સીમાની જેમ પાકિસ્તાનથી ભારત આવી હતી ઈકરા, જાણો આ લવ સ્ટોરીનો શું આવ્યો હતો અંજામ


  • Published By :
  • Published Date : 2023-07-18 20:23:22

PUBG દ્વારા પ્રેમ અને પછી લગ્ન માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર આ દિવસોમાં ચર્ચામાં છે. જો કે સીમા હૈદર પહેલી પાકિસ્તાની મહિલા નથી જે સરહદ પારથી પોતાના પ્રેમ માટે ભારત આવી હોય. અગાઉ ઇકરા જીવાની નામની યુવતી પણ તેના ભારતીય પ્રેમી માટે પાકિસ્તાનથી ભારતમાં ભાગી આવી હતી. જો કે, તે લવસ્ટોરી સફળ થઈ શકી ન હતી. કારણ કે ઇકરાને પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે સીમાને અહીં ભારતમાં રહેવા દેવામાં આવે છે કે પછી તેને પણ ઇકરાની જેમ પાકિસ્તાન પરત મોકલવામાં આવશે.

 

Ludo રમતા સંપર્કમાં આવ્યા 


અગાઉ ઇકરા જીવાની નામની યુવતી પણ આ જ રીતે પાકિસ્તાનથી ભારત આવી હતી. તે પણ તેના ભારતીય પ્રેમી મુલાયમ સિંહ યાદવ માટે. ઇકરા-મુલાયમની લવસ્ટોરી સીમા-સચિન જેવી જ છે. જ્યાં એક તરફ સીમા અને સચિન ઓનલાઈન PUBG ગેમ દ્વારા મળ્યા હતા. તો ત્યાં ઈકરા અને મુલાયમ ઓનલાઈન  Ludo Game રમતા હતા. જેમ સીમા અને સચિન નેપાળમાં મળ્યા અને ત્યાંના મંદિરમાં લગ્ન કર્યા. એ જ રીતે ઇકરા અને મુલાયમ પણ નેપાળમાં મળ્યા હતા અને ત્યાંના મંદિરમાં લગ્ન કર્યા હતા. પરંતુ સીમા અને સચિનની કિસ્સામાં જ્યાં સીમા તેમની પ્રથમ મુલાકાત પછી પાકિસ્તાન પરત ફર્યા. ઇકરા પણ દાગીના વેચીને અને મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈને સરહદ પારથી મુલાયમ માટે ભારત આવી હતી. બીજી તરફ ઈકરા-મુલાયમની લવસ્ટોરીમાં બંને લગ્ન બાદ તરત જ નેપાળથી બેંગલુરુ શિફ્ટ થઇ ગયા હતા. દંપતી લોકોથી છુપાઈને ભાડાના મકાનમાં રહેતું હતું. 


અંતે ઇકરાને પાકિસ્તાન ડિપોર્ટ કરાઈ


23 જાન્યુઆરી 2023 ના રોજ, બેંગ્લોર પોલીસે ઇકરાને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવા અને તેની ઓળખ છુપાવવાના આરોપમાં ધરપકડ કરી. આ સાથે જ પાકિસ્તાની નાગરિકને ગેરકાયદેસર રીતે આશ્રય આપવાના આરોપમાં મુલાયમ સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર જાન્યુઆરીમાં ધરપકડ બાદ ઇકરાને 13 ફેબ્રુઆરી 2013ના રોજ મુલાયમે ઇકરાને જામીન આપવા માટે અરજી કરી હતી. પરંતુ ‘આતંકવાદના ભય’ને ટાંકીને બૅંગ્લુરૂ કોર્ટેએ તેમની અરજી ફગાવી દીધી હતી. પોલીસ પણ તેમની અરજીનો વિરોધ કર્યો હતો. જાન્યુઆરી માસમાં ઇકરાની ધરપકડ બાદ તેમને ઇમિગ્રેશન ઑફિસરોને સોંપી દેવામાં આવી હતી. બાદમાં 19 ફેબ્રુઆરી 2023ના રોજ અધિકારીઓએ ભારત-પાકિસ્તાન બૉર્ડરેથી ઇકરાને પાકિસ્તાન ડિપોર્ટ કરી દીધી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.