IPL 2024: IPLની તારીખને લઈ મોટી અપડેટ, આ દિવસથી શરૂ થઈ શકે છે ટૂર્નામેન્ટ


  • Published By :
  • Published Date : 2024-01-22 14:21:46

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન આતુરતાથી રાહ જોઈ રહેલા ક્રિકેટ રસિયાઓની આતુરતાનો અંત આવ્યો છે. IPLની સીઝનને લઈને મોટી અપડેટ સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ IPL 2024નો શુભારંભ 22 માર્ચથી થઈ શકે છે, અને ફાઈનલ મુકાબલો 26 મેના રોજ યોજાશે. એટલે કે મહિલા પ્રીમિયર લિગ (WPL)ના સમાપનના ઠીક 5 દિવસ બાદ  IPL 2024 શરૂ થઈ શકે છે. 


WPLના શેડ્યૂલની થશે જાહેરાત


ઉલ્લેખનિય છે કે મહિલા પ્રીમિયર લિગ (WPL)ની બીજી સીઝન 22 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાય તેવી સંભાવના છે, મહિલા પ્રીમિયર લિગ (WPL)ની મેચ બેંગલુરૂ અને દિલ્હીમા આયોજીત કરાશે.  ભારતીય  ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (BCCI) તેના તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે આ અંગે વાત કરી ચુકી છે.  એક-બે દિવસમાં જ  WPLના શેડ્યૂલનું સત્તાવાર  રીતે જાહેરાત થઈ શકે છે.  


 લોકસભા ચૂંટણીઓ વચ્ચે યોજાશે  IPL


IPL 2024નું  સત્તાવાર શેડ્યૂલ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ થાય તેવી સંભાવના છે. 22 માર્ચથી 26 મે દરમિયાન ટૂર્નામેન્ટ આયોજીત કરવાનું   BCCI વિચારી રહ્યું છે. જો  કે સમગ્ર કાર્યક્રમની પુષ્ટી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ જ થઈ શકે છે. એક વાત તો સ્પષ્ટ છે કે BCCI ભારતમાં જ   તમામ મેચો યોજાય તે અંગે આશ્વસ્ત છે.



આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .