એપલના CEO ટીમ કુકે ભારત પર લગાવેલો દાવ સફળ રહ્યો, કંપનીએ માત્ર એક જ મહિનામાં રેકોર્ડ 10 હજાર કરોડના આઈફોનની કરી નિકાસ


  • Published By :
  • Published Date : 2023-06-19 19:30:55

દુનિયાની અગ્રણી ટેક કંપની એપલે ભારતમાંથી આઈફોનના નિકાસમાં નવો રેકોર્ડ સર્જ્યો છે. એપલે માત્ર એક મહિનામાં જ 10,000 કરોડ રૂપિયાના આઈફોનની નિકાસ કરી છે. મે મહિનામાં કંપનીએ ભારતથી થયેલી સ્માર્ટ ફોનની કુલ નિકાસની વાત કરીએ તો રૂ. 12 હજાર કરોડનું રહ્યું છે.  આ રીતે ચાલુ નાણાકિય વર્ષમાં એપલે ભારતમાંથી 20 હજાર કરોડના આઈફોન (iPhone) નિકાસ કર્યા છે. 


iPhoneની નિકાસમાં 100 ટકાનો ગ્રોથ


એપલને ભારતમાં આઈફોનની નિકાસમાં દર વર્ષેના આધારે 100 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. રસપ્રદ બાબત એ છે કે ગત નાણાકિય વર્ષમાં ભારતથી આઈફોનની નિકાસ 5 અબજ ડોલરની રહી હતી. જે વર્ષ 2022ની તુલનામાં 5 ગણી વધેલી જોવા મળી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઈલેક્ટ્રોનિક ઉત્પાદનમાં વૃધ્ધી માટે આપવામાં આવતા પ્રોત્સાહનોના પગલે પણ કંપનીને ફાયદો થઈ રહ્યો છે. 


ભારતમાં આઈફોનના ઉત્પાદનનો નિર્ણય ફળ્યો


એપલના સીઈઓ ટીમ કુકે ચીનના બદલે ભારતમાં એપલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો હતો, તેમનો આ નિર્ણય કંપનીને ફળ્યો છે. ભારતમાં સ્માર્ટફોનની કુલ નિકાસમાં આઈફોનનો હિસ્સો 80 ટકા જેટલો છે, ત્યાર બાદ સેમસંગ અને અન્ય બ્રાંડનો નંબર આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ચીન અને અમેરિકા વચ્ચે સંબંધોમાં તંગદીલી સર્જાતા એપલે ભારત તરફ પ્રયાણ કર્યું હતું. એપલના આઈફોનનું કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરતી ત્રણ કંપનીઓ ભારતમાં આઈફોનનું ઉત્પાદન કરી રહી છે. વર્ષ 2020 પહેલા એપલના આઈફોનની સંપુર્ણ સપ્લાય ચેઈન ચીન પર આધારીત હતી. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.