IPL 2023 : હવે ટોસ પછી પણ બદલી શકાશે પ્લેઈંગ-11, નવા ઈમ્પેક્ટ પ્લેયર્સનો પણ થશે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-03-23 19:21:15

આખા દેશમાં ટૂંક સમયમાં ક્રિકેટનો ફિવર ચઢવાનો છે, કેમ કે ક્રિકેટરસીયાઓ કાગ ડોળે હાલ આઈપીએલ 2023ની રાહ જોઈને બેઠા છે, તે આઈપીએલ આગામી 31 માર્ચથી શરુ થવા જઈ રહી છે, જેમાં 10 ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. છેલ્લાં વર્ષે જ્યાં આઈપીએલનો અંત થયો હતો એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, તે સ્ટેડિયમથી જ આ વર્ષની આઈપીએલની શરુઆત થવાની છે. આઈપીએલ 2023ની પહેલી મેચ ગત વર્ષની વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. પણ આ આઈપીએલની સીઝનમાં અમુક નવા નિયમો લાવવામાં આવ્યાં છે. 

ટોસ પછી પણ બદલી શકાશે પ્લેઈંગ-11

IPLનો જ નહીં, મોટાભાગની ટૂર્નામેન્ટમાં એવો નિયમ છે કે મેચનો ટોસ  થઈ જાય પછી કોઈ પણ કેપ્ટન તેની ટીમના પ્લેઈંગ 11 બદલી શકતો નથી, પણ આ વખતે આઈપીએલ 2023માં આ નિયમ બદલાવવામાં આવ્યો છે. જેમાં મેચનાં ટોસ વખતે કેપ્ટન 2 પ્લેઈંગ 11 લઈને આવી શકશે, જેમાં ટોસ પછી કેપ્ટન નક્કી કરશે કે તેને પ્લેઈંગ 11માં ક્યા ક્યા ખેલાડીઓને રાખવા છે. આનો સીધો ફાયદો એ છે કે ટોસ પછી બેટિંગનો નિર્ણય કરવામાં આવે છે કે બોલિંગનો, એ પ્રમાણે પ્લેઈંગ 11 નક્કી કરવામાં આવશે. 

ઈમ્પેક્ટ પ્લેયર્સ માટે પણ નવો નિયમ

IPLની આ સિઝનમાં નવા ઈમ્પેક્ટ પ્લેયરના રુલનો પણ સમાવેશ થયો છે, એટલે કે ટોસ થયા પછી કેપ્ટન તેના પ્લેઈંગ 11 સિવાય વધુ 4 સબસિટ્યુડ પ્લેયર એટલે કે ઈમ્પેક્ટ પ્લેયરને પોતાની ટીમમાં સમાવેશ કરી શકશે, જે કોઈ પણ પ્લેઈંગ 11 ખેલાડીથી રિપ્લેસ થઈ શકશે, આ ઈમ્પેક્ટ પ્લેયરનો 14 ઓવર સુધી ઉપયોગ કરી શકાશે. 

આ ઉપરાંત 2 નિયમોમાં પણ ફેરફાર

દરેક ટી20ની જેમ આઈપીએલની આ સિઝનમાં નવો નિયમ લાગુ થશે. એ નિયમ એ છે કે કોઈ પણ ટીમને એક ઈનિંગ પૂરી કરવા માટે 75 મિનિટ આપવામાં આવતી હતી, અને જો તેઓ 75 મિનિટથી વધારે સમય લેશે તો સમયમર્યાદા બાદ 5ની જગ્યાએ માત્ર 4 ખેલાડીઓને જ 30 યાર્ડ સર્કલની બહાર ઉભા રેહવું પડશે. 

આ સિવાય વધુ એક નિયમ એવો લાવવામાં આવ્યો છે કે જો બેટિંગ દરમ્યાન સામેની ટીમનો કોઈ ખેલાડી કોઈ એવી મૂવમેન્ટ કરે કે જેનાથી બેટર ડિસ્ટ્રેક થાય તો, ફિલ્ડિંગની ટીમ પર 5 રનની પેનેલ્ટી લગાવવામાં આવશે. 

હવે, આવા નવા નિયમો વચ્ચે આઈપીએલમાં ટીમોની વચ્ચે કેવી ટક્કર જોવા મળે છે, તે જોવાનું રહેશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.