અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદીલી વધી, અમેરિકાએ ફારસની ખાડીમાં તૈનાત કર્યા યુધ્ધ જહાજ અને F-35 વિમાનો


  • Published By :
  • Published Date : 2023-08-04 18:16:37

રશિયા અને યુક્રેન વચ્ચે હાલ લોહિયાળ યુધ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે દુનિયાભરમાં મોંઘવારી વધી છે, હવે આ દિશામાં અમેરિકા અને ઈરાન પણ આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. અમેરિકાના બાઈડન વહીવટીતંત્રએ મોટી સંખ્યામાં સૈનિકા, એફ-35 ફાઈટર વિમાનો અને ઘાતક મિસાઈલોથી સુસજ્જ યુધ્ધ જહાજો ફારસની ખાડીમાં તૈનાત કર્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વિવિધ કારણોથી તંગદીલી વધી રહી છે. જેમાંનું એક કારણ ઈરાનનો પરમાણું કાર્યક્રમ છે. અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકા હવે ઈરાનને પરમાણું હથિયારો વિકસાવતા રોકવા માટે યુધ્ધ જહાજો તૈનાત કરવા જઈ રહ્યું છે.


શા માટે તંગદીલી વધી?


અમેરિકા અને તેના મિત્ર દેશ ઈઝરાયેલને આશંકા છે કે ઈરાન પરમાણું બોંબ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ઉપરાંત ઈરાન અવારનવાર અમેરિકાના મિત્ર દેશોના વેપારી જહાજો જપ્ત કરી રહ્યું છે. આ કારણે અમેરિકા અને તેના મિત્ર દેશો ચિંતામાં છે. હવે સંકટના હલ માટે અમેરિકાએ હજારો સૈનિકો અને યુધ્ધ જહાજ હોર્મુઝની ખાડીમાં મોકલ્યું છે. તે ઉપરાંત અમેરિકાએ તેના સ્ટિલ્થ ફાઈટર જેટ એફ-35 અને અન્ય ફાઈટર જેટ પણ રવાના કર્યા છે. ગયા મહિને ઈરાને ઓમાનની ખાડીમાં અમેરિકાના કોમર્શિયલ ઓઈલ ટેન્કર જહાજ રિચમંડ વોયેઝર પર હુમલો કર્યો હતો. ખુબ જ સાંકડી એવી હોર્મુઝની ખાડીમાંથી દુનિયાનું 20 ટકા ઓઈલ પસાર થાય છે. આ ખાડી સ્ટ્રેટેજીક રીતે ખૂબ જ મહત્વની છે જેથી ઈરાન અહીં સતત શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.