IPL Auction: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પેટ કમિન્સ, આ ફ્રેન્ચાઇઝીએ 20.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો


  • Published By :
  • Published Date : 2023-12-19 15:15:37

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે ઓક્શન પહેલી વખત ભારતની બહાર કોકા-કોલા અરિનામાં યોજાઈ રહ્યું છે. IPL-2024 માટે ખેલાડીઓના નામમાં એક નામ પેટ કમિન્સનું પણ છે. IPL-2024 ઓક્શનમાં પેટ કમિન્સ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા પ્લેયર તરીકે વેચાયો છે. ઓસ્ટ્રેલીયાના સ્ટાર પ્લેયર પેટ કમિન્સને સનરાઈઝર હૈદરાબાદે 20.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.  પેટ કમિન્સની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી.


સનરાઇઝર્સ હૈદરાબાદ મેદાન મારી ગયું

 

ચેન્નાઈ સુપર કિંગ્સે કમિન્સ પર પહેલી બોલી લગાવી હતી. આ પછી મુંબઈ ઈન્ડિયન્સે બોલી લગાવવાનું શરૂ કર્યું. આ બંને વચ્ચે 4.80 કરોડ રૂપિયા સુધીની બિડિંગ હતી. આ પછી RCB એ દાવ લગાવ્યો, ચેન્નાઈની રૂ. 7.60 કરોડ સુધી બિડિંગમાં રહી હતી. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ સ્પર્ધામાં ઉતરી. અંતે સનરાઇઝર્સ હૈદરાબાદ મેદાન મારી ગયું હતું.


IPL-2024માં કુલ 333 ક્રિકેટર માટે બોલી લાગી


IPL-2024 પ્લેટર ઓક્શનમાં કુલ 333 ક્રિકેટર છે, 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડી છે. જેમાં 2 ખેલાડી એસોશિયેટ દેશોના છે. IPL-2024ના કુલ કેપ્ડ ખેલાડીઓ 116 છે, જ્યારે અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 215 છે, અને 2 એસોસિયેટ દેશોના છે. હવે મહત્તમ 77 સ્લોટ ઉપલબ્ધ છે અને 30 સુધી વિદેશી ખેલાડીઓ માટે સ્લોટ છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.