IPL 2023 : હવે ટોસ પછી પણ બદલી શકાશે પ્લેઈંગ-11, નવા ઈમ્પેક્ટ પ્લેયર્સનો પણ થશે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-03-23 19:21:15

આખા દેશમાં ટૂંક સમયમાં ક્રિકેટનો ફિવર ચઢવાનો છે, કેમ કે ક્રિકેટરસીયાઓ કાગ ડોળે હાલ આઈપીએલ 2023ની રાહ જોઈને બેઠા છે, તે આઈપીએલ આગામી 31 માર્ચથી શરુ થવા જઈ રહી છે, જેમાં 10 ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. છેલ્લાં વર્ષે જ્યાં આઈપીએલનો અંત થયો હતો એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, તે સ્ટેડિયમથી જ આ વર્ષની આઈપીએલની શરુઆત થવાની છે. આઈપીએલ 2023ની પહેલી મેચ ગત વર્ષની વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. પણ આ આઈપીએલની સીઝનમાં અમુક નવા નિયમો લાવવામાં આવ્યાં છે. 

ટોસ પછી પણ બદલી શકાશે પ્લેઈંગ-11

IPLનો જ નહીં, મોટાભાગની ટૂર્નામેન્ટમાં એવો નિયમ છે કે મેચનો ટોસ  થઈ જાય પછી કોઈ પણ કેપ્ટન તેની ટીમના પ્લેઈંગ 11 બદલી શકતો નથી, પણ આ વખતે આઈપીએલ 2023માં આ નિયમ બદલાવવામાં આવ્યો છે. જેમાં મેચનાં ટોસ વખતે કેપ્ટન 2 પ્લેઈંગ 11 લઈને આવી શકશે, જેમાં ટોસ પછી કેપ્ટન નક્કી કરશે કે તેને પ્લેઈંગ 11માં ક્યા ક્યા ખેલાડીઓને રાખવા છે. આનો સીધો ફાયદો એ છે કે ટોસ પછી બેટિંગનો નિર્ણય કરવામાં આવે છે કે બોલિંગનો, એ પ્રમાણે પ્લેઈંગ 11 નક્કી કરવામાં આવશે. 

ઈમ્પેક્ટ પ્લેયર્સ માટે પણ નવો નિયમ

IPLની આ સિઝનમાં નવા ઈમ્પેક્ટ પ્લેયરના રુલનો પણ સમાવેશ થયો છે, એટલે કે ટોસ થયા પછી કેપ્ટન તેના પ્લેઈંગ 11 સિવાય વધુ 4 સબસિટ્યુડ પ્લેયર એટલે કે ઈમ્પેક્ટ પ્લેયરને પોતાની ટીમમાં સમાવેશ કરી શકશે, જે કોઈ પણ પ્લેઈંગ 11 ખેલાડીથી રિપ્લેસ થઈ શકશે, આ ઈમ્પેક્ટ પ્લેયરનો 14 ઓવર સુધી ઉપયોગ કરી શકાશે. 

આ ઉપરાંત 2 નિયમોમાં પણ ફેરફાર

દરેક ટી20ની જેમ આઈપીએલની આ સિઝનમાં નવો નિયમ લાગુ થશે. એ નિયમ એ છે કે કોઈ પણ ટીમને એક ઈનિંગ પૂરી કરવા માટે 75 મિનિટ આપવામાં આવતી હતી, અને જો તેઓ 75 મિનિટથી વધારે સમય લેશે તો સમયમર્યાદા બાદ 5ની જગ્યાએ માત્ર 4 ખેલાડીઓને જ 30 યાર્ડ સર્કલની બહાર ઉભા રેહવું પડશે. 

આ સિવાય વધુ એક નિયમ એવો લાવવામાં આવ્યો છે કે જો બેટિંગ દરમ્યાન સામેની ટીમનો કોઈ ખેલાડી કોઈ એવી મૂવમેન્ટ કરે કે જેનાથી બેટર ડિસ્ટ્રેક થાય તો, ફિલ્ડિંગની ટીમ પર 5 રનની પેનેલ્ટી લગાવવામાં આવશે. 

હવે, આવા નવા નિયમો વચ્ચે આઈપીએલમાં ટીમોની વચ્ચે કેવી ટક્કર જોવા મળે છે, તે જોવાનું રહેશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.