ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધ દરમિયાન ઈરાને કર્યો આ મોટો દાવો, જંગમાં ઝંપલાવવાની પણ આપી ચિમકી


  • Published By :
  • Published Date : 2023-10-16 22:27:10

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લોહિયાળ જંગ હજુ કેટલા દિવસ ચાલશે તે અંગે કોઈ સ્પષ્ટપણે કહી શકે તેમ નથી. ઈઝરાયેલની સરકાર હમાસના કબજામાં રહેલા તેના નાગરિકોને મુક્ત કરાવવા માટે હવે જમીન માર્ગે પણ ગાઝામાં ઘુસવાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે આ યુધ્ધ હજુ લાંબુ ચાલશે તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે આ દરમિયાન હમાસના મિત્ર દેશ ઈરાને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે જો ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા બંધ કરી દેશે તો હમાશ અપહરણ કરવામાં આવેલા તમામ 200 ઈઝરાયેલી નાગરિતોને છોડવા માટે તૈયાર છે. 


ઈરાને યુધ્ધમાં ઝંપલાવવાની આપી ધમકી


ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાનીએ દાવો કરતા કહ્યું કે ઈઝરાયેલના નાગરિકોને છોડવા માટે હમાસ તૈયાર છે. જો કે  તેમણે સામે શરત રાખી હતી કે આ માટે પહેલા તો ઈઝરાયેલની સેનાએ હવાઈ હુમલા બંધ કરવા પડશે. તેમણે વધુમાં તેમ પણ કહ્યું હતું કે હમાસને આ યુધ્ધ આગળ વધારવામાં કોઈ મુશ્કેલી નથી, તેમની પાસે ઈઝરાયેલનો સામનો કરવાની સંપુર્ણ ક્ષમતા છે. બીજી તરફ ઈરાને ઈઝરાયેલને ચેતવણી આપી હતી કે આગામી દિવસોમાં તેમના દ્વારા ગાઝામાં સતત હિંસક તબાહી ચાલું રહી તો ઈરાન પણ હમાસના સમર્થનમાં આ યુધ્ધમાં કુદી પડશે.



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .