અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદીલી વધી, અમેરિકાએ ફારસની ખાડીમાં તૈનાત કર્યા યુધ્ધ જહાજ અને F-35 વિમાનો


  • Published By :
  • Published Date : 2023-08-04 18:16:37

રશિયા અને યુક્રેન વચ્ચે હાલ લોહિયાળ યુધ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે દુનિયાભરમાં મોંઘવારી વધી છે, હવે આ દિશામાં અમેરિકા અને ઈરાન પણ આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. અમેરિકાના બાઈડન વહીવટીતંત્રએ મોટી સંખ્યામાં સૈનિકા, એફ-35 ફાઈટર વિમાનો અને ઘાતક મિસાઈલોથી સુસજ્જ યુધ્ધ જહાજો ફારસની ખાડીમાં તૈનાત કર્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વિવિધ કારણોથી તંગદીલી વધી રહી છે. જેમાંનું એક કારણ ઈરાનનો પરમાણું કાર્યક્રમ છે. અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકા હવે ઈરાનને પરમાણું હથિયારો વિકસાવતા રોકવા માટે યુધ્ધ જહાજો તૈનાત કરવા જઈ રહ્યું છે.


શા માટે તંગદીલી વધી?


અમેરિકા અને તેના મિત્ર દેશ ઈઝરાયેલને આશંકા છે કે ઈરાન પરમાણું બોંબ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ઉપરાંત ઈરાન અવારનવાર અમેરિકાના મિત્ર દેશોના વેપારી જહાજો જપ્ત કરી રહ્યું છે. આ કારણે અમેરિકા અને તેના મિત્ર દેશો ચિંતામાં છે. હવે સંકટના હલ માટે અમેરિકાએ હજારો સૈનિકો અને યુધ્ધ જહાજ હોર્મુઝની ખાડીમાં મોકલ્યું છે. તે ઉપરાંત અમેરિકાએ તેના સ્ટિલ્થ ફાઈટર જેટ એફ-35 અને અન્ય ફાઈટર જેટ પણ રવાના કર્યા છે. ગયા મહિને ઈરાને ઓમાનની ખાડીમાં અમેરિકાના કોમર્શિયલ ઓઈલ ટેન્કર જહાજ રિચમંડ વોયેઝર પર હુમલો કર્યો હતો. ખુબ જ સાંકડી એવી હોર્મુઝની ખાડીમાંથી દુનિયાનું 20 ટકા ઓઈલ પસાર થાય છે. આ ખાડી સ્ટ્રેટેજીક રીતે ખૂબ જ મહત્વની છે જેથી ઈરાન અહીં સતત શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે.  



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.