ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટે આપી મોટી રાહત! તોશાખાના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટે લગાવ્યો સ્ટે! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-12 12:15:47

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઈસ્લામાબાદ કોર્ટે મોટી રાહત આપી છે. તોશાખાના કેસમાં કોર્ટે ઈમરાન ખાનને રાહત આપી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂકી દીધો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે મામલાની તપાસ માટે ક્રિમિનલ ટ્રાયલની પરવાનગી માગી હતી. તેના વિરૂદ્ધ ઈમરાન ખાને હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે આગામી ઓર્ડર સુધી આ કેસમાં સેશન કોર્ટ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. તોશાખાના કેસમાં ઈમરાન ખાન પર સરકારી ભેટને વેચવાનો આરોપ લાગ્યો હતો. 


હાઈકોર્ટે નિર્ણય પર મૂક્યો સ્ટે!

તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ કોર્ટે રાહત આપી છે. સુનાવણીને ધ્યાનમાં રાખી કોર્ટની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. પાકિસ્તાનના ચૂંટણી પંચે મામલાની તપાસ માટે ક્રિમિનલ ટ્રાયલની પરવાનગી માગી હતી. તેના વિરૂદ્ધ ઈમરાન ખાને હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે આગામી ઓર્ડર સુધી આ કેસમાં સેશન કોર્ટ કોઈ કાર્યવાહી નહીં કરે. 


ઈમરાન ખાન વિરૂદ્ધ નહીં કરવામાં આવે કાર્યવાહી! 

તોશાખાના વિશે જો વાત કરીએ તો પાકિસ્તાનમાં તોશાખાના એક સરકારી વિભાગ છે, જ્યાં અન્ય સરકારોના પ્રમુખો, વિદેશી મહેમાનો દ્વારા રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સાંસદો, નૌકરશાહો અને અધિકારીઓને આપવામાં આવેલી ભેટને રાખવામાં આવે છે. ત્યારે ઈમરાન ખાન પર આ ભેટો વેચવાનો આરોપ છે. ઓછા ભાવમાં તેમણે આ ભેટોને વેચી દીધી હતી. ત્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટે આ કેસમાં મોટી રાહત આપી છે. ઈમરાન ખાન વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પર રોક લગાવી દીધી છે.   


ઈમરાન ખાનની જેલમુક્તિ બાદ દેશભરમાં કરાઈ ઉજવણી!   

સુનાવણી બાદ ઈમરાન ખાન ઈસ્લામાબાદમાં શ્રીનગર હાઈવે પરથી જનતાને સંબોધિત કરશે. ઈમરાન ખાનની જેલમુક્તિ બાદ પાકિસ્તાનમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનને મોટી રાહત આપી છે.     



પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યો હતો. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે.

ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..