અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદીલી વધી, અમેરિકાએ ફારસની ખાડીમાં તૈનાત કર્યા યુધ્ધ જહાજ અને F-35 વિમાનો


  • Published By :
  • Published Date : 2023-08-04 18:16:37

રશિયા અને યુક્રેન વચ્ચે હાલ લોહિયાળ યુધ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે દુનિયાભરમાં મોંઘવારી વધી છે, હવે આ દિશામાં અમેરિકા અને ઈરાન પણ આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. અમેરિકાના બાઈડન વહીવટીતંત્રએ મોટી સંખ્યામાં સૈનિકા, એફ-35 ફાઈટર વિમાનો અને ઘાતક મિસાઈલોથી સુસજ્જ યુધ્ધ જહાજો ફારસની ખાડીમાં તૈનાત કર્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વિવિધ કારણોથી તંગદીલી વધી રહી છે. જેમાંનું એક કારણ ઈરાનનો પરમાણું કાર્યક્રમ છે. અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકા હવે ઈરાનને પરમાણું હથિયારો વિકસાવતા રોકવા માટે યુધ્ધ જહાજો તૈનાત કરવા જઈ રહ્યું છે.


શા માટે તંગદીલી વધી?


અમેરિકા અને તેના મિત્ર દેશ ઈઝરાયેલને આશંકા છે કે ઈરાન પરમાણું બોંબ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ઉપરાંત ઈરાન અવારનવાર અમેરિકાના મિત્ર દેશોના વેપારી જહાજો જપ્ત કરી રહ્યું છે. આ કારણે અમેરિકા અને તેના મિત્ર દેશો ચિંતામાં છે. હવે સંકટના હલ માટે અમેરિકાએ હજારો સૈનિકો અને યુધ્ધ જહાજ હોર્મુઝની ખાડીમાં મોકલ્યું છે. તે ઉપરાંત અમેરિકાએ તેના સ્ટિલ્થ ફાઈટર જેટ એફ-35 અને અન્ય ફાઈટર જેટ પણ રવાના કર્યા છે. ગયા મહિને ઈરાને ઓમાનની ખાડીમાં અમેરિકાના કોમર્શિયલ ઓઈલ ટેન્કર જહાજ રિચમંડ વોયેઝર પર હુમલો કર્યો હતો. ખુબ જ સાંકડી એવી હોર્મુઝની ખાડીમાંથી દુનિયાનું 20 ટકા ઓઈલ પસાર થાય છે. આ ખાડી સ્ટ્રેટેજીક રીતે ખૂબ જ મહત્વની છે જેથી ઈરાન અહીં સતત શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે.  



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.