ઈશા અંબાણી અને આનંદ પિરામલનું કરાયું ભવ્ય સ્વાગત, આવતી કાલે થશે પૂજા


  • Published By :
  • Published Date : 2022-12-24 18:09:37

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ 19 નવેમ્બરે બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જન્મ થયાના એક મહિના બાદ ઈશા અંબાણી ભારત પરત ફરી છે. ઈશા અંબાણીના સ્વાગત માટે તૈયારી કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર દેશભરના પ્રખ્યાત મંદિરોથી પંડિતો આવી ઈશા અંબાણીના જોડિયાઓને આશીર્વાદ આપવાના છે.

 


વિવિધ મંદિરોના પૂજારી આપશે આશીર્વાદ 

અંબાણી પરિવાર ભારતીય પરંપરા તેમજ સંસ્કૃતિને જાણવી રાખવા માટે જાણીતા છે. દરેક કાર્યક્રમ સંસ્કૃતિને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ત્યારે ઈશા અંબાણીના જોડિયાના જન્મ બાદ પ્રથમ વખત ભારત પરત ફર્યા છે. ઈશાના સ્વાગત વખતે ઈશાના ઘરમાં મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને નાના મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવતી કાલે બાળકોને આશીર્વાદ આપવા દેશભરના પ્રસિદ્ધ મંદિરોથી પૂજારી આવવાના છે. તિરૂપતિ બાલાજી, શ્રીનાથજી મંદિરના પૂજારી આવવાના છે. ઉપરાંત તેમના આવવાની ખુશીમાં 300 કિલો સોનાનું દાન પણ કરવામાં આવશે.  


2018માં થયા હતા ઈશા અને આનંદના લગ્ન 

આ કાર્યક્રમમાં નીતા અંબાણીના ચહેરા પર અલગ ખુશી દેખાતી હતી. મુકેશ અંબાણી, આકાશ અંબાણી ઉપરાંત અનંત અંબાણી પણ ઉપસ્થિત હતા. ઈશા અંબાણી અને અજય પિરામલના લગ્ન 2018માં થયા હતા. આ બંનેના લગ્નને દેશના મોંઘા લગ્નોમાંથી એક માનવામાં આવે છે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.