ઈઝરાયેલે ગાઝાના શરણાર્થી કેમ્પ પર કર્યો બોમ્બમારો, હવાઈ હુમલામાં 33 લોકોના મોત, 42 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-11-05 17:43:30

ઇઝરાયલી યુદ્ધ વિમાનોએ રવિવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાં એક શરણાર્થી શિબિર પર હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા અને ડઝનેક અન્ય ઘાયલ થયા છે. ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી હતી. અમેરિકાએ નાગરિકોને રાહત આપવા માટે ઈઝરાયેલને થોડા સમય માટે હુમલા બંધ કરવાની અપીલ કરી હતી, પરંતુ ઈઝરાયેલનું કહેવું છે કે તે ગાઝામાં હમાસ શાસકોને કચડી નાખવા માટે તેના હુમલા ચાલુ રાખશે.


રેફ્યુજી કેમ્પ પર હુમલો 


ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યાઓવ ગૈલેંટે કહ્યું, 'ગાઝા શહેરમાં રહેતો દરેક વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે.'ગાઝામાં હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા વધીને 9,448 થઈ ગઈ છે. ઈઝરાયેલમાં 1400થી વધુ લોકોના મોત થયા છે. આમાંના મોટાભાગના લોકો 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક હુમલામાં મૃત્યુ પામ્યા હતા. આ હુમલા પછી આ યુદ્ધ શરૂ થયું. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કિદ્રાએ જણાવ્યું હતું કે ગાઝાના મગાઝી શરણાર્થી શિબિર પર રવિવારે મધ્ય સવારે થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા હતા અને 42 ઘાયલ થયા હતા.


હમાસ લોકોને ઢાલ બનાવી રહ્યું છે


ઈઝરાયેલે હમાસ પર નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આરબ નેતાઓ, ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં હજારો પેલેસ્ટિનિયનોના મૃત્યુની નિંદા કરતા, શનિવારે તાત્કાલિક યુદ્ધવિરામ માટે દબાણ કર્યું હતું, જ્યારે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકને ચેતવણી આપી કે આ પ્રકારનું પગલું પ્રતિકૂળ હશે અને આતંકવાદી જૂથને વધુ હિંસા કરવા માટે પ્રોત્સાહન આપશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે