IPL 2024: શુભમન ગિલ બન્યો ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન, હાર્દિક પંડ્યાનું સ્થાન લેશે


  • Published By :
  • Published Date : 2023-11-27 15:05:50

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે ગુજરાત ટાઈટન્સે (GT) એક મોટી જાહેરાત કરી છે. ગુજરાત ટાઈટન્સે (GT) તેમના નવા કેપ્ટન તરીકે શુભમન ગીલના નામની જાહેરાત કરી છે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં જતો રહેતા  શુભમન ગીલ કપ્તાનીની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા હતા. આખરે ગુજરાત ફ્રેન્ચાઈઝ દ્વારા સત્તાવાર રીતે શુભમન ગીલે ઘોષણા કરતા કહ્યું  કે IPLની આગામી સીઝનમાં શુભમન ગીલ ટીમના કેપ્ટન હશે. ઉલ્લેખનિય છે કે IPL 2023ની હરાજી પહેલા ગિલને ગુજરાત ટાઇટન્સે 8 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો.


ગુજરાત ટાઇટન્સે શું કહ્યું?


ગુજરાત ટાઇટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, 'શુભમન ગીલે છેલ્લા બે વર્ષમાં રમતના સર્વોચ્ચ સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમે તેને માત્ર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ ક્રિકેટમાં એક લીડર તરીકે પણ પરિપક્વ થતો જોયો છે. મેદાન પરના તેમના યોગદાનથી ગુજરાત ટાઇટન્સને પણ એક મજબૂત તાકાત તરીકે ઉભરવામાં મદદ કરી છે. તેની પરિપક્વતા અને કુશળતા તેના મેદાન પરના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાય છે. અમે તેને કેપ્ટન બનાવવા માટે ઉત્સાહિત છીએ.'


શુભમન ગિલે આનંદ વ્યક્ત કર્યો?


શુભમન ગિલે કેપ્ટન બનવા વિશે કહ્યું, 'ગુજરાત ટાઇટન્સની કેપ્ટન્સી સંભાળીને હું ખુશ છું. આટલી સારી ટીમનું નેતૃત્વ કરવું એ મોટી વાત છે. મારા પર વિશ્વાસ કરવા બદલ હું ફ્રેન્ચાઈઝીનો આભાર માનું છું. અમારી પાસે બે અદ્ભુત સિઝન છે. ગુજરાત ટાઇટન્સે 2022 અને 2023 સિઝનમાં ભાગ લીધો હતો. તેની ડેબ્યુ સીઝનમાં જ તેણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટાઇટલ જીત્યું હતું. તે છેલ્લી સિઝનમાં રનર-અપ રહી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી