ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધ દરમિયાન ઈરાને કર્યો આ મોટો દાવો, જંગમાં ઝંપલાવવાની પણ આપી ચિમકી


  • Published By :
  • Published Date : 2023-10-16 22:27:10

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લોહિયાળ જંગ હજુ કેટલા દિવસ ચાલશે તે અંગે કોઈ સ્પષ્ટપણે કહી શકે તેમ નથી. ઈઝરાયેલની સરકાર હમાસના કબજામાં રહેલા તેના નાગરિકોને મુક્ત કરાવવા માટે હવે જમીન માર્ગે પણ ગાઝામાં ઘુસવાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે આ યુધ્ધ હજુ લાંબુ ચાલશે તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે આ દરમિયાન હમાસના મિત્ર દેશ ઈરાને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે જો ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા બંધ કરી દેશે તો હમાશ અપહરણ કરવામાં આવેલા તમામ 200 ઈઝરાયેલી નાગરિતોને છોડવા માટે તૈયાર છે. 


ઈરાને યુધ્ધમાં ઝંપલાવવાની આપી ધમકી


ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાનીએ દાવો કરતા કહ્યું કે ઈઝરાયેલના નાગરિકોને છોડવા માટે હમાસ તૈયાર છે. જો કે  તેમણે સામે શરત રાખી હતી કે આ માટે પહેલા તો ઈઝરાયેલની સેનાએ હવાઈ હુમલા બંધ કરવા પડશે. તેમણે વધુમાં તેમ પણ કહ્યું હતું કે હમાસને આ યુધ્ધ આગળ વધારવામાં કોઈ મુશ્કેલી નથી, તેમની પાસે ઈઝરાયેલનો સામનો કરવાની સંપુર્ણ ક્ષમતા છે. બીજી તરફ ઈરાને ઈઝરાયેલને ચેતવણી આપી હતી કે આગામી દિવસોમાં તેમના દ્વારા ગાઝામાં સતત હિંસક તબાહી ચાલું રહી તો ઈરાન પણ હમાસના સમર્થનમાં આ યુધ્ધમાં કુદી પડશે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.