IPL 2024: શુભમન ગિલ બન્યો ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન, હાર્દિક પંડ્યાનું સ્થાન લેશે


  • Published By :
  • Published Date : 2023-11-27 15:05:50

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે ગુજરાત ટાઈટન્સે (GT) એક મોટી જાહેરાત કરી છે. ગુજરાત ટાઈટન્સે (GT) તેમના નવા કેપ્ટન તરીકે શુભમન ગીલના નામની જાહેરાત કરી છે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં જતો રહેતા  શુભમન ગીલ કપ્તાનીની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા હતા. આખરે ગુજરાત ફ્રેન્ચાઈઝ દ્વારા સત્તાવાર રીતે શુભમન ગીલે ઘોષણા કરતા કહ્યું  કે IPLની આગામી સીઝનમાં શુભમન ગીલ ટીમના કેપ્ટન હશે. ઉલ્લેખનિય છે કે IPL 2023ની હરાજી પહેલા ગિલને ગુજરાત ટાઇટન્સે 8 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો.


ગુજરાત ટાઇટન્સે શું કહ્યું?


ગુજરાત ટાઇટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, 'શુભમન ગીલે છેલ્લા બે વર્ષમાં રમતના સર્વોચ્ચ સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમે તેને માત્ર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ ક્રિકેટમાં એક લીડર તરીકે પણ પરિપક્વ થતો જોયો છે. મેદાન પરના તેમના યોગદાનથી ગુજરાત ટાઇટન્સને પણ એક મજબૂત તાકાત તરીકે ઉભરવામાં મદદ કરી છે. તેની પરિપક્વતા અને કુશળતા તેના મેદાન પરના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાય છે. અમે તેને કેપ્ટન બનાવવા માટે ઉત્સાહિત છીએ.'


શુભમન ગિલે આનંદ વ્યક્ત કર્યો?


શુભમન ગિલે કેપ્ટન બનવા વિશે કહ્યું, 'ગુજરાત ટાઇટન્સની કેપ્ટન્સી સંભાળીને હું ખુશ છું. આટલી સારી ટીમનું નેતૃત્વ કરવું એ મોટી વાત છે. મારા પર વિશ્વાસ કરવા બદલ હું ફ્રેન્ચાઈઝીનો આભાર માનું છું. અમારી પાસે બે અદ્ભુત સિઝન છે. ગુજરાત ટાઇટન્સે 2022 અને 2023 સિઝનમાં ભાગ લીધો હતો. તેની ડેબ્યુ સીઝનમાં જ તેણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટાઇટલ જીત્યું હતું. તે છેલ્લી સિઝનમાં રનર-અપ રહી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.