Iranએ પુરાવા આપ્યા... Pakistan સ્થિત Jaish al-Adl આતંકી કેમ્પના ડ્રોન ફુટેજ કર્યા રિલિઝ


  • Published By :
  • Published Date : 2024-01-19 19:40:47

Iranએ પાકિસ્તાનના  બલૂચિસ્તાનમાં જે જગ્યા પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો તેનો વીડિયો લોન્ચ કર્યો છે. આ વીડિયો એક ડ્રોન ફુટેજ છે, જેમાં આતંકવાદીઓનો અડ્ડો અને શસ્રબધ્ધ આતંકીઓ જોવા મળી રહ્યા છે. આ વિસ્તાર પહાડો વચ્ચે આવેલી સાંકળી ખીણમાં આવેલું છે. આ વીડિયોમાં આતંકવાદીઓ ઘાતક હથિયારો સાથે ટ્રેનિંગ લેતા જણાય છે. 


વીડિયો વાયરલ થયો


પાકિસ્તાનના  બલૂચિસ્તાનમાં આતંકવાદીઓ એટલી સાંકડી ખીણમાં રહી રહ્યા છે, જ્યાં સરળતાથી કોઈની પણ નજરે આવી શકતા નથી. આ તમામ અડ્ડાઓ Jaish al-Adl આતંકવાદીઓના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ડ્રોન ફુટેજ રિલિઝ કરતા જ વીડિયો વાયરલ થઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે ઈરાનના સર્વિલાન્સ ડ્રોનને પણ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પકડી શકી નહોંતી. ઈરાનના ડ્રોન બલુચિસ્તાનમાં ઘુસ્યા હતા અને જાસુસી કરી હતી. ડ્રોને આ જગ્યાઓના ચોક્કસ લોકેશનના સહારે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલો અને આત્મઘાતી ડ્રોનથી હુમલો કર્યો. આ અગાઉ ઈરાને સિરિયામાં પણ ઈસ્લામિક સ્ટેટના અડ્ડાઓ અને ઈરાકમાં ઈઝરાયેલની જાસુસી સંસ્થા મોસાદના સ્થાનો પર હુમલો કર્યો હતો.   


બે બાળકોના મોત થયા હતા


ઈરાને 16 જાન્યુઆરી, 2024 ના રોજ, બલૂચિસ્તાનમાં આવેલા Jaish al-Adlના આતંકવાદી સ્થાનો પર હુમલો કર્યો. આ વિસ્તારમાં રહેતા સુન્ની જૂથોને બંને બાજુ રહેતા બલૂચ લોકો સાથે સંઘર્ષ થયા કરે છે, બંને એકબીજા સાથે લડતા રહે છે. પાકિસ્તાને કહ્યું કે ઈરાનના હુમલામાં બે બાળકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.