IPL 2024: શુભમન ગિલ બન્યો ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન, હાર્દિક પંડ્યાનું સ્થાન લેશે


  • Published By :
  • Published Date : 2023-11-27 15:05:50

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે ગુજરાત ટાઈટન્સે (GT) એક મોટી જાહેરાત કરી છે. ગુજરાત ટાઈટન્સે (GT) તેમના નવા કેપ્ટન તરીકે શુભમન ગીલના નામની જાહેરાત કરી છે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં જતો રહેતા  શુભમન ગીલ કપ્તાનીની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા હતા. આખરે ગુજરાત ફ્રેન્ચાઈઝ દ્વારા સત્તાવાર રીતે શુભમન ગીલે ઘોષણા કરતા કહ્યું  કે IPLની આગામી સીઝનમાં શુભમન ગીલ ટીમના કેપ્ટન હશે. ઉલ્લેખનિય છે કે IPL 2023ની હરાજી પહેલા ગિલને ગુજરાત ટાઇટન્સે 8 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો.


ગુજરાત ટાઇટન્સે શું કહ્યું?


ગુજરાત ટાઇટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, 'શુભમન ગીલે છેલ્લા બે વર્ષમાં રમતના સર્વોચ્ચ સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમે તેને માત્ર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ ક્રિકેટમાં એક લીડર તરીકે પણ પરિપક્વ થતો જોયો છે. મેદાન પરના તેમના યોગદાનથી ગુજરાત ટાઇટન્સને પણ એક મજબૂત તાકાત તરીકે ઉભરવામાં મદદ કરી છે. તેની પરિપક્વતા અને કુશળતા તેના મેદાન પરના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાય છે. અમે તેને કેપ્ટન બનાવવા માટે ઉત્સાહિત છીએ.'


શુભમન ગિલે આનંદ વ્યક્ત કર્યો?


શુભમન ગિલે કેપ્ટન બનવા વિશે કહ્યું, 'ગુજરાત ટાઇટન્સની કેપ્ટન્સી સંભાળીને હું ખુશ છું. આટલી સારી ટીમનું નેતૃત્વ કરવું એ મોટી વાત છે. મારા પર વિશ્વાસ કરવા બદલ હું ફ્રેન્ચાઈઝીનો આભાર માનું છું. અમારી પાસે બે અદ્ભુત સિઝન છે. ગુજરાત ટાઇટન્સે 2022 અને 2023 સિઝનમાં ભાગ લીધો હતો. તેની ડેબ્યુ સીઝનમાં જ તેણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટાઇટલ જીત્યું હતું. તે છેલ્લી સિઝનમાં રનર-અપ રહી હતી.



ચૂંટણી પ્રચાર માટે કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચ્યા હતા મોરબીમાં ચાલતા શક્તિધામ મંદિરમાં... સ્ટેજ પર પહોંચીને ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓને ભાજપના બંને નેતાઓને જાહેરમંચ પરથી ખખડાવી નાંખ્યા...!

રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં અનેક રાજવી પરિવારના સદસ્યો હાજર હતા. ગુજરાત 45 રાજવીઓએ પીએમ મોદીને સમર્થન આપ્યું છે.

લોકસભા બેઠકના ઉમેદવારોને જમાવટની ટીમ દ્વારા ફોન કરવામાં આવી રહ્યા છે. તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. ત્યારે મહેસાણાના ઉમેદવારોને ફોન કર્યો હતો.

મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..