એપલના CEO ટીમ કુકે ભારત પર લગાવેલો દાવ સફળ રહ્યો, કંપનીએ માત્ર એક જ મહિનામાં રેકોર્ડ 10 હજાર કરોડના આઈફોનની કરી નિકાસ


  • Published By :
  • Published Date : 2023-06-19 19:30:55

દુનિયાની અગ્રણી ટેક કંપની એપલે ભારતમાંથી આઈફોનના નિકાસમાં નવો રેકોર્ડ સર્જ્યો છે. એપલે માત્ર એક મહિનામાં જ 10,000 કરોડ રૂપિયાના આઈફોનની નિકાસ કરી છે. મે મહિનામાં કંપનીએ ભારતથી થયેલી સ્માર્ટ ફોનની કુલ નિકાસની વાત કરીએ તો રૂ. 12 હજાર કરોડનું રહ્યું છે.  આ રીતે ચાલુ નાણાકિય વર્ષમાં એપલે ભારતમાંથી 20 હજાર કરોડના આઈફોન (iPhone) નિકાસ કર્યા છે. 


iPhoneની નિકાસમાં 100 ટકાનો ગ્રોથ


એપલને ભારતમાં આઈફોનની નિકાસમાં દર વર્ષેના આધારે 100 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. રસપ્રદ બાબત એ છે કે ગત નાણાકિય વર્ષમાં ભારતથી આઈફોનની નિકાસ 5 અબજ ડોલરની રહી હતી. જે વર્ષ 2022ની તુલનામાં 5 ગણી વધેલી જોવા મળી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઈલેક્ટ્રોનિક ઉત્પાદનમાં વૃધ્ધી માટે આપવામાં આવતા પ્રોત્સાહનોના પગલે પણ કંપનીને ફાયદો થઈ રહ્યો છે. 


ભારતમાં આઈફોનના ઉત્પાદનનો નિર્ણય ફળ્યો


એપલના સીઈઓ ટીમ કુકે ચીનના બદલે ભારતમાં એપલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો હતો, તેમનો આ નિર્ણય કંપનીને ફળ્યો છે. ભારતમાં સ્માર્ટફોનની કુલ નિકાસમાં આઈફોનનો હિસ્સો 80 ટકા જેટલો છે, ત્યાર બાદ સેમસંગ અને અન્ય બ્રાંડનો નંબર આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ચીન અને અમેરિકા વચ્ચે સંબંધોમાં તંગદીલી સર્જાતા એપલે ભારત તરફ પ્રયાણ કર્યું હતું. એપલના આઈફોનનું કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરતી ત્રણ કંપનીઓ ભારતમાં આઈફોનનું ઉત્પાદન કરી રહી છે. વર્ષ 2020 પહેલા એપલના આઈફોનની સંપુર્ણ સપ્લાય ચેઈન ચીન પર આધારીત હતી. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.