IPL 2024: શુભમન ગિલ બન્યો ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન, હાર્દિક પંડ્યાનું સ્થાન લેશે


  • Published By :
  • Published Date : 2023-11-27 15:05:50

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે ગુજરાત ટાઈટન્સે (GT) એક મોટી જાહેરાત કરી છે. ગુજરાત ટાઈટન્સે (GT) તેમના નવા કેપ્ટન તરીકે શુભમન ગીલના નામની જાહેરાત કરી છે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં જતો રહેતા  શુભમન ગીલ કપ્તાનીની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા હતા. આખરે ગુજરાત ફ્રેન્ચાઈઝ દ્વારા સત્તાવાર રીતે શુભમન ગીલે ઘોષણા કરતા કહ્યું  કે IPLની આગામી સીઝનમાં શુભમન ગીલ ટીમના કેપ્ટન હશે. ઉલ્લેખનિય છે કે IPL 2023ની હરાજી પહેલા ગિલને ગુજરાત ટાઇટન્સે 8 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો.


ગુજરાત ટાઇટન્સે શું કહ્યું?


ગુજરાત ટાઇટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, 'શુભમન ગીલે છેલ્લા બે વર્ષમાં રમતના સર્વોચ્ચ સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમે તેને માત્ર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ ક્રિકેટમાં એક લીડર તરીકે પણ પરિપક્વ થતો જોયો છે. મેદાન પરના તેમના યોગદાનથી ગુજરાત ટાઇટન્સને પણ એક મજબૂત તાકાત તરીકે ઉભરવામાં મદદ કરી છે. તેની પરિપક્વતા અને કુશળતા તેના મેદાન પરના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાય છે. અમે તેને કેપ્ટન બનાવવા માટે ઉત્સાહિત છીએ.'


શુભમન ગિલે આનંદ વ્યક્ત કર્યો?


શુભમન ગિલે કેપ્ટન બનવા વિશે કહ્યું, 'ગુજરાત ટાઇટન્સની કેપ્ટન્સી સંભાળીને હું ખુશ છું. આટલી સારી ટીમનું નેતૃત્વ કરવું એ મોટી વાત છે. મારા પર વિશ્વાસ કરવા બદલ હું ફ્રેન્ચાઈઝીનો આભાર માનું છું. અમારી પાસે બે અદ્ભુત સિઝન છે. ગુજરાત ટાઇટન્સે 2022 અને 2023 સિઝનમાં ભાગ લીધો હતો. તેની ડેબ્યુ સીઝનમાં જ તેણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટાઇટલ જીત્યું હતું. તે છેલ્લી સિઝનમાં રનર-અપ રહી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.