ઈઝરાયેલે ગાઝાના શરણાર્થી કેમ્પ પર કર્યો બોમ્બમારો, હવાઈ હુમલામાં 33 લોકોના મોત, 42 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-11-05 17:43:30

ઇઝરાયલી યુદ્ધ વિમાનોએ રવિવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાં એક શરણાર્થી શિબિર પર હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા અને ડઝનેક અન્ય ઘાયલ થયા છે. ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી હતી. અમેરિકાએ નાગરિકોને રાહત આપવા માટે ઈઝરાયેલને થોડા સમય માટે હુમલા બંધ કરવાની અપીલ કરી હતી, પરંતુ ઈઝરાયેલનું કહેવું છે કે તે ગાઝામાં હમાસ શાસકોને કચડી નાખવા માટે તેના હુમલા ચાલુ રાખશે.


રેફ્યુજી કેમ્પ પર હુમલો 


ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યાઓવ ગૈલેંટે કહ્યું, 'ગાઝા શહેરમાં રહેતો દરેક વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે.'ગાઝામાં હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા વધીને 9,448 થઈ ગઈ છે. ઈઝરાયેલમાં 1400થી વધુ લોકોના મોત થયા છે. આમાંના મોટાભાગના લોકો 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક હુમલામાં મૃત્યુ પામ્યા હતા. આ હુમલા પછી આ યુદ્ધ શરૂ થયું. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કિદ્રાએ જણાવ્યું હતું કે ગાઝાના મગાઝી શરણાર્થી શિબિર પર રવિવારે મધ્ય સવારે થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા હતા અને 42 ઘાયલ થયા હતા.


હમાસ લોકોને ઢાલ બનાવી રહ્યું છે


ઈઝરાયેલે હમાસ પર નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આરબ નેતાઓ, ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં હજારો પેલેસ્ટિનિયનોના મૃત્યુની નિંદા કરતા, શનિવારે તાત્કાલિક યુદ્ધવિરામ માટે દબાણ કર્યું હતું, જ્યારે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકને ચેતવણી આપી કે આ પ્રકારનું પગલું પ્રતિકૂળ હશે અને આતંકવાદી જૂથને વધુ હિંસા કરવા માટે પ્રોત્સાહન આપશે. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે