ઇઝરાયલી એરફોર્સે ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટી પર કર્યો બોમ્બમારો, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-10-11 16:15:03

ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની સેના જબરદસ્ત બોમ્બમારો કરી રહી છે.  ઇઝરાયેલની એરફોર્સે આપેલી જાણકારીમાં જણાવ્યું છે કે તેના ફાઇટર જેટ્સે ગાઝામાં એક ઇસ્લામિક યુનિવર્સિટી પર બોમ્બમારો કર્યો છે. ઇઝરાયેલની એરફોર્સનો દાવો છે કે આ યુનિવર્સિટી હમાસના એન્જિનિયરોને તાલીમ આપવા માટેનો મુખ્ય અડ્ડો હતો અને તેમા હમાસના એન્જિનિયરોને તાલીમ આપવામાં આવતી હતી. સેનાએ કહ્યું છે કે એક ફાઇટર જેટે હાલમાં જ યુનિવર્સિટી કેમ્પસ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલ દાવો કરે છે કે આ યુનિવર્સિટી ગાઝા માટે રાજકીય અને લશ્કરી એકમ તરીકે કામ કરી રહી હતી. ટ્રેનિંગ લીધા બાદ એન્જિનિયર હમાસ માટે હથિયાર બનાવતા હતા. ઉલ્લેખનિય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું ભીષણ યુદ્ધ ચોથા દિવસે પણ ચાલુ જ છે. ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટીમાં ઘણા ટાર્ગેટને નષ્ટ કરી રહી છે.


ટ્વીટર પર વીડિયો પોસ્ટ કર્યો 


ઈઝરાયેલની સેનાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ બોમ્બ ધડાકાની તસવીરો જાહેર કરી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી તસવીરો જાહેર કરીને કહ્યું છે કે હમાસે શિક્ષણના કેન્દ્રને વિનાશના કેન્દ્રમાં બદલી નાખ્યું છે. થોડા સમય પહેલા અમારી સેનાએ હમાસના એક મહત્વપૂર્ણ ભાગને નિશાન બનાવ્યો હતો. જે તેમનું રાજકીય અને લશ્કરી કેન્દ્ર બન્યું હતું. હમાસે આ યુનિવર્સિટીમાં ટ્રેનિંગ કેમ્પ બનાવ્યો હતો અને અહીં હથિયારો બનાવવામાં આવી રહ્યા હતા અને અહીંના લોકોને મિલિટરી ઈન્ટેલિજન્સ શીખવવામાં આવી રહી હતી. 


ઈઝરાયેલે ગાઝામાં મચાવી તબાહી


 ઇઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે તેના યુદ્ધ વિમાનોએ ગાઝા શહેરના પડોશમાં રાતોરાત 200 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો હતો. દરમિયાન, આ યુદ્ધમાં બંને પક્ષોના મૃત્યુઆંક 3500ને પાર કરી ગયો છે. જ્યારે બંને તરફથી 10,000 લોકો ઘાયલ થયા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભીડવાળા દરિયાકાંઠાના વિસ્તારમાં ઓછામાં ઓછા 950 લોકો માર્યા ગયા છે અને 5,000 ઘાયલ થયા છે. જેમાં 260 બાળકો અને 200 મહિલાઓનો સમાવેશ થાય છે. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે ઈઝરાયેલમાં મૃત્યુઆંક હવે 1,200 પર પહોંચી ગયો છે અને 2,700 ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે શનિવારથી ઇઝરાયેલી હુમલાઓએ 22,600 થી વધુ મકાનો અને 10 આરોગ્ય સુવિધાઓનો નાશ કર્યો છે અને 48 શાળાઓને નુકસાન પહોંચાડ્યું છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.