અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદીલી વધી, અમેરિકાએ ફારસની ખાડીમાં તૈનાત કર્યા યુધ્ધ જહાજ અને F-35 વિમાનો


  • Published By :
  • Published Date : 2023-08-04 18:16:37

રશિયા અને યુક્રેન વચ્ચે હાલ લોહિયાળ યુધ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે દુનિયાભરમાં મોંઘવારી વધી છે, હવે આ દિશામાં અમેરિકા અને ઈરાન પણ આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. અમેરિકાના બાઈડન વહીવટીતંત્રએ મોટી સંખ્યામાં સૈનિકા, એફ-35 ફાઈટર વિમાનો અને ઘાતક મિસાઈલોથી સુસજ્જ યુધ્ધ જહાજો ફારસની ખાડીમાં તૈનાત કર્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વિવિધ કારણોથી તંગદીલી વધી રહી છે. જેમાંનું એક કારણ ઈરાનનો પરમાણું કાર્યક્રમ છે. અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકા હવે ઈરાનને પરમાણું હથિયારો વિકસાવતા રોકવા માટે યુધ્ધ જહાજો તૈનાત કરવા જઈ રહ્યું છે.


શા માટે તંગદીલી વધી?


અમેરિકા અને તેના મિત્ર દેશ ઈઝરાયેલને આશંકા છે કે ઈરાન પરમાણું બોંબ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ઉપરાંત ઈરાન અવારનવાર અમેરિકાના મિત્ર દેશોના વેપારી જહાજો જપ્ત કરી રહ્યું છે. આ કારણે અમેરિકા અને તેના મિત્ર દેશો ચિંતામાં છે. હવે સંકટના હલ માટે અમેરિકાએ હજારો સૈનિકો અને યુધ્ધ જહાજ હોર્મુઝની ખાડીમાં મોકલ્યું છે. તે ઉપરાંત અમેરિકાએ તેના સ્ટિલ્થ ફાઈટર જેટ એફ-35 અને અન્ય ફાઈટર જેટ પણ રવાના કર્યા છે. ગયા મહિને ઈરાને ઓમાનની ખાડીમાં અમેરિકાના કોમર્શિયલ ઓઈલ ટેન્કર જહાજ રિચમંડ વોયેઝર પર હુમલો કર્યો હતો. ખુબ જ સાંકડી એવી હોર્મુઝની ખાડીમાંથી દુનિયાનું 20 ટકા ઓઈલ પસાર થાય છે. આ ખાડી સ્ટ્રેટેજીક રીતે ખૂબ જ મહત્વની છે જેથી ઈરાન અહીં સતત શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.