સીમાની જેમ પાકિસ્તાનથી ભારત આવી હતી ઈકરા, જાણો આ લવ સ્ટોરીનો શું આવ્યો હતો અંજામ


  • Published By :
  • Published Date : 2023-07-18 20:23:22

PUBG દ્વારા પ્રેમ અને પછી લગ્ન માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર આ દિવસોમાં ચર્ચામાં છે. જો કે સીમા હૈદર પહેલી પાકિસ્તાની મહિલા નથી જે સરહદ પારથી પોતાના પ્રેમ માટે ભારત આવી હોય. અગાઉ ઇકરા જીવાની નામની યુવતી પણ તેના ભારતીય પ્રેમી માટે પાકિસ્તાનથી ભારતમાં ભાગી આવી હતી. જો કે, તે લવસ્ટોરી સફળ થઈ શકી ન હતી. કારણ કે ઇકરાને પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે સીમાને અહીં ભારતમાં રહેવા દેવામાં આવે છે કે પછી તેને પણ ઇકરાની જેમ પાકિસ્તાન પરત મોકલવામાં આવશે.

 

Ludo રમતા સંપર્કમાં આવ્યા 


અગાઉ ઇકરા જીવાની નામની યુવતી પણ આ જ રીતે પાકિસ્તાનથી ભારત આવી હતી. તે પણ તેના ભારતીય પ્રેમી મુલાયમ સિંહ યાદવ માટે. ઇકરા-મુલાયમની લવસ્ટોરી સીમા-સચિન જેવી જ છે. જ્યાં એક તરફ સીમા અને સચિન ઓનલાઈન PUBG ગેમ દ્વારા મળ્યા હતા. તો ત્યાં ઈકરા અને મુલાયમ ઓનલાઈન  Ludo Game રમતા હતા. જેમ સીમા અને સચિન નેપાળમાં મળ્યા અને ત્યાંના મંદિરમાં લગ્ન કર્યા. એ જ રીતે ઇકરા અને મુલાયમ પણ નેપાળમાં મળ્યા હતા અને ત્યાંના મંદિરમાં લગ્ન કર્યા હતા. પરંતુ સીમા અને સચિનની કિસ્સામાં જ્યાં સીમા તેમની પ્રથમ મુલાકાત પછી પાકિસ્તાન પરત ફર્યા. ઇકરા પણ દાગીના વેચીને અને મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈને સરહદ પારથી મુલાયમ માટે ભારત આવી હતી. બીજી તરફ ઈકરા-મુલાયમની લવસ્ટોરીમાં બંને લગ્ન બાદ તરત જ નેપાળથી બેંગલુરુ શિફ્ટ થઇ ગયા હતા. દંપતી લોકોથી છુપાઈને ભાડાના મકાનમાં રહેતું હતું. 


અંતે ઇકરાને પાકિસ્તાન ડિપોર્ટ કરાઈ


23 જાન્યુઆરી 2023 ના રોજ, બેંગ્લોર પોલીસે ઇકરાને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવા અને તેની ઓળખ છુપાવવાના આરોપમાં ધરપકડ કરી. આ સાથે જ પાકિસ્તાની નાગરિકને ગેરકાયદેસર રીતે આશ્રય આપવાના આરોપમાં મુલાયમ સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર જાન્યુઆરીમાં ધરપકડ બાદ ઇકરાને 13 ફેબ્રુઆરી 2013ના રોજ મુલાયમે ઇકરાને જામીન આપવા માટે અરજી કરી હતી. પરંતુ ‘આતંકવાદના ભય’ને ટાંકીને બૅંગ્લુરૂ કોર્ટેએ તેમની અરજી ફગાવી દીધી હતી. પોલીસ પણ તેમની અરજીનો વિરોધ કર્યો હતો. જાન્યુઆરી માસમાં ઇકરાની ધરપકડ બાદ તેમને ઇમિગ્રેશન ઑફિસરોને સોંપી દેવામાં આવી હતી. બાદમાં 19 ફેબ્રુઆરી 2023ના રોજ અધિકારીઓએ ભારત-પાકિસ્તાન બૉર્ડરેથી ઇકરાને પાકિસ્તાન ડિપોર્ટ કરી દીધી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.