Iranએ પુરાવા આપ્યા... Pakistan સ્થિત Jaish al-Adl આતંકી કેમ્પના ડ્રોન ફુટેજ કર્યા રિલિઝ


  • Published By :
  • Published Date : 2024-01-19 19:40:47

Iranએ પાકિસ્તાનના  બલૂચિસ્તાનમાં જે જગ્યા પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો તેનો વીડિયો લોન્ચ કર્યો છે. આ વીડિયો એક ડ્રોન ફુટેજ છે, જેમાં આતંકવાદીઓનો અડ્ડો અને શસ્રબધ્ધ આતંકીઓ જોવા મળી રહ્યા છે. આ વિસ્તાર પહાડો વચ્ચે આવેલી સાંકળી ખીણમાં આવેલું છે. આ વીડિયોમાં આતંકવાદીઓ ઘાતક હથિયારો સાથે ટ્રેનિંગ લેતા જણાય છે. 


વીડિયો વાયરલ થયો


પાકિસ્તાનના  બલૂચિસ્તાનમાં આતંકવાદીઓ એટલી સાંકડી ખીણમાં રહી રહ્યા છે, જ્યાં સરળતાથી કોઈની પણ નજરે આવી શકતા નથી. આ તમામ અડ્ડાઓ Jaish al-Adl આતંકવાદીઓના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ડ્રોન ફુટેજ રિલિઝ કરતા જ વીડિયો વાયરલ થઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે ઈરાનના સર્વિલાન્સ ડ્રોનને પણ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પકડી શકી નહોંતી. ઈરાનના ડ્રોન બલુચિસ્તાનમાં ઘુસ્યા હતા અને જાસુસી કરી હતી. ડ્રોને આ જગ્યાઓના ચોક્કસ લોકેશનના સહારે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલો અને આત્મઘાતી ડ્રોનથી હુમલો કર્યો. આ અગાઉ ઈરાને સિરિયામાં પણ ઈસ્લામિક સ્ટેટના અડ્ડાઓ અને ઈરાકમાં ઈઝરાયેલની જાસુસી સંસ્થા મોસાદના સ્થાનો પર હુમલો કર્યો હતો.   


બે બાળકોના મોત થયા હતા


ઈરાને 16 જાન્યુઆરી, 2024 ના રોજ, બલૂચિસ્તાનમાં આવેલા Jaish al-Adlના આતંકવાદી સ્થાનો પર હુમલો કર્યો. આ વિસ્તારમાં રહેતા સુન્ની જૂથોને બંને બાજુ રહેતા બલૂચ લોકો સાથે સંઘર્ષ થયા કરે છે, બંને એકબીજા સાથે લડતા રહે છે. પાકિસ્તાને કહ્યું કે ઈરાનના હુમલામાં બે બાળકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.