ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટે આપી મોટી રાહત! તોશાખાના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટે લગાવ્યો સ્ટે! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-12 12:15:47

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઈસ્લામાબાદ કોર્ટે મોટી રાહત આપી છે. તોશાખાના કેસમાં કોર્ટે ઈમરાન ખાનને રાહત આપી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂકી દીધો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે મામલાની તપાસ માટે ક્રિમિનલ ટ્રાયલની પરવાનગી માગી હતી. તેના વિરૂદ્ધ ઈમરાન ખાને હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે આગામી ઓર્ડર સુધી આ કેસમાં સેશન કોર્ટ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. તોશાખાના કેસમાં ઈમરાન ખાન પર સરકારી ભેટને વેચવાનો આરોપ લાગ્યો હતો. 


હાઈકોર્ટે નિર્ણય પર મૂક્યો સ્ટે!

તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ કોર્ટે રાહત આપી છે. સુનાવણીને ધ્યાનમાં રાખી કોર્ટની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. પાકિસ્તાનના ચૂંટણી પંચે મામલાની તપાસ માટે ક્રિમિનલ ટ્રાયલની પરવાનગી માગી હતી. તેના વિરૂદ્ધ ઈમરાન ખાને હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે આગામી ઓર્ડર સુધી આ કેસમાં સેશન કોર્ટ કોઈ કાર્યવાહી નહીં કરે. 


ઈમરાન ખાન વિરૂદ્ધ નહીં કરવામાં આવે કાર્યવાહી! 

તોશાખાના વિશે જો વાત કરીએ તો પાકિસ્તાનમાં તોશાખાના એક સરકારી વિભાગ છે, જ્યાં અન્ય સરકારોના પ્રમુખો, વિદેશી મહેમાનો દ્વારા રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સાંસદો, નૌકરશાહો અને અધિકારીઓને આપવામાં આવેલી ભેટને રાખવામાં આવે છે. ત્યારે ઈમરાન ખાન પર આ ભેટો વેચવાનો આરોપ છે. ઓછા ભાવમાં તેમણે આ ભેટોને વેચી દીધી હતી. ત્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટે આ કેસમાં મોટી રાહત આપી છે. ઈમરાન ખાન વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પર રોક લગાવી દીધી છે.   


ઈમરાન ખાનની જેલમુક્તિ બાદ દેશભરમાં કરાઈ ઉજવણી!   

સુનાવણી બાદ ઈમરાન ખાન ઈસ્લામાબાદમાં શ્રીનગર હાઈવે પરથી જનતાને સંબોધિત કરશે. ઈમરાન ખાનની જેલમુક્તિ બાદ પાકિસ્તાનમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનને મોટી રાહત આપી છે.     



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી