સીમાની જેમ પાકિસ્તાનથી ભારત આવી હતી ઈકરા, જાણો આ લવ સ્ટોરીનો શું આવ્યો હતો અંજામ


  • Published By :
  • Published Date : 2023-07-18 20:23:22

PUBG દ્વારા પ્રેમ અને પછી લગ્ન માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર આ દિવસોમાં ચર્ચામાં છે. જો કે સીમા હૈદર પહેલી પાકિસ્તાની મહિલા નથી જે સરહદ પારથી પોતાના પ્રેમ માટે ભારત આવી હોય. અગાઉ ઇકરા જીવાની નામની યુવતી પણ તેના ભારતીય પ્રેમી માટે પાકિસ્તાનથી ભારતમાં ભાગી આવી હતી. જો કે, તે લવસ્ટોરી સફળ થઈ શકી ન હતી. કારણ કે ઇકરાને પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે સીમાને અહીં ભારતમાં રહેવા દેવામાં આવે છે કે પછી તેને પણ ઇકરાની જેમ પાકિસ્તાન પરત મોકલવામાં આવશે.

 

Ludo રમતા સંપર્કમાં આવ્યા 


અગાઉ ઇકરા જીવાની નામની યુવતી પણ આ જ રીતે પાકિસ્તાનથી ભારત આવી હતી. તે પણ તેના ભારતીય પ્રેમી મુલાયમ સિંહ યાદવ માટે. ઇકરા-મુલાયમની લવસ્ટોરી સીમા-સચિન જેવી જ છે. જ્યાં એક તરફ સીમા અને સચિન ઓનલાઈન PUBG ગેમ દ્વારા મળ્યા હતા. તો ત્યાં ઈકરા અને મુલાયમ ઓનલાઈન  Ludo Game રમતા હતા. જેમ સીમા અને સચિન નેપાળમાં મળ્યા અને ત્યાંના મંદિરમાં લગ્ન કર્યા. એ જ રીતે ઇકરા અને મુલાયમ પણ નેપાળમાં મળ્યા હતા અને ત્યાંના મંદિરમાં લગ્ન કર્યા હતા. પરંતુ સીમા અને સચિનની કિસ્સામાં જ્યાં સીમા તેમની પ્રથમ મુલાકાત પછી પાકિસ્તાન પરત ફર્યા. ઇકરા પણ દાગીના વેચીને અને મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈને સરહદ પારથી મુલાયમ માટે ભારત આવી હતી. બીજી તરફ ઈકરા-મુલાયમની લવસ્ટોરીમાં બંને લગ્ન બાદ તરત જ નેપાળથી બેંગલુરુ શિફ્ટ થઇ ગયા હતા. દંપતી લોકોથી છુપાઈને ભાડાના મકાનમાં રહેતું હતું. 


અંતે ઇકરાને પાકિસ્તાન ડિપોર્ટ કરાઈ


23 જાન્યુઆરી 2023 ના રોજ, બેંગ્લોર પોલીસે ઇકરાને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવા અને તેની ઓળખ છુપાવવાના આરોપમાં ધરપકડ કરી. આ સાથે જ પાકિસ્તાની નાગરિકને ગેરકાયદેસર રીતે આશ્રય આપવાના આરોપમાં મુલાયમ સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર જાન્યુઆરીમાં ધરપકડ બાદ ઇકરાને 13 ફેબ્રુઆરી 2013ના રોજ મુલાયમે ઇકરાને જામીન આપવા માટે અરજી કરી હતી. પરંતુ ‘આતંકવાદના ભય’ને ટાંકીને બૅંગ્લુરૂ કોર્ટેએ તેમની અરજી ફગાવી દીધી હતી. પોલીસ પણ તેમની અરજીનો વિરોધ કર્યો હતો. જાન્યુઆરી માસમાં ઇકરાની ધરપકડ બાદ તેમને ઇમિગ્રેશન ઑફિસરોને સોંપી દેવામાં આવી હતી. બાદમાં 19 ફેબ્રુઆરી 2023ના રોજ અધિકારીઓએ ભારત-પાકિસ્તાન બૉર્ડરેથી ઇકરાને પાકિસ્તાન ડિપોર્ટ કરી દીધી હતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .