એપલના CEO ટીમ કુકે ભારત પર લગાવેલો દાવ સફળ રહ્યો, કંપનીએ માત્ર એક જ મહિનામાં રેકોર્ડ 10 હજાર કરોડના આઈફોનની કરી નિકાસ


  • Published By :
  • Published Date : 2023-06-19 19:30:55

દુનિયાની અગ્રણી ટેક કંપની એપલે ભારતમાંથી આઈફોનના નિકાસમાં નવો રેકોર્ડ સર્જ્યો છે. એપલે માત્ર એક મહિનામાં જ 10,000 કરોડ રૂપિયાના આઈફોનની નિકાસ કરી છે. મે મહિનામાં કંપનીએ ભારતથી થયેલી સ્માર્ટ ફોનની કુલ નિકાસની વાત કરીએ તો રૂ. 12 હજાર કરોડનું રહ્યું છે.  આ રીતે ચાલુ નાણાકિય વર્ષમાં એપલે ભારતમાંથી 20 હજાર કરોડના આઈફોન (iPhone) નિકાસ કર્યા છે. 


iPhoneની નિકાસમાં 100 ટકાનો ગ્રોથ


એપલને ભારતમાં આઈફોનની નિકાસમાં દર વર્ષેના આધારે 100 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. રસપ્રદ બાબત એ છે કે ગત નાણાકિય વર્ષમાં ભારતથી આઈફોનની નિકાસ 5 અબજ ડોલરની રહી હતી. જે વર્ષ 2022ની તુલનામાં 5 ગણી વધેલી જોવા મળી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઈલેક્ટ્રોનિક ઉત્પાદનમાં વૃધ્ધી માટે આપવામાં આવતા પ્રોત્સાહનોના પગલે પણ કંપનીને ફાયદો થઈ રહ્યો છે. 


ભારતમાં આઈફોનના ઉત્પાદનનો નિર્ણય ફળ્યો


એપલના સીઈઓ ટીમ કુકે ચીનના બદલે ભારતમાં એપલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો હતો, તેમનો આ નિર્ણય કંપનીને ફળ્યો છે. ભારતમાં સ્માર્ટફોનની કુલ નિકાસમાં આઈફોનનો હિસ્સો 80 ટકા જેટલો છે, ત્યાર બાદ સેમસંગ અને અન્ય બ્રાંડનો નંબર આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ચીન અને અમેરિકા વચ્ચે સંબંધોમાં તંગદીલી સર્જાતા એપલે ભારત તરફ પ્રયાણ કર્યું હતું. એપલના આઈફોનનું કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરતી ત્રણ કંપનીઓ ભારતમાં આઈફોનનું ઉત્પાદન કરી રહી છે. વર્ષ 2020 પહેલા એપલના આઈફોનની સંપુર્ણ સપ્લાય ચેઈન ચીન પર આધારીત હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.