ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટે આપી મોટી રાહત! તોશાખાના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટે લગાવ્યો સ્ટે! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-12 12:15:47

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઈસ્લામાબાદ કોર્ટે મોટી રાહત આપી છે. તોશાખાના કેસમાં કોર્ટે ઈમરાન ખાનને રાહત આપી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂકી દીધો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે મામલાની તપાસ માટે ક્રિમિનલ ટ્રાયલની પરવાનગી માગી હતી. તેના વિરૂદ્ધ ઈમરાન ખાને હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે આગામી ઓર્ડર સુધી આ કેસમાં સેશન કોર્ટ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. તોશાખાના કેસમાં ઈમરાન ખાન પર સરકારી ભેટને વેચવાનો આરોપ લાગ્યો હતો. 


હાઈકોર્ટે નિર્ણય પર મૂક્યો સ્ટે!

તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ કોર્ટે રાહત આપી છે. સુનાવણીને ધ્યાનમાં રાખી કોર્ટની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. પાકિસ્તાનના ચૂંટણી પંચે મામલાની તપાસ માટે ક્રિમિનલ ટ્રાયલની પરવાનગી માગી હતી. તેના વિરૂદ્ધ ઈમરાન ખાને હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે આગામી ઓર્ડર સુધી આ કેસમાં સેશન કોર્ટ કોઈ કાર્યવાહી નહીં કરે. 


ઈમરાન ખાન વિરૂદ્ધ નહીં કરવામાં આવે કાર્યવાહી! 

તોશાખાના વિશે જો વાત કરીએ તો પાકિસ્તાનમાં તોશાખાના એક સરકારી વિભાગ છે, જ્યાં અન્ય સરકારોના પ્રમુખો, વિદેશી મહેમાનો દ્વારા રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સાંસદો, નૌકરશાહો અને અધિકારીઓને આપવામાં આવેલી ભેટને રાખવામાં આવે છે. ત્યારે ઈમરાન ખાન પર આ ભેટો વેચવાનો આરોપ છે. ઓછા ભાવમાં તેમણે આ ભેટોને વેચી દીધી હતી. ત્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટે આ કેસમાં મોટી રાહત આપી છે. ઈમરાન ખાન વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પર રોક લગાવી દીધી છે.   


ઈમરાન ખાનની જેલમુક્તિ બાદ દેશભરમાં કરાઈ ઉજવણી!   

સુનાવણી બાદ ઈમરાન ખાન ઈસ્લામાબાદમાં શ્રીનગર હાઈવે પરથી જનતાને સંબોધિત કરશે. ઈમરાન ખાનની જેલમુક્તિ બાદ પાકિસ્તાનમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનને મોટી રાહત આપી છે.     



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.