ઇઝરાયલી એરફોર્સે ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટી પર કર્યો બોમ્બમારો, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-10-11 16:15:03

ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની સેના જબરદસ્ત બોમ્બમારો કરી રહી છે.  ઇઝરાયેલની એરફોર્સે આપેલી જાણકારીમાં જણાવ્યું છે કે તેના ફાઇટર જેટ્સે ગાઝામાં એક ઇસ્લામિક યુનિવર્સિટી પર બોમ્બમારો કર્યો છે. ઇઝરાયેલની એરફોર્સનો દાવો છે કે આ યુનિવર્સિટી હમાસના એન્જિનિયરોને તાલીમ આપવા માટેનો મુખ્ય અડ્ડો હતો અને તેમા હમાસના એન્જિનિયરોને તાલીમ આપવામાં આવતી હતી. સેનાએ કહ્યું છે કે એક ફાઇટર જેટે હાલમાં જ યુનિવર્સિટી કેમ્પસ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલ દાવો કરે છે કે આ યુનિવર્સિટી ગાઝા માટે રાજકીય અને લશ્કરી એકમ તરીકે કામ કરી રહી હતી. ટ્રેનિંગ લીધા બાદ એન્જિનિયર હમાસ માટે હથિયાર બનાવતા હતા. ઉલ્લેખનિય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું ભીષણ યુદ્ધ ચોથા દિવસે પણ ચાલુ જ છે. ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટીમાં ઘણા ટાર્ગેટને નષ્ટ કરી રહી છે.


ટ્વીટર પર વીડિયો પોસ્ટ કર્યો 


ઈઝરાયેલની સેનાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ બોમ્બ ધડાકાની તસવીરો જાહેર કરી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી તસવીરો જાહેર કરીને કહ્યું છે કે હમાસે શિક્ષણના કેન્દ્રને વિનાશના કેન્દ્રમાં બદલી નાખ્યું છે. થોડા સમય પહેલા અમારી સેનાએ હમાસના એક મહત્વપૂર્ણ ભાગને નિશાન બનાવ્યો હતો. જે તેમનું રાજકીય અને લશ્કરી કેન્દ્ર બન્યું હતું. હમાસે આ યુનિવર્સિટીમાં ટ્રેનિંગ કેમ્પ બનાવ્યો હતો અને અહીં હથિયારો બનાવવામાં આવી રહ્યા હતા અને અહીંના લોકોને મિલિટરી ઈન્ટેલિજન્સ શીખવવામાં આવી રહી હતી. 


ઈઝરાયેલે ગાઝામાં મચાવી તબાહી


 ઇઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે તેના યુદ્ધ વિમાનોએ ગાઝા શહેરના પડોશમાં રાતોરાત 200 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો હતો. દરમિયાન, આ યુદ્ધમાં બંને પક્ષોના મૃત્યુઆંક 3500ને પાર કરી ગયો છે. જ્યારે બંને તરફથી 10,000 લોકો ઘાયલ થયા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભીડવાળા દરિયાકાંઠાના વિસ્તારમાં ઓછામાં ઓછા 950 લોકો માર્યા ગયા છે અને 5,000 ઘાયલ થયા છે. જેમાં 260 બાળકો અને 200 મહિલાઓનો સમાવેશ થાય છે. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે ઈઝરાયેલમાં મૃત્યુઆંક હવે 1,200 પર પહોંચી ગયો છે અને 2,700 ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે શનિવારથી ઇઝરાયેલી હુમલાઓએ 22,600 થી વધુ મકાનો અને 10 આરોગ્ય સુવિધાઓનો નાશ કર્યો છે અને 48 શાળાઓને નુકસાન પહોંચાડ્યું છે.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?