ કરતા પહેલા સાવધાન રહે. મળતી માહિતી અનુસાર અકોલામાં 100થી વધુ લોકોની તેમજ શેવગાંવમાં 32 લોકો  પોલીસની હિરાસતમાં લીધા છે. 


         

ઈન્ટરનેટ સેવા પર મુકાયો પ્રતિબંધ!

આ મામલે અકોલાના એસ.પી. સંદીપ ઘુગેએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર  અફવા ફેલાતી રોકવા શહેરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ જિલ્લાધિકારી નીમા અરોરાએ કર્ફ્યુનો આદેશ આપી લોકોને ઘરે જ રહેવા જણાવ્યું હતું. જો કે સોમવારે પરિસ્થિતિમાં સુધારો નોંધાતા આજે શહેરના સિટી કોનવાલી અને રામદાસપેઠ પોલીસ સ્ટેશનની હદમાં કર્ફ્યુમાં રાહત જાહેર કરવામાં આવી  હતી.





અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.