IPL Auction: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પેટ કમિન્સ, આ ફ્રેન્ચાઇઝીએ 20.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો


  • Published By :
  • Published Date : 2023-12-19 15:15:37

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે ઓક્શન પહેલી વખત ભારતની બહાર કોકા-કોલા અરિનામાં યોજાઈ રહ્યું છે. IPL-2024 માટે ખેલાડીઓના નામમાં એક નામ પેટ કમિન્સનું પણ છે. IPL-2024 ઓક્શનમાં પેટ કમિન્સ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા પ્લેયર તરીકે વેચાયો છે. ઓસ્ટ્રેલીયાના સ્ટાર પ્લેયર પેટ કમિન્સને સનરાઈઝર હૈદરાબાદે 20.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.  પેટ કમિન્સની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી.


સનરાઇઝર્સ હૈદરાબાદ મેદાન મારી ગયું

 

ચેન્નાઈ સુપર કિંગ્સે કમિન્સ પર પહેલી બોલી લગાવી હતી. આ પછી મુંબઈ ઈન્ડિયન્સે બોલી લગાવવાનું શરૂ કર્યું. આ બંને વચ્ચે 4.80 કરોડ રૂપિયા સુધીની બિડિંગ હતી. આ પછી RCB એ દાવ લગાવ્યો, ચેન્નાઈની રૂ. 7.60 કરોડ સુધી બિડિંગમાં રહી હતી. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ સ્પર્ધામાં ઉતરી. અંતે સનરાઇઝર્સ હૈદરાબાદ મેદાન મારી ગયું હતું.


IPL-2024માં કુલ 333 ક્રિકેટર માટે બોલી લાગી


IPL-2024 પ્લેટર ઓક્શનમાં કુલ 333 ક્રિકેટર છે, 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડી છે. જેમાં 2 ખેલાડી એસોશિયેટ દેશોના છે. IPL-2024ના કુલ કેપ્ડ ખેલાડીઓ 116 છે, જ્યારે અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 215 છે, અને 2 એસોસિયેટ દેશોના છે. હવે મહત્તમ 77 સ્લોટ ઉપલબ્ધ છે અને 30 સુધી વિદેશી ખેલાડીઓ માટે સ્લોટ છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.