ઈશા અંબાણી અને આનંદ પિરામલનું કરાયું ભવ્ય સ્વાગત, આવતી કાલે થશે પૂજા


  • Published By :
  • Published Date : 2022-12-24 18:09:37

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ 19 નવેમ્બરે બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જન્મ થયાના એક મહિના બાદ ઈશા અંબાણી ભારત પરત ફરી છે. ઈશા અંબાણીના સ્વાગત માટે તૈયારી કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર દેશભરના પ્રખ્યાત મંદિરોથી પંડિતો આવી ઈશા અંબાણીના જોડિયાઓને આશીર્વાદ આપવાના છે.

 


વિવિધ મંદિરોના પૂજારી આપશે આશીર્વાદ 

અંબાણી પરિવાર ભારતીય પરંપરા તેમજ સંસ્કૃતિને જાણવી રાખવા માટે જાણીતા છે. દરેક કાર્યક્રમ સંસ્કૃતિને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ત્યારે ઈશા અંબાણીના જોડિયાના જન્મ બાદ પ્રથમ વખત ભારત પરત ફર્યા છે. ઈશાના સ્વાગત વખતે ઈશાના ઘરમાં મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને નાના મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવતી કાલે બાળકોને આશીર્વાદ આપવા દેશભરના પ્રસિદ્ધ મંદિરોથી પૂજારી આવવાના છે. તિરૂપતિ બાલાજી, શ્રીનાથજી મંદિરના પૂજારી આવવાના છે. ઉપરાંત તેમના આવવાની ખુશીમાં 300 કિલો સોનાનું દાન પણ કરવામાં આવશે.  


2018માં થયા હતા ઈશા અને આનંદના લગ્ન 

આ કાર્યક્રમમાં નીતા અંબાણીના ચહેરા પર અલગ ખુશી દેખાતી હતી. મુકેશ અંબાણી, આકાશ અંબાણી ઉપરાંત અનંત અંબાણી પણ ઉપસ્થિત હતા. ઈશા અંબાણી અને અજય પિરામલના લગ્ન 2018માં થયા હતા. આ બંનેના લગ્નને દેશના મોંઘા લગ્નોમાંથી એક માનવામાં આવે છે. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.