IPL Auction: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પેટ કમિન્સ, આ ફ્રેન્ચાઇઝીએ 20.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો


  • Published By :
  • Published Date : 2023-12-19 15:15:37

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે ઓક્શન પહેલી વખત ભારતની બહાર કોકા-કોલા અરિનામાં યોજાઈ રહ્યું છે. IPL-2024 માટે ખેલાડીઓના નામમાં એક નામ પેટ કમિન્સનું પણ છે. IPL-2024 ઓક્શનમાં પેટ કમિન્સ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા પ્લેયર તરીકે વેચાયો છે. ઓસ્ટ્રેલીયાના સ્ટાર પ્લેયર પેટ કમિન્સને સનરાઈઝર હૈદરાબાદે 20.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.  પેટ કમિન્સની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી.


સનરાઇઝર્સ હૈદરાબાદ મેદાન મારી ગયું

 

ચેન્નાઈ સુપર કિંગ્સે કમિન્સ પર પહેલી બોલી લગાવી હતી. આ પછી મુંબઈ ઈન્ડિયન્સે બોલી લગાવવાનું શરૂ કર્યું. આ બંને વચ્ચે 4.80 કરોડ રૂપિયા સુધીની બિડિંગ હતી. આ પછી RCB એ દાવ લગાવ્યો, ચેન્નાઈની રૂ. 7.60 કરોડ સુધી બિડિંગમાં રહી હતી. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ સ્પર્ધામાં ઉતરી. અંતે સનરાઇઝર્સ હૈદરાબાદ મેદાન મારી ગયું હતું.


IPL-2024માં કુલ 333 ક્રિકેટર માટે બોલી લાગી


IPL-2024 પ્લેટર ઓક્શનમાં કુલ 333 ક્રિકેટર છે, 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડી છે. જેમાં 2 ખેલાડી એસોશિયેટ દેશોના છે. IPL-2024ના કુલ કેપ્ડ ખેલાડીઓ 116 છે, જ્યારે અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 215 છે, અને 2 એસોસિયેટ દેશોના છે. હવે મહત્તમ 77 સ્લોટ ઉપલબ્ધ છે અને 30 સુધી વિદેશી ખેલાડીઓ માટે સ્લોટ છે. 



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.