IPL 2024: IPLની તારીખને લઈ મોટી અપડેટ, આ દિવસથી શરૂ થઈ શકે છે ટૂર્નામેન્ટ


  • Published By :
  • Published Date : 2024-01-22 14:21:46

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન આતુરતાથી રાહ જોઈ રહેલા ક્રિકેટ રસિયાઓની આતુરતાનો અંત આવ્યો છે. IPLની સીઝનને લઈને મોટી અપડેટ સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ IPL 2024નો શુભારંભ 22 માર્ચથી થઈ શકે છે, અને ફાઈનલ મુકાબલો 26 મેના રોજ યોજાશે. એટલે કે મહિલા પ્રીમિયર લિગ (WPL)ના સમાપનના ઠીક 5 દિવસ બાદ  IPL 2024 શરૂ થઈ શકે છે. 


WPLના શેડ્યૂલની થશે જાહેરાત


ઉલ્લેખનિય છે કે મહિલા પ્રીમિયર લિગ (WPL)ની બીજી સીઝન 22 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાય તેવી સંભાવના છે, મહિલા પ્રીમિયર લિગ (WPL)ની મેચ બેંગલુરૂ અને દિલ્હીમા આયોજીત કરાશે.  ભારતીય  ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (BCCI) તેના તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે આ અંગે વાત કરી ચુકી છે.  એક-બે દિવસમાં જ  WPLના શેડ્યૂલનું સત્તાવાર  રીતે જાહેરાત થઈ શકે છે.  


 લોકસભા ચૂંટણીઓ વચ્ચે યોજાશે  IPL


IPL 2024નું  સત્તાવાર શેડ્યૂલ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ થાય તેવી સંભાવના છે. 22 માર્ચથી 26 મે દરમિયાન ટૂર્નામેન્ટ આયોજીત કરવાનું   BCCI વિચારી રહ્યું છે. જો  કે સમગ્ર કાર્યક્રમની પુષ્ટી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ જ થઈ શકે છે. એક વાત તો સ્પષ્ટ છે કે BCCI ભારતમાં જ   તમામ મેચો યોજાય તે અંગે આશ્વસ્ત છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.