IPL 2023 : હવે ટોસ પછી પણ બદલી શકાશે પ્લેઈંગ-11, નવા ઈમ્પેક્ટ પ્લેયર્સનો પણ થશે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-03-23 19:21:15

આખા દેશમાં ટૂંક સમયમાં ક્રિકેટનો ફિવર ચઢવાનો છે, કેમ કે ક્રિકેટરસીયાઓ કાગ ડોળે હાલ આઈપીએલ 2023ની રાહ જોઈને બેઠા છે, તે આઈપીએલ આગામી 31 માર્ચથી શરુ થવા જઈ રહી છે, જેમાં 10 ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. છેલ્લાં વર્ષે જ્યાં આઈપીએલનો અંત થયો હતો એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, તે સ્ટેડિયમથી જ આ વર્ષની આઈપીએલની શરુઆત થવાની છે. આઈપીએલ 2023ની પહેલી મેચ ગત વર્ષની વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. પણ આ આઈપીએલની સીઝનમાં અમુક નવા નિયમો લાવવામાં આવ્યાં છે. 

ટોસ પછી પણ બદલી શકાશે પ્લેઈંગ-11

IPLનો જ નહીં, મોટાભાગની ટૂર્નામેન્ટમાં એવો નિયમ છે કે મેચનો ટોસ  થઈ જાય પછી કોઈ પણ કેપ્ટન તેની ટીમના પ્લેઈંગ 11 બદલી શકતો નથી, પણ આ વખતે આઈપીએલ 2023માં આ નિયમ બદલાવવામાં આવ્યો છે. જેમાં મેચનાં ટોસ વખતે કેપ્ટન 2 પ્લેઈંગ 11 લઈને આવી શકશે, જેમાં ટોસ પછી કેપ્ટન નક્કી કરશે કે તેને પ્લેઈંગ 11માં ક્યા ક્યા ખેલાડીઓને રાખવા છે. આનો સીધો ફાયદો એ છે કે ટોસ પછી બેટિંગનો નિર્ણય કરવામાં આવે છે કે બોલિંગનો, એ પ્રમાણે પ્લેઈંગ 11 નક્કી કરવામાં આવશે. 

ઈમ્પેક્ટ પ્લેયર્સ માટે પણ નવો નિયમ

IPLની આ સિઝનમાં નવા ઈમ્પેક્ટ પ્લેયરના રુલનો પણ સમાવેશ થયો છે, એટલે કે ટોસ થયા પછી કેપ્ટન તેના પ્લેઈંગ 11 સિવાય વધુ 4 સબસિટ્યુડ પ્લેયર એટલે કે ઈમ્પેક્ટ પ્લેયરને પોતાની ટીમમાં સમાવેશ કરી શકશે, જે કોઈ પણ પ્લેઈંગ 11 ખેલાડીથી રિપ્લેસ થઈ શકશે, આ ઈમ્પેક્ટ પ્લેયરનો 14 ઓવર સુધી ઉપયોગ કરી શકાશે. 

આ ઉપરાંત 2 નિયમોમાં પણ ફેરફાર

દરેક ટી20ની જેમ આઈપીએલની આ સિઝનમાં નવો નિયમ લાગુ થશે. એ નિયમ એ છે કે કોઈ પણ ટીમને એક ઈનિંગ પૂરી કરવા માટે 75 મિનિટ આપવામાં આવતી હતી, અને જો તેઓ 75 મિનિટથી વધારે સમય લેશે તો સમયમર્યાદા બાદ 5ની જગ્યાએ માત્ર 4 ખેલાડીઓને જ 30 યાર્ડ સર્કલની બહાર ઉભા રેહવું પડશે. 

આ સિવાય વધુ એક નિયમ એવો લાવવામાં આવ્યો છે કે જો બેટિંગ દરમ્યાન સામેની ટીમનો કોઈ ખેલાડી કોઈ એવી મૂવમેન્ટ કરે કે જેનાથી બેટર ડિસ્ટ્રેક થાય તો, ફિલ્ડિંગની ટીમ પર 5 રનની પેનેલ્ટી લગાવવામાં આવશે. 

હવે, આવા નવા નિયમો વચ્ચે આઈપીએલમાં ટીમોની વચ્ચે કેવી ટક્કર જોવા મળે છે, તે જોવાનું રહેશે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .