IPL 2024: IPLની તારીખને લઈ મોટી અપડેટ, આ દિવસથી શરૂ થઈ શકે છે ટૂર્નામેન્ટ


  • Published By :
  • Published Date : 2024-01-22 14:21:46

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન આતુરતાથી રાહ જોઈ રહેલા ક્રિકેટ રસિયાઓની આતુરતાનો અંત આવ્યો છે. IPLની સીઝનને લઈને મોટી અપડેટ સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ IPL 2024નો શુભારંભ 22 માર્ચથી થઈ શકે છે, અને ફાઈનલ મુકાબલો 26 મેના રોજ યોજાશે. એટલે કે મહિલા પ્રીમિયર લિગ (WPL)ના સમાપનના ઠીક 5 દિવસ બાદ  IPL 2024 શરૂ થઈ શકે છે. 


WPLના શેડ્યૂલની થશે જાહેરાત


ઉલ્લેખનિય છે કે મહિલા પ્રીમિયર લિગ (WPL)ની બીજી સીઝન 22 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાય તેવી સંભાવના છે, મહિલા પ્રીમિયર લિગ (WPL)ની મેચ બેંગલુરૂ અને દિલ્હીમા આયોજીત કરાશે.  ભારતીય  ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (BCCI) તેના તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે આ અંગે વાત કરી ચુકી છે.  એક-બે દિવસમાં જ  WPLના શેડ્યૂલનું સત્તાવાર  રીતે જાહેરાત થઈ શકે છે.  


 લોકસભા ચૂંટણીઓ વચ્ચે યોજાશે  IPL


IPL 2024નું  સત્તાવાર શેડ્યૂલ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ થાય તેવી સંભાવના છે. 22 માર્ચથી 26 મે દરમિયાન ટૂર્નામેન્ટ આયોજીત કરવાનું   BCCI વિચારી રહ્યું છે. જો  કે સમગ્ર કાર્યક્રમની પુષ્ટી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ જ થઈ શકે છે. એક વાત તો સ્પષ્ટ છે કે BCCI ભારતમાં જ   તમામ મેચો યોજાય તે અંગે આશ્વસ્ત છે.



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .